રાજસ્થાનમાં આયોજીત લગ્ન સમારોહમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2022-12-09 15:47:58

રાજસ્થાનમાં એક દુર્ઘટના બની છે જેમાં 5થી વધુ લોકોના મોત થઈ ગયા છે. જોધપુર જિલ્લાના શેરગઢ નજીક ભૂંગરા ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો દાઝી પણ ગયા છે. આ દુ:ખદ ઘટનાની જાણ થતા રાજસ્તાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

આ ઘટનામાં 40થી વધારે લોકો દાઝ્યા 

આજકાલ અનેક એવી ઘટનાઓ બની રહી છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે રાજસ્તાનના જોધપુર જિલ્લાના શેરગઢ નજીક આવેલા ભૂંગરા ગામમાં લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે. ઉપરાંત 40 જેટલા લોકો ઘાયલ થયા છે. અનેક લોકો આગની ઝપેટમાં આવી ગયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

ફાયર બ્રિગેડની અનેક ટીમ ઘટના સ્થળે આવી 

આ ઘટનાની જાણ થતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનામાં આશરે 61 લોકો દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.