ભાવનગર-ધોલેરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 5ના કમકમાટીભર્યા મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 09:09:22

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર અકસ્માતને પગરે શોર્ટ રૂટ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.


રવિવારે મોડી રાતે ભાવનગર-ધોલેરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર અકસ્માતને પગરે શોર્ટ રૂટ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.


ભાવનગર-ધોલેરા રોડ પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી

મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માત સર્જાયા બાદ હાઈ-વે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને 108ની ટીમ તેમજ પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા

પ્રાપ્ત અહેવાલો અનુસાર ભાવનગર-ધોલેરા શોર્ટ રૂટ પર અઘેલાઈ ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5ના મોત થયા છે. બનાવને પગલે પોલીસ અને સ્થાનિકોની મદદથી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો

મળતી માહિતી પ્રમાણે, પાલિતાણાથી દર્શન કરી અમદાવાદનો પરિવાર પરત જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. તેમાં 10 વર્ષના બાળક, મહિલાઓ સહિત 5ના મોત નીપજ્યા છે. હાલ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.