ઈદ નિમિત્તે શાહરૂખ અને સલમાનના ઘર બહાર ઉમટ્યા હજારો ચાહકો, બંને અભિનેતાએ પણ ફેન્સનું કર્યું અભિવાદન


  • Published By :
  • Published Date : 2023-04-22 21:10:06

ભારત સહિત દુનિયાભરમાં આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ આજે પણ બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનને ચાહકોએ શુભેચ્છા પાઠવી હતી.  શાહરૂખ ખાન અને સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા હતા. સલમાન ખાને ગેલેક્સી એપાર્ટમેન્ટ તથા કિંગ ખાને તેના ઘર મન્નતની બાલ્કનીમાં આવીને ચાહકોને શુભકામના પાઠવી હતી. 


હજારોની સંખ્યામાં ચાહકો ઉમટ્યા


ઈદ ઉલ ફિત્રના ખાસ અવસર પર હજારો ચાહકો સવારથી કિંગ ખાનના ઘરની બહાર ઉમટ્યા હતા. ઈદના અવસર પર શાહરૂખ હંમેશાં તેના ફેન્સને મળવા માટે તેના ઘરની બહાર આવે છે. તેની એક ઝલક જોવા માટે સવારથી જ અહીં ચાહકો એકઠા થયા હતા. કિંગ ખાનને જોઈને તેના ફેન્સ ખુશીથી ઊછળી પડ્યા હતા. આ જ પ્રકારે સલમાન ખાને પણ તેના ઘરની બાલ્કનીમાંથી ચાહકોનું હાથ હલાવીને અભિવાદન કર્યુ હતું.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.