ધૂમ મચાવશે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ!! વિદેશમાં હમણાંથી શરૂ થયું એડવાન્સ બુકિંગ


  • Published By :
  • Published Date : 2023-01-16 16:02:33

ભારતના અનેક રાજ્યોમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.થોડા સમય પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. ટ્રેલરને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ બીજા અનેક દેશોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને જોવા અત્યારથી જ એડવાન્સ બુકિંગ કરાવામાં આવી રહ્યું છે. ભારતમાં એડવાન્સ બુકિંગ શરૂ નથી થયું. બુકિંગ જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ સુપરહિટ હશે.   

 

વિશ્વના અનેક દેશોમાં રિલીઝ થશે ફિલ્મ  

અંદાજીત ચાર વર્ષ બાદ શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળશે. પઠાણ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો છે. 25 જાન્યુઆરીના રોજ પઠાણ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પરંતુ અનેક લોકો દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પઠાણ ફિલ્મ અનેક દેશોમાં રિલીઝ થવાની છે.


ફિલ્મનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે શરૂ 

વિદેશમાં પઠાણ ફિલ્મને જોવા દર્શકો ઉત્સુક લાગી રહ્યા છે. ફિલ્મ 25 તારીખે રિલીઝ થવાની છે પરંતુ તે પહેલા જ વિદેશમાં દર્શકોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. બુકિંગને જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મની ઓપનિંગ ધમાકેદાર થવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે KGFફિલ્મનું એડવાન્સ બુકિંગના રેકોર્ડ જ તૂટી શકે છે. આ ફિલ્મનું બુકિંગ 1.32 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.    




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.