ભાવનગર-ધોલેરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 5ના કમકમાટીભર્યા મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 09:09:22

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર અકસ્માતને પગરે શોર્ટ રૂટ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.


રવિવારે મોડી રાતે ભાવનગર-ધોલેરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર અકસ્માતને પગરે શોર્ટ રૂટ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.


ભાવનગર-ધોલેરા રોડ પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી

મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માત સર્જાયા બાદ હાઈ-વે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને 108ની ટીમ તેમજ પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા

પ્રાપ્ત અહેવાલો અનુસાર ભાવનગર-ધોલેરા શોર્ટ રૂટ પર અઘેલાઈ ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5ના મોત થયા છે. બનાવને પગલે પોલીસ અને સ્થાનિકોની મદદથી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો

મળતી માહિતી પ્રમાણે, પાલિતાણાથી દર્શન કરી અમદાવાદનો પરિવાર પરત જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. તેમાં 10 વર્ષના બાળક, મહિલાઓ સહિત 5ના મોત નીપજ્યા છે. હાલ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .