ઓક્ટોબરમાં અત્યાર સુધીનું બીજુ સૌથી મોટું GST કલેક્શન


  • Published By :
  • Published Date : 2022-11-02 12:37:56

ઓક્ટોબર માસમાં જીએસટી કલેક્શન 1.52 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. આ કલેક્શન અત્યાર સુધીનું બીજુ સૌથી મોટું કલેક્શન છે. દિવાળીના તહેવારોના સમયમાં રૂપિયાની લેવડ-દેવડ વધતા જીએસટી કલેક્શનમાં પણ વધારો નોંધાયો છે. 

GST Collection October 2022: 2nd highest ever! Check CGST, SGCT, IGST, Cess  details; state-wise revenue data | Zee Business

અત્યાર સુધીનું બીજુ સૌથી વધુ જીએસટી કલેક્શન

ગયા વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1.30 લાખ કરોડ રૂપિયા હતું. આમ ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં ચાલુ વર્ષના ઓક્ટોબરનું જીએસટી કલેક્શન 16 ટકા વધ્યું છે. એપ્રીલમાં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ 1.68 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. આ કલેક્શનમાં સીજીએસટી 26 હજાર 39 કરોડ રૂપિયા હતું, એસજીએસટી 33 હજાર 396 કરોડ રૂપિયા હતુ. જ્યારે ઈન્ટીગ્રેટેડ જીએસટી કલેક્શન 81 હજાર 778 કરોડ રૂપિયા થયું છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.