શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ થઈ રિલીઝ, અનેક થિયેટરો બહાર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત


  • Published By :
  • Published Date : 2023-01-25 11:35:43

અનેક વર્ષો બાદ શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળી રહ્યા છે. શાહરૂખ અને દિપીકાની ફિલ્મ પઠાણ આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. અનેક સ્થળો પર પઠાણનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વિવાદ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. ફસ્ટ ડે ફસ્ટ શોમાં અનેક દર્શકો પહોંચ્યા હતા. 


અનેક દેશોમાં રિલીઝ થઈ પઠાણ ફિલ્મ 

ભારત સહિત  દુનિયાના 100થી વધુ દેશોમાં પઠાણ ફિલ્મ એકસાથે રિલીઝ થઈ છે. અનેક વર્ષો બાદ શાહરુખ ખાન કમબેક કરી રહ્યા છે જેને લઈ તેમના ફેન્સ પણ ઉત્સાહીત છે. અનેક દેશોમાં ફિલ્મને લઈ એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ પ્રથમ દિવસે ધુમકમાણી કરી શકે છે.  


પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મ થઈ રિલીઝ 

શાહરૂખ અને દિપીકાની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મને લઈ વિવાદ શરૂ થઈ ગયો હતો. અનેક જગ્યાઓ પર ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધમાં ફિલ્મના પોસ્ટરને બાળી નાખવામાં આવ્યા હતા તો કોઈક જગ્યા પર તોડફોડ કરવામાં આવી હતી. રિલીઝ થયાના દિવસે કોઈ વિવાદ ન થાય તે માટે અનેક મલ્ટીપ્લેક્ષો બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. 


શાહરૂખના ફેન્સમાં અનેરો ઉત્સાહ 

શાહરુખ ખાનની ફિલ્મ રિલીઝ થતા જ તેમના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ ચાહકો શાહરૂખ ખાનની ફિલ્મ જોવા આવી રહ્યા છે. થિયેટરો બહાર શાહરૂખ ખાનના ફેન્સે શાહરૂખના પાત્રના ફોટોવાળી કેક કાપીને ફિલ્મની ઉજવણી કરી હતી.    






ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.