9 દિવસ માટે ખેરગામમાં લાગુ કરાઈ કલમ 144, સરઘસ તેમજ રેલી કાઢવા પર લગાવાયો પ્રતિબંધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 10:13:35

આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને વધારે સમય બાકી ન રહેતા, તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત બની છે. ત્યારે શનિવારના રોજ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો જેને કારણે માહોલ ગરમાયો છે. હુમલામાં અનંત પટેલને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ધારાસભ્ય પર હુમલો થવાને કારણે તેમના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. માહોલ વધારે ઉગ્ર ન બને તે માટે ખેરગામ પોલીસ સ્ટેશન હદમાં અધિક કલેક્ટર દ્વારા 9 દિવસ માટે કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. 


શાંતિ ભંગ ન થાય તે માટે લાગુ કરાઈ કલમ 144

અનંત પટેલ પર થયેલા હુમલાને કારણે રાજનીતિ ગરમાઈ છે. હુમલા થતા તેમના સમર્થકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. હુમલાનો વિરોધ કરવા તેમના સમર્થકોએ પરવાનગી વગર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો. જે બાદ અનેક કોંગ્રેસના નેતાઓને ડિટેઈન કરી દેવામાં આવ્યા હતા. શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સરકારી કાર્યક્રમો, લગ્નનો વરઘોડો, દેવસ્થાને જતા લોકો પર, સ્મશાન યાત્રામાં જતા લોકો પર કલમ 144 લાગુ નહીં થાય.     




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.