ઓક્ટોબરમાં અત્યાર સુધીનું બીજુ સૌથી મોટું GST કલેક્શન


  • Published By :
  • Published Date : 2022-11-02 12:37:56

ઓક્ટોબર માસમાં જીએસટી કલેક્શન 1.52 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. આ કલેક્શન અત્યાર સુધીનું બીજુ સૌથી મોટું કલેક્શન છે. દિવાળીના તહેવારોના સમયમાં રૂપિયાની લેવડ-દેવડ વધતા જીએસટી કલેક્શનમાં પણ વધારો નોંધાયો છે. 

GST Collection October 2022: 2nd highest ever! Check CGST, SGCT, IGST, Cess  details; state-wise revenue data | Zee Business

અત્યાર સુધીનું બીજુ સૌથી વધુ જીએસટી કલેક્શન

ગયા વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1.30 લાખ કરોડ રૂપિયા હતું. આમ ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં ચાલુ વર્ષના ઓક્ટોબરનું જીએસટી કલેક્શન 16 ટકા વધ્યું છે. એપ્રીલમાં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ 1.68 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. આ કલેક્શનમાં સીજીએસટી 26 હજાર 39 કરોડ રૂપિયા હતું, એસજીએસટી 33 હજાર 396 કરોડ રૂપિયા હતુ. જ્યારે ઈન્ટીગ્રેટેડ જીએસટી કલેક્શન 81 હજાર 778 કરોડ રૂપિયા થયું છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.