માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટે આપી મોટી રાહત, રાહુલ ગાંધીના જામીન કર્યા મંજૂર, જાણો હવે ક્યારે હાથ ધરાશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-04-03 15:53:06

સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જેને લઈ પુર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે ઉપરાંત દંડ પણ ફટકાર્યો હતો. જે બાદ સુરતની સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી દ્વારા આ મામલે અપીલ કરવામાં આવી હતી. સુરત ખાતે રાહુલ ગાંધી આવ્યા હતા. પ્રિયંકા ગાંધી,અશોક ગેહલોત ઉપરાંત અનેક કોંગ્રેસી નેતાઓ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. આ મામલે આગળની સુનાવણી 3 મેના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે રાહુલ ગાંધીના જામીન 13 એપ્રિલ સુધી લંબાવાયા છે.

   

પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે પહોંચ્યા હતા સુરત

રાહુલ ગાંધીએ 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સરનેમને લઈ એક નિવેદન આપ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે થોડા દિવસો પહેલા સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી ઉપરાંત દંડ પણ ફટકાર્યો હતો. આ સજા બાદ રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ્ કરવામાં આવી હતી. ઉપરાંત સરકારી બંગલો પણ ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી સુરત આવવાના હતા જેને લઈ કોંગ્રેસના નેતાઓ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ સુરત આવ્યા હતા. ઉપરાંત અશોક ગેહલોત પણ સુરત ખાતે ઉપસ્થિત હતા. સ્થાનિક નેતાઓ  ઉપરાંત સુરતમાંદિલ્હીના નેતાઓનો જમાવડો પણ જોવા મળ્યો હતો. 13 એપ્રિલના રોજ આ મામલે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.ગુજરાતના અનેક વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક જગ્યાઓ પર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે.       

  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.