9 દિવસ માટે ખેરગામમાં લાગુ કરાઈ કલમ 144, સરઘસ તેમજ રેલી કાઢવા પર લગાવાયો પ્રતિબંધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 10:13:35

આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને વધારે સમય બાકી ન રહેતા, તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત બની છે. ત્યારે શનિવારના રોજ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો જેને કારણે માહોલ ગરમાયો છે. હુમલામાં અનંત પટેલને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ધારાસભ્ય પર હુમલો થવાને કારણે તેમના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. માહોલ વધારે ઉગ્ર ન બને તે માટે ખેરગામ પોલીસ સ્ટેશન હદમાં અધિક કલેક્ટર દ્વારા 9 દિવસ માટે કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. 


શાંતિ ભંગ ન થાય તે માટે લાગુ કરાઈ કલમ 144

અનંત પટેલ પર થયેલા હુમલાને કારણે રાજનીતિ ગરમાઈ છે. હુમલા થતા તેમના સમર્થકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. હુમલાનો વિરોધ કરવા તેમના સમર્થકોએ પરવાનગી વગર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો. જે બાદ અનેક કોંગ્રેસના નેતાઓને ડિટેઈન કરી દેવામાં આવ્યા હતા. શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સરકારી કાર્યક્રમો, લગ્નનો વરઘોડો, દેવસ્થાને જતા લોકો પર, સ્મશાન યાત્રામાં જતા લોકો પર કલમ 144 લાગુ નહીં થાય.     




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .