શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ થઈ રિલીઝ, અનેક થિયેટરો બહાર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત


  • Published By :
  • Published Date : 2023-01-25 11:35:43

અનેક વર્ષો બાદ શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળી રહ્યા છે. શાહરૂખ અને દિપીકાની ફિલ્મ પઠાણ આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. અનેક સ્થળો પર પઠાણનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વિવાદ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. ફસ્ટ ડે ફસ્ટ શોમાં અનેક દર્શકો પહોંચ્યા હતા. 


અનેક દેશોમાં રિલીઝ થઈ પઠાણ ફિલ્મ 

ભારત સહિત  દુનિયાના 100થી વધુ દેશોમાં પઠાણ ફિલ્મ એકસાથે રિલીઝ થઈ છે. અનેક વર્ષો બાદ શાહરુખ ખાન કમબેક કરી રહ્યા છે જેને લઈ તેમના ફેન્સ પણ ઉત્સાહીત છે. અનેક દેશોમાં ફિલ્મને લઈ એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ પ્રથમ દિવસે ધુમકમાણી કરી શકે છે.  


પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મ થઈ રિલીઝ 

શાહરૂખ અને દિપીકાની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મને લઈ વિવાદ શરૂ થઈ ગયો હતો. અનેક જગ્યાઓ પર ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધમાં ફિલ્મના પોસ્ટરને બાળી નાખવામાં આવ્યા હતા તો કોઈક જગ્યા પર તોડફોડ કરવામાં આવી હતી. રિલીઝ થયાના દિવસે કોઈ વિવાદ ન થાય તે માટે અનેક મલ્ટીપ્લેક્ષો બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. 


શાહરૂખના ફેન્સમાં અનેરો ઉત્સાહ 

શાહરુખ ખાનની ફિલ્મ રિલીઝ થતા જ તેમના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ ચાહકો શાહરૂખ ખાનની ફિલ્મ જોવા આવી રહ્યા છે. થિયેટરો બહાર શાહરૂખ ખાનના ફેન્સે શાહરૂખના પાત્રના ફોટોવાળી કેક કાપીને ફિલ્મની ઉજવણી કરી હતી.    






પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.