મોટા ઉપાળે શરૂ કરેલી સી-પ્લેન સર્વિસ પાછળ રાજ્ય સરકારે કર્યો 13.15 કરોડનો ખર્ચ, કમાણી થઈ ઝીરો


  • Published By :
  • Published Date : 2023-03-23 19:24:11

ગુજરાત સરકારે મોટા ઉપાડે અને ગાઈ વગાડીને અમદાવાદ સી-પ્લેન સર્વિસ શરૂ કરી હતી. પર્યટનને વેગ મળે તે માટે આ સી પ્લેન સેવા અમદાવાદ રિવર ફ્રન્ટથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ધરોઇ ડેમ સાથે જોડવાની યોજના શરૂ થઈ હતી. જો કે તે થોડા સમયમાં જ બંધ થઈ ગઈ હતી. આ મુદ્દે આજે વિધાનસભામાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તથા આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો.


સી પ્લેન સેવા પાછળ કેટલો ખર્ચ થયો?


ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે જણાવ્યુ હતું કે, સી પ્લેન પાછળ કુલ 13.15 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. સી પ્લેન સેવા બંધ કરવા પાછળના કારણો વિશે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, ફોરેન રજીસ્ટ્રેશન એરક્રાફ્ટ હોવાથી ઓપરેશન અને મેઇન્ટેનન્સમાં ઉદભવતી મુશ્કેલીઓ તેમજ ઓપરેટરને ઓપરેટીંગ કોસ્ટ ઉંચી જતી હોવાથી નાણાંકીય કારણોસર સી પ્લેન સેવા 10 એપ્રિલ 2021થી બંધ કરવામાં આવી હતી.


સી પ્લેન સેવાથી કેટલી કમાણી થઈ?


આમ આદમી પાર્ટીની ધારાસભ્ય ચેતર વસાવાના સવાલનો જવાબ આપતા જણાવ્યુ હતુ કે, 31-1-23ની સ્થિતિએ રાજ્યમાં સી પ્લેન સેવા બંધ કરવામાં આવી છે. સી પ્લેન પાછળ વર્ષ 2021-22માં રાજ્ય સરકારે 11 કરોડની જાગવાઇ કરી હતી. વર્ષ 2022-23માં સી પ્લેન માટે 11 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આમ બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા 22 કરોડની જોગવાઇ સી પ્લેન માટે કરવામાં આવી હતી. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, રાજ્ય સરકારે 22 કરોડની જોગવાઇ કરી હોવા છતાં સી પ્લેન થકી બે વર્ષમાં રાજ્ય સરકારને એક પણ રુપિયાની આવક થઇ નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.