ઈદ નિમિત્તે શાહરૂખ અને સલમાનના ઘર બહાર ઉમટ્યા હજારો ચાહકો, બંને અભિનેતાએ પણ ફેન્સનું કર્યું અભિવાદન


  • Published By :
  • Published Date : 2023-04-22 21:10:06

ભારત સહિત દુનિયાભરમાં આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ આજે પણ બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનને ચાહકોએ શુભેચ્છા પાઠવી હતી.  શાહરૂખ ખાન અને સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા હતા. સલમાન ખાને ગેલેક્સી એપાર્ટમેન્ટ તથા કિંગ ખાને તેના ઘર મન્નતની બાલ્કનીમાં આવીને ચાહકોને શુભકામના પાઠવી હતી. 


હજારોની સંખ્યામાં ચાહકો ઉમટ્યા


ઈદ ઉલ ફિત્રના ખાસ અવસર પર હજારો ચાહકો સવારથી કિંગ ખાનના ઘરની બહાર ઉમટ્યા હતા. ઈદના અવસર પર શાહરૂખ હંમેશાં તેના ફેન્સને મળવા માટે તેના ઘરની બહાર આવે છે. તેની એક ઝલક જોવા માટે સવારથી જ અહીં ચાહકો એકઠા થયા હતા. કિંગ ખાનને જોઈને તેના ફેન્સ ખુશીથી ઊછળી પડ્યા હતા. આ જ પ્રકારે સલમાન ખાને પણ તેના ઘરની બાલ્કનીમાંથી ચાહકોનું હાથ હલાવીને અભિવાદન કર્યુ હતું.



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો