Shaktisinh Gohilએ જણાવ્યું Gujaratમાં Congressને કેટલી સીટો મળશે? તો આ તરફ અર્જુન મોઢવાડિયાએ બીજેપીની જીતને લઈ કરી આ વાત..


  • Published By :
  • Published Date : 2024-05-22 14:57:50

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. બે તબક્કા માટે મતદાન થવાનું છે. ચોથી જૂનની રાહ તમામ લોકો જોઈ રહ્યા છે કારણ કે આ તારીખે પરિણામ આવવાનું છે.. કોણ કેટલી બેઠકો જીતશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે રે ગુજરાતની 26એ 26 બેઠકો પર ભાજપની જીત થશે તો કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ વખતે અનેક બેઠકો કોંગ્રેસને મળવાની છે. આ બધા વચ્ચે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ મામલે કહ્યું કે ચાર બેઠકો ગુજરાતમાં કોંગ્રેસ જીતી રહી છે..

પરિણામ પર સૌ કોઈની નજર... 

ગુજરાતમાં ઉમેદવારો વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોએ ટફ ફાઈટ આપી છે. આ વખતે લોકસભામાં ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે કાંટની ટક્કર થવાની છે.. કઈ પાર્ટી કેટલી સીટો જીતે છે તેની પર સૌ કોઈની નજર છે... અનેક વખત તમે સાંભળ્યું હશે કે જેમાં ઉમેદવારો એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસ 14 જેટલી સીટો પર જીત હાંસલ કરી રહી છે. 



શું કહ્યું શક્તિસિંહ ગોહિલે? 

આ બધા વચ્ચે ભાવનગરમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સંગઠનનું સંમેલન યોજાયું, ત્યાં શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે કે  આ વખતે 4 કે, તેથી વધુ બેઠકો કોંગ્રેસના ફાળે આવશે. જો કે એ ચાર બેઠકો કઈ હશે તેના વિશે કોઈ વાત નથી કરી. માત્ર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે... મહત્વનું છે કે આ વખતે ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ફાઈટ હતી.. શક્તિસિંહ ગોહિલના નિવેદન પ્રમાણે જોઈએ તો આ વખતે ગુજરાતમાં 26-0 જેવી સ્થિતિ નહીં સર્જાય. 


અર્જુન મોઢવાડિયાએ કરી ટ્વિટ અને લખ્યું... 

આ તરફ શક્તિસિંહ ગોહિલે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો તો બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયાએ પણ ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ X પર તેમણે લખ્યું કે ગુજરાતમાં 5-6 બેઠકોને લઈને સ્થાપિત હિતો દ્વારા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, ભાજપે 1 બેઠક જીતી છે અને બાકીની 25 બેઠકો પર પણ જીત નિશ્ચિત છે. ભાજપ સતત ત્રીજી વખત રાજ્યમાં ક્લીન સ્વીપ કરવા જઈ રહ્યું છે. તે સિવાય ભાજપના અનેક નેતાઓ, ઉમેદવારો દ્વારા જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે ચોથી જૂને આવનારૂં પરિણામ કોની તરફેણમાં હોય છે.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.