પોરબંદરમાં ડિમોલીશનની કામગીરી દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતા 4 વિસ્તારોમાં લાગૂ કરાઈ કલમ 144


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 12:53:52

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર ખાતે મેગા ડિમોલેશન તંત્ર દ્વારા કરવામા આવી રહ્યું છે. દ્વારકા જિલ્લામાં આ કાર્યવાહી થયા બાદ પોરબંદર ખાતે આ કાર્યવાહી કરવામાં આવી હતી.  દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાંથી ગેરકાયદેસર બાંધકામ હટાવાતા સ્થિતિ વણસી છે. બાંધકામ તોડી પડાતા સ્થાનિકો રોષે ભરયા છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેને કારણે 10 ઓક્ટોબર સુધી કલમ 144 લાગૂ કરવામાં આવી છે. 


ભીડ બેકાબુ બનતા પોલીસે છોડ્યા ટીયર-ગેસ

દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કર્યા બાદ પોરબંદર ખાતે આ ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બુલ્ડોઝર ફેરવાતા લઘુમતી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. શહેરના મેમણાવાડા વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરાતા સ્થાનિકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જે બાદ પોલીસે ત્રણથી વધુ ટીયર ગેસ છોડ્યા હતા. 


વધુ પોલીસ કાફલો કરાયો તેનાત

મામલો વધુ ગંભીર બન્યો હતો. જેને લઈ બીજા પોલીસ કાફલાને તેનાત કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત એસઆરપીની ટીમને પણ ત્યાં ગોઠવી દેવામાં આવી છે. આ ઘટનાને શાંત કરવા પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો. પરંતુ સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે ડિમોલેશનની કાર્યવાહી કરવા ગયેલી ટીમ પાછી આવી ગઈ. સ્થિતિ વધુ ન વણસે તે માટે જિલ્લા અધિકારીએ 10 ઓક્ટોબર સુધી કલમ 144 લાગૂ કરી દીધી છે. કીર્તિમંદિર, ઉદ્યોગનગર, રાણાવાવ અને કુતિયાના શહેરમાં કલમ 144 લાગૂ કરવામાં  આવી છે.       




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે