રાજસ્થાનમાં આયોજીત લગ્ન સમારોહમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2022-12-09 15:47:58

રાજસ્થાનમાં એક દુર્ઘટના બની છે જેમાં 5થી વધુ લોકોના મોત થઈ ગયા છે. જોધપુર જિલ્લાના શેરગઢ નજીક ભૂંગરા ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો દાઝી પણ ગયા છે. આ દુ:ખદ ઘટનાની જાણ થતા રાજસ્તાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

આ ઘટનામાં 40થી વધારે લોકો દાઝ્યા 

આજકાલ અનેક એવી ઘટનાઓ બની રહી છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે રાજસ્તાનના જોધપુર જિલ્લાના શેરગઢ નજીક આવેલા ભૂંગરા ગામમાં લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે. ઉપરાંત 40 જેટલા લોકો ઘાયલ થયા છે. અનેક લોકો આગની ઝપેટમાં આવી ગયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

ફાયર બ્રિગેડની અનેક ટીમ ઘટના સ્થળે આવી 

આ ઘટનાની જાણ થતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનામાં આશરે 61 લોકો દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો.  




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.