Shaktisinh Gohilએ જણાવ્યું Gujaratમાં Congressને કેટલી સીટો મળશે? તો આ તરફ અર્જુન મોઢવાડિયાએ બીજેપીની જીતને લઈ કરી આ વાત..


  • Published By :
  • Published Date : 2024-05-22 14:57:50

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. બે તબક્કા માટે મતદાન થવાનું છે. ચોથી જૂનની રાહ તમામ લોકો જોઈ રહ્યા છે કારણ કે આ તારીખે પરિણામ આવવાનું છે.. કોણ કેટલી બેઠકો જીતશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે રે ગુજરાતની 26એ 26 બેઠકો પર ભાજપની જીત થશે તો કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ વખતે અનેક બેઠકો કોંગ્રેસને મળવાની છે. આ બધા વચ્ચે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ મામલે કહ્યું કે ચાર બેઠકો ગુજરાતમાં કોંગ્રેસ જીતી રહી છે..

પરિણામ પર સૌ કોઈની નજર... 

ગુજરાતમાં ઉમેદવારો વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોએ ટફ ફાઈટ આપી છે. આ વખતે લોકસભામાં ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે કાંટની ટક્કર થવાની છે.. કઈ પાર્ટી કેટલી સીટો જીતે છે તેની પર સૌ કોઈની નજર છે... અનેક વખત તમે સાંભળ્યું હશે કે જેમાં ઉમેદવારો એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસ 14 જેટલી સીટો પર જીત હાંસલ કરી રહી છે. 



શું કહ્યું શક્તિસિંહ ગોહિલે? 

આ બધા વચ્ચે ભાવનગરમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સંગઠનનું સંમેલન યોજાયું, ત્યાં શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે કે  આ વખતે 4 કે, તેથી વધુ બેઠકો કોંગ્રેસના ફાળે આવશે. જો કે એ ચાર બેઠકો કઈ હશે તેના વિશે કોઈ વાત નથી કરી. માત્ર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે... મહત્વનું છે કે આ વખતે ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ફાઈટ હતી.. શક્તિસિંહ ગોહિલના નિવેદન પ્રમાણે જોઈએ તો આ વખતે ગુજરાતમાં 26-0 જેવી સ્થિતિ નહીં સર્જાય. 


અર્જુન મોઢવાડિયાએ કરી ટ્વિટ અને લખ્યું... 

આ તરફ શક્તિસિંહ ગોહિલે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો તો બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયાએ પણ ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ X પર તેમણે લખ્યું કે ગુજરાતમાં 5-6 બેઠકોને લઈને સ્થાપિત હિતો દ્વારા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, ભાજપે 1 બેઠક જીતી છે અને બાકીની 25 બેઠકો પર પણ જીત નિશ્ચિત છે. ભાજપ સતત ત્રીજી વખત રાજ્યમાં ક્લીન સ્વીપ કરવા જઈ રહ્યું છે. તે સિવાય ભાજપના અનેક નેતાઓ, ઉમેદવારો દ્વારા જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે ચોથી જૂને આવનારૂં પરિણામ કોની તરફેણમાં હોય છે.. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે