શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ થઈ રિલીઝ, અનેક થિયેટરો બહાર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત


  • Published By :
  • Published Date : 2023-01-25 11:35:43

અનેક વર્ષો બાદ શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળી રહ્યા છે. શાહરૂખ અને દિપીકાની ફિલ્મ પઠાણ આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. અનેક સ્થળો પર પઠાણનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વિવાદ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. ફસ્ટ ડે ફસ્ટ શોમાં અનેક દર્શકો પહોંચ્યા હતા. 


અનેક દેશોમાં રિલીઝ થઈ પઠાણ ફિલ્મ 

ભારત સહિત  દુનિયાના 100થી વધુ દેશોમાં પઠાણ ફિલ્મ એકસાથે રિલીઝ થઈ છે. અનેક વર્ષો બાદ શાહરુખ ખાન કમબેક કરી રહ્યા છે જેને લઈ તેમના ફેન્સ પણ ઉત્સાહીત છે. અનેક દેશોમાં ફિલ્મને લઈ એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ પ્રથમ દિવસે ધુમકમાણી કરી શકે છે.  


પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મ થઈ રિલીઝ 

શાહરૂખ અને દિપીકાની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મને લઈ વિવાદ શરૂ થઈ ગયો હતો. અનેક જગ્યાઓ પર ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધમાં ફિલ્મના પોસ્ટરને બાળી નાખવામાં આવ્યા હતા તો કોઈક જગ્યા પર તોડફોડ કરવામાં આવી હતી. રિલીઝ થયાના દિવસે કોઈ વિવાદ ન થાય તે માટે અનેક મલ્ટીપ્લેક્ષો બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. 


શાહરૂખના ફેન્સમાં અનેરો ઉત્સાહ 

શાહરુખ ખાનની ફિલ્મ રિલીઝ થતા જ તેમના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ ચાહકો શાહરૂખ ખાનની ફિલ્મ જોવા આવી રહ્યા છે. થિયેટરો બહાર શાહરૂખ ખાનના ફેન્સે શાહરૂખના પાત્રના ફોટોવાળી કેક કાપીને ફિલ્મની ઉજવણી કરી હતી.    






ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.