શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ થઈ રિલીઝ, અનેક થિયેટરો બહાર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત


  • Published By :
  • Published Date : 2023-01-25 11:35:43

અનેક વર્ષો બાદ શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળી રહ્યા છે. શાહરૂખ અને દિપીકાની ફિલ્મ પઠાણ આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. અનેક સ્થળો પર પઠાણનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વિવાદ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. ફસ્ટ ડે ફસ્ટ શોમાં અનેક દર્શકો પહોંચ્યા હતા. 


અનેક દેશોમાં રિલીઝ થઈ પઠાણ ફિલ્મ 

ભારત સહિત  દુનિયાના 100થી વધુ દેશોમાં પઠાણ ફિલ્મ એકસાથે રિલીઝ થઈ છે. અનેક વર્ષો બાદ શાહરુખ ખાન કમબેક કરી રહ્યા છે જેને લઈ તેમના ફેન્સ પણ ઉત્સાહીત છે. અનેક દેશોમાં ફિલ્મને લઈ એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ પ્રથમ દિવસે ધુમકમાણી કરી શકે છે.  


પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મ થઈ રિલીઝ 

શાહરૂખ અને દિપીકાની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મને લઈ વિવાદ શરૂ થઈ ગયો હતો. અનેક જગ્યાઓ પર ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધમાં ફિલ્મના પોસ્ટરને બાળી નાખવામાં આવ્યા હતા તો કોઈક જગ્યા પર તોડફોડ કરવામાં આવી હતી. રિલીઝ થયાના દિવસે કોઈ વિવાદ ન થાય તે માટે અનેક મલ્ટીપ્લેક્ષો બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. 


શાહરૂખના ફેન્સમાં અનેરો ઉત્સાહ 

શાહરુખ ખાનની ફિલ્મ રિલીઝ થતા જ તેમના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ ચાહકો શાહરૂખ ખાનની ફિલ્મ જોવા આવી રહ્યા છે. થિયેટરો બહાર શાહરૂખ ખાનના ફેન્સે શાહરૂખના પાત્રના ફોટોવાળી કેક કાપીને ફિલ્મની ઉજવણી કરી હતી.    






પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.