માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટે આપી મોટી રાહત, રાહુલ ગાંધીના જામીન કર્યા મંજૂર, જાણો હવે ક્યારે હાથ ધરાશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-04-03 15:53:06

સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જેને લઈ પુર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે ઉપરાંત દંડ પણ ફટકાર્યો હતો. જે બાદ સુરતની સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી દ્વારા આ મામલે અપીલ કરવામાં આવી હતી. સુરત ખાતે રાહુલ ગાંધી આવ્યા હતા. પ્રિયંકા ગાંધી,અશોક ગેહલોત ઉપરાંત અનેક કોંગ્રેસી નેતાઓ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. આ મામલે આગળની સુનાવણી 3 મેના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે રાહુલ ગાંધીના જામીન 13 એપ્રિલ સુધી લંબાવાયા છે.

   

પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે પહોંચ્યા હતા સુરત

રાહુલ ગાંધીએ 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સરનેમને લઈ એક નિવેદન આપ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે થોડા દિવસો પહેલા સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી ઉપરાંત દંડ પણ ફટકાર્યો હતો. આ સજા બાદ રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ્ કરવામાં આવી હતી. ઉપરાંત સરકારી બંગલો પણ ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી સુરત આવવાના હતા જેને લઈ કોંગ્રેસના નેતાઓ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ સુરત આવ્યા હતા. ઉપરાંત અશોક ગેહલોત પણ સુરત ખાતે ઉપસ્થિત હતા. સ્થાનિક નેતાઓ  ઉપરાંત સુરતમાંદિલ્હીના નેતાઓનો જમાવડો પણ જોવા મળ્યો હતો. 13 એપ્રિલના રોજ આ મામલે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.ગુજરાતના અનેક વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક જગ્યાઓ પર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે.       

  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.