રાજસ્થાનમાં આયોજીત લગ્ન સમારોહમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2022-12-09 15:47:58

રાજસ્થાનમાં એક દુર્ઘટના બની છે જેમાં 5થી વધુ લોકોના મોત થઈ ગયા છે. જોધપુર જિલ્લાના શેરગઢ નજીક ભૂંગરા ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો દાઝી પણ ગયા છે. આ દુ:ખદ ઘટનાની જાણ થતા રાજસ્તાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

આ ઘટનામાં 40થી વધારે લોકો દાઝ્યા 

આજકાલ અનેક એવી ઘટનાઓ બની રહી છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે રાજસ્તાનના જોધપુર જિલ્લાના શેરગઢ નજીક આવેલા ભૂંગરા ગામમાં લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે. ઉપરાંત 40 જેટલા લોકો ઘાયલ થયા છે. અનેક લોકો આગની ઝપેટમાં આવી ગયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

ફાયર બ્રિગેડની અનેક ટીમ ઘટના સ્થળે આવી 

આ ઘટનાની જાણ થતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનામાં આશરે 61 લોકો દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.