ધૂમ મચાવશે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ!! વિદેશમાં હમણાંથી શરૂ થયું એડવાન્સ બુકિંગ


  • Published By :
  • Published Date : 2023-01-16 16:02:33

ભારતના અનેક રાજ્યોમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.થોડા સમય પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. ટ્રેલરને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ બીજા અનેક દેશોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને જોવા અત્યારથી જ એડવાન્સ બુકિંગ કરાવામાં આવી રહ્યું છે. ભારતમાં એડવાન્સ બુકિંગ શરૂ નથી થયું. બુકિંગ જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ સુપરહિટ હશે.   

 

વિશ્વના અનેક દેશોમાં રિલીઝ થશે ફિલ્મ  

અંદાજીત ચાર વર્ષ બાદ શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળશે. પઠાણ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો છે. 25 જાન્યુઆરીના રોજ પઠાણ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પરંતુ અનેક લોકો દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પઠાણ ફિલ્મ અનેક દેશોમાં રિલીઝ થવાની છે.


ફિલ્મનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે શરૂ 

વિદેશમાં પઠાણ ફિલ્મને જોવા દર્શકો ઉત્સુક લાગી રહ્યા છે. ફિલ્મ 25 તારીખે રિલીઝ થવાની છે પરંતુ તે પહેલા જ વિદેશમાં દર્શકોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. બુકિંગને જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મની ઓપનિંગ ધમાકેદાર થવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે KGFફિલ્મનું એડવાન્સ બુકિંગના રેકોર્ડ જ તૂટી શકે છે. આ ફિલ્મનું બુકિંગ 1.32 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.    




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી