ઈદ નિમિત્તે શાહરૂખ અને સલમાનના ઘર બહાર ઉમટ્યા હજારો ચાહકો, બંને અભિનેતાએ પણ ફેન્સનું કર્યું અભિવાદન


  • Published By :
  • Published Date : 2023-04-22 21:10:06

ભારત સહિત દુનિયાભરમાં આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ આજે પણ બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનને ચાહકોએ શુભેચ્છા પાઠવી હતી.  શાહરૂખ ખાન અને સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા હતા. સલમાન ખાને ગેલેક્સી એપાર્ટમેન્ટ તથા કિંગ ખાને તેના ઘર મન્નતની બાલ્કનીમાં આવીને ચાહકોને શુભકામના પાઠવી હતી. 


હજારોની સંખ્યામાં ચાહકો ઉમટ્યા


ઈદ ઉલ ફિત્રના ખાસ અવસર પર હજારો ચાહકો સવારથી કિંગ ખાનના ઘરની બહાર ઉમટ્યા હતા. ઈદના અવસર પર શાહરૂખ હંમેશાં તેના ફેન્સને મળવા માટે તેના ઘરની બહાર આવે છે. તેની એક ઝલક જોવા માટે સવારથી જ અહીં ચાહકો એકઠા થયા હતા. કિંગ ખાનને જોઈને તેના ફેન્સ ખુશીથી ઊછળી પડ્યા હતા. આ જ પ્રકારે સલમાન ખાને પણ તેના ઘરની બાલ્કનીમાંથી ચાહકોનું હાથ હલાવીને અભિવાદન કર્યુ હતું.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.