ઓક્ટોબરમાં અત્યાર સુધીનું બીજુ સૌથી મોટું GST કલેક્શન


  • Published By :
  • Published Date : 2022-11-02 12:37:56

ઓક્ટોબર માસમાં જીએસટી કલેક્શન 1.52 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. આ કલેક્શન અત્યાર સુધીનું બીજુ સૌથી મોટું કલેક્શન છે. દિવાળીના તહેવારોના સમયમાં રૂપિયાની લેવડ-દેવડ વધતા જીએસટી કલેક્શનમાં પણ વધારો નોંધાયો છે. 

GST Collection October 2022: 2nd highest ever! Check CGST, SGCT, IGST, Cess  details; state-wise revenue data | Zee Business

અત્યાર સુધીનું બીજુ સૌથી વધુ જીએસટી કલેક્શન

ગયા વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1.30 લાખ કરોડ રૂપિયા હતું. આમ ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં ચાલુ વર્ષના ઓક્ટોબરનું જીએસટી કલેક્શન 16 ટકા વધ્યું છે. એપ્રીલમાં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ 1.68 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. આ કલેક્શનમાં સીજીએસટી 26 હજાર 39 કરોડ રૂપિયા હતું, એસજીએસટી 33 હજાર 396 કરોડ રૂપિયા હતુ. જ્યારે ઈન્ટીગ્રેટેડ જીએસટી કલેક્શન 81 હજાર 778 કરોડ રૂપિયા થયું છે. 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.