ધૂમ મચાવશે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ!! વિદેશમાં હમણાંથી શરૂ થયું એડવાન્સ બુકિંગ


  • Published By :
  • Published Date : 2023-01-16 16:02:33

ભારતના અનેક રાજ્યોમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.થોડા સમય પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. ટ્રેલરને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ બીજા અનેક દેશોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને જોવા અત્યારથી જ એડવાન્સ બુકિંગ કરાવામાં આવી રહ્યું છે. ભારતમાં એડવાન્સ બુકિંગ શરૂ નથી થયું. બુકિંગ જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ સુપરહિટ હશે.   

 

વિશ્વના અનેક દેશોમાં રિલીઝ થશે ફિલ્મ  

અંદાજીત ચાર વર્ષ બાદ શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળશે. પઠાણ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો છે. 25 જાન્યુઆરીના રોજ પઠાણ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પરંતુ અનેક લોકો દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પઠાણ ફિલ્મ અનેક દેશોમાં રિલીઝ થવાની છે.


ફિલ્મનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે શરૂ 

વિદેશમાં પઠાણ ફિલ્મને જોવા દર્શકો ઉત્સુક લાગી રહ્યા છે. ફિલ્મ 25 તારીખે રિલીઝ થવાની છે પરંતુ તે પહેલા જ વિદેશમાં દર્શકોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. બુકિંગને જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મની ઓપનિંગ ધમાકેદાર થવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે KGFફિલ્મનું એડવાન્સ બુકિંગના રેકોર્ડ જ તૂટી શકે છે. આ ફિલ્મનું બુકિંગ 1.32 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.    




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.