મોટા ઉપાળે શરૂ કરેલી સી-પ્લેન સર્વિસ પાછળ રાજ્ય સરકારે કર્યો 13.15 કરોડનો ખર્ચ, કમાણી થઈ ઝીરો


  • Published By :
  • Published Date : 2023-03-23 19:24:11

ગુજરાત સરકારે મોટા ઉપાડે અને ગાઈ વગાડીને અમદાવાદ સી-પ્લેન સર્વિસ શરૂ કરી હતી. પર્યટનને વેગ મળે તે માટે આ સી પ્લેન સેવા અમદાવાદ રિવર ફ્રન્ટથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ધરોઇ ડેમ સાથે જોડવાની યોજના શરૂ થઈ હતી. જો કે તે થોડા સમયમાં જ બંધ થઈ ગઈ હતી. આ મુદ્દે આજે વિધાનસભામાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તથા આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો.


સી પ્લેન સેવા પાછળ કેટલો ખર્ચ થયો?


ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે જણાવ્યુ હતું કે, સી પ્લેન પાછળ કુલ 13.15 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. સી પ્લેન સેવા બંધ કરવા પાછળના કારણો વિશે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, ફોરેન રજીસ્ટ્રેશન એરક્રાફ્ટ હોવાથી ઓપરેશન અને મેઇન્ટેનન્સમાં ઉદભવતી મુશ્કેલીઓ તેમજ ઓપરેટરને ઓપરેટીંગ કોસ્ટ ઉંચી જતી હોવાથી નાણાંકીય કારણોસર સી પ્લેન સેવા 10 એપ્રિલ 2021થી બંધ કરવામાં આવી હતી.


સી પ્લેન સેવાથી કેટલી કમાણી થઈ?


આમ આદમી પાર્ટીની ધારાસભ્ય ચેતર વસાવાના સવાલનો જવાબ આપતા જણાવ્યુ હતુ કે, 31-1-23ની સ્થિતિએ રાજ્યમાં સી પ્લેન સેવા બંધ કરવામાં આવી છે. સી પ્લેન પાછળ વર્ષ 2021-22માં રાજ્ય સરકારે 11 કરોડની જાગવાઇ કરી હતી. વર્ષ 2022-23માં સી પ્લેન માટે 11 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આમ બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા 22 કરોડની જોગવાઇ સી પ્લેન માટે કરવામાં આવી હતી. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, રાજ્ય સરકારે 22 કરોડની જોગવાઇ કરી હોવા છતાં સી પ્લેન થકી બે વર્ષમાં રાજ્ય સરકારને એક પણ રુપિયાની આવક થઇ નથી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે