ધૂમ મચાવશે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ!! વિદેશમાં હમણાંથી શરૂ થયું એડવાન્સ બુકિંગ


  • Published By :
  • Published Date : 2023-01-16 16:02:33

ભારતના અનેક રાજ્યોમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.થોડા સમય પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. ટ્રેલરને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ બીજા અનેક દેશોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને જોવા અત્યારથી જ એડવાન્સ બુકિંગ કરાવામાં આવી રહ્યું છે. ભારતમાં એડવાન્સ બુકિંગ શરૂ નથી થયું. બુકિંગ જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ સુપરહિટ હશે.   

 

વિશ્વના અનેક દેશોમાં રિલીઝ થશે ફિલ્મ  

અંદાજીત ચાર વર્ષ બાદ શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળશે. પઠાણ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો છે. 25 જાન્યુઆરીના રોજ પઠાણ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પરંતુ અનેક લોકો દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પઠાણ ફિલ્મ અનેક દેશોમાં રિલીઝ થવાની છે.


ફિલ્મનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે શરૂ 

વિદેશમાં પઠાણ ફિલ્મને જોવા દર્શકો ઉત્સુક લાગી રહ્યા છે. ફિલ્મ 25 તારીખે રિલીઝ થવાની છે પરંતુ તે પહેલા જ વિદેશમાં દર્શકોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. બુકિંગને જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મની ઓપનિંગ ધમાકેદાર થવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે KGFફિલ્મનું એડવાન્સ બુકિંગના રેકોર્ડ જ તૂટી શકે છે. આ ફિલ્મનું બુકિંગ 1.32 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.    




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.