રાજસ્થાનમાં આયોજીત લગ્ન સમારોહમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2022-12-09 15:47:58

રાજસ્થાનમાં એક દુર્ઘટના બની છે જેમાં 5થી વધુ લોકોના મોત થઈ ગયા છે. જોધપુર જિલ્લાના શેરગઢ નજીક ભૂંગરા ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો દાઝી પણ ગયા છે. આ દુ:ખદ ઘટનાની જાણ થતા રાજસ્તાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

આ ઘટનામાં 40થી વધારે લોકો દાઝ્યા 

આજકાલ અનેક એવી ઘટનાઓ બની રહી છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે રાજસ્તાનના જોધપુર જિલ્લાના શેરગઢ નજીક આવેલા ભૂંગરા ગામમાં લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે. ઉપરાંત 40 જેટલા લોકો ઘાયલ થયા છે. અનેક લોકો આગની ઝપેટમાં આવી ગયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

ફાયર બ્રિગેડની અનેક ટીમ ઘટના સ્થળે આવી 

આ ઘટનાની જાણ થતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનામાં આશરે 61 લોકો દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે