પોરબંદરમાં ડિમોલીશનની કામગીરી દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતા 4 વિસ્તારોમાં લાગૂ કરાઈ કલમ 144


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 12:53:52

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર ખાતે મેગા ડિમોલેશન તંત્ર દ્વારા કરવામા આવી રહ્યું છે. દ્વારકા જિલ્લામાં આ કાર્યવાહી થયા બાદ પોરબંદર ખાતે આ કાર્યવાહી કરવામાં આવી હતી.  દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાંથી ગેરકાયદેસર બાંધકામ હટાવાતા સ્થિતિ વણસી છે. બાંધકામ તોડી પડાતા સ્થાનિકો રોષે ભરયા છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેને કારણે 10 ઓક્ટોબર સુધી કલમ 144 લાગૂ કરવામાં આવી છે. 


ભીડ બેકાબુ બનતા પોલીસે છોડ્યા ટીયર-ગેસ

દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કર્યા બાદ પોરબંદર ખાતે આ ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બુલ્ડોઝર ફેરવાતા લઘુમતી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. શહેરના મેમણાવાડા વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરાતા સ્થાનિકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જે બાદ પોલીસે ત્રણથી વધુ ટીયર ગેસ છોડ્યા હતા. 


વધુ પોલીસ કાફલો કરાયો તેનાત

મામલો વધુ ગંભીર બન્યો હતો. જેને લઈ બીજા પોલીસ કાફલાને તેનાત કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત એસઆરપીની ટીમને પણ ત્યાં ગોઠવી દેવામાં આવી છે. આ ઘટનાને શાંત કરવા પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો. પરંતુ સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે ડિમોલેશનની કાર્યવાહી કરવા ગયેલી ટીમ પાછી આવી ગઈ. સ્થિતિ વધુ ન વણસે તે માટે જિલ્લા અધિકારીએ 10 ઓક્ટોબર સુધી કલમ 144 લાગૂ કરી દીધી છે. કીર્તિમંદિર, ઉદ્યોગનગર, રાણાવાવ અને કુતિયાના શહેરમાં કલમ 144 લાગૂ કરવામાં  આવી છે.       




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.