કચ્છના માંડવીના દરિયામાં 4 લોકો જ્યારે માલણ નદીમાં 4 યુવાનો ડૂબતા અરેરાટી, બચાવ કામગીરી ચાલુ


  • Published By :
  • Published Date : 2023-08-28 16:36:14

કચ્છના માંડવીમાં ગોઝારી ઘટના બની હતી, માંડવીના સમુદ્રમાં ન્હાવા ગયા હતા તે દરમિયાન ત્રણ કિશોર સહિત ચાર લોકો ડૂબતા હાહાકાર મચી ગયો છે. આ કરૂણ ઘટનામાં બે કિશોરના મોત થયા છે અને એકને ડુબતો બચાવી લેવામાં આવ્યો છે. જો કે એક યુવક હજુ પણ લાપતા બનતા તેની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે  એકઠા થઈ ગયા હતા.


માલણ નદીમાં 4 યુવાનો ડૂબ્યા


આવી જ એક અન્ય ઘટના મહુવા તાલુકામાં બની હતી. મહુવા તાલુકાની માલણ નદીમાં નહાવા માટે પડેલા ચાર યુવાનો ડૂબ્યા છે. મળતી જાણકારી મુજબ રૂપાવટી ગામના 4 ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા છે જેમાંથી 3 સગા ભાઈઓ છે. મહુવાના નાના જાદરા લખુપરા વચ્ચે આવેલ નદીમાં ન્હાવા પડેલા 4 લોકો પાણીમાં ડૂબતા અરેરાટી મચી ગઈ છે. આ 4 લોકો ગામમાં મકાનના બાધકામ માટે આવ્યા હતા એ દરમિયાન માલણ નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા હતા. હાલ બે લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ડૂબેલા તમામ લોકો મહુવાનાં રૂપાવટી ગામના છે. હાલ તરવૈયાઓ દ્વારા અન્ય બે યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે