ભાવનગર-ધોલેરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 5ના કમકમાટીભર્યા મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 09:09:22

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર અકસ્માતને પગરે શોર્ટ રૂટ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.


રવિવારે મોડી રાતે ભાવનગર-ધોલેરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર અકસ્માતને પગરે શોર્ટ રૂટ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.


ભાવનગર-ધોલેરા રોડ પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી

મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માત સર્જાયા બાદ હાઈ-વે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને 108ની ટીમ તેમજ પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા

પ્રાપ્ત અહેવાલો અનુસાર ભાવનગર-ધોલેરા શોર્ટ રૂટ પર અઘેલાઈ ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5ના મોત થયા છે. બનાવને પગલે પોલીસ અને સ્થાનિકોની મદદથી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો

મળતી માહિતી પ્રમાણે, પાલિતાણાથી દર્શન કરી અમદાવાદનો પરિવાર પરત જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. તેમાં 10 વર્ષના બાળક, મહિલાઓ સહિત 5ના મોત નીપજ્યા છે. હાલ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"