એસ.જયશંકરે પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોનું કર્યું સ્વાગત, બેઠકમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો


  • Published By :
  • Published Date : 2023-05-05 13:52:45

ગોવાના પણજીમાં શુક્રવારે SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠક શરૂ થઈ છે. બેઠક પહેલા, ભારતીય વિદેશ મંત્રી ડૉ. જયશંકરે SCO સભ્ય દેશોના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી પણ ભારત પહોંચી ગયા છે. શુક્રવારે વિદેશ મંત્રીઓની બેઠક પહેલા ભારતીય વિદેશ મંત્રીએ પાકિસ્તાની વિદેશ મંત્રીનું સ્વાગત કર્યુ હતું.


ભારતે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો  


SCOની બેઠક દરમિયાન પોતાના સંબોધનમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને પરોક્ષ રીતે પાકિસ્તાનને નિશાન બનાવ્યું હતું. જયશંકરે કહ્યું કે આતંકવાદનો કહેર હજુ પણ યથાવત છે. અમે દૃઢપણે માનીએ છીએ કે આતંકવાદને કોઈ પણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં અને તેને રોકવો જ જોઈએ. આમાં સીમાપારનો આતંકવાદ અને અન્ય તમામ પ્રકારના આતંકવાદનો સમાવેશ થાય છે. SCO બેઠકનો મૂળ હેતું આતંકવાદનો સામનો કરવાનો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.