જોવો ભાજપ આ વખતે શું લાવ્યા દિવાળી ગિફ્ટ ???


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 14:22:56

દિવાળી નજીક આવી રહી છે અને સોશિયલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહયો છે જેમાં “ભારતીય જનતા પાર્ટીનો દિવાળી બોક્ષ” આ બોક્ષમાં સી આર પાટિલ , ભૂપેન્દ્ર પટેલના ફોટો છે અને અંદર દિવાળીમાં ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ છે અંદર દીવો, કંકુ ચોખા , ભાજપ પરિવાર લખેલું તોરણ પણ છે.

 

ભાજપ આ રીતની ગિફ્ટ તેમના કાર્યકરોને આપતા રહ્યા છે અલગ અલગ તહેવારમાં અલગ અલગ વસ્તુઓ હોય છે જેમ કે રક્ષાબંધનમાં રાખડી અને બીજી વસ્તુઓ પણ આપેલી છે

 

એકદમ અનોખી વસ્તુઓ ભાજપ લાવતા હોય છે તેમાંથી આ એક છે આ બોક્ષ ભાજપના કાર્યકર્તાઓને આપવામાં આવશે તેવી સંભાવના છે કાર્યકર્તાને પરિવાર માનવ અને પાર્ટીના સદસ્યો પરિવારનો ભાગ છે એટલે આ પ્રકાર ગિફ્ટ દિવાળી અને નૂતનવર્ષમાં આપવામાં આવશે..   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .