પરષોત્તમ રૂપાલા-ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર બોલ્યા Shaktisinh Gohil!કહ્યું કે કોઇ ભૂલ કરે અને પછી પસ્તાવા સાથે.. સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-04-16 12:50:35

રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ યાદ આવે.. ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલી ટિપ્પણ બાદ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો. ગઈકાલે ગાંધીનગર ખાતે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે.. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલાના વિવાદને લઈ, પરષોત્તમ રૂપાલાની માફીને લઈ વાત કરી છે..

શક્તિસિંહ ગોહિલે પરષોત્તમ રૂપાલા વિવાદને લઈ આપી પ્રતિક્રિયા...  

ગુજરાતની 26 લોકસાભા બેઠકો માટે તબક્કાવાર ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આજે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતા વિવાદમાં પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માગી પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે. આ બધા વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પરષોત્તમ રૂપાલાના ચાલતા વિવાદને લઈ પ્રતિક્રિયા આપી છે. 


જો દિલથી કોઈ માફી માગે તો તેને.. - શક્તિસિંહ ગોહિલ 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિક્રિયા શેર કરી છે...  વીડિયો શેર કરતા તેમણે લખ્યું છે કે કોઇ ભૂલ કરે અને પછી પસ્તાવા સાથે દિલથી (રૂપાલાની જેમ નહીં ) માફી માંગે તો તેને કોઇ પણ માફ કરે પરંતુ કોઇ ગુન્હો કરે અને પછી પણ અહંકારથી માફીનુ નાટક કરે તેને કદી કોઇ માફ ના કરી શકે . કોઇ પણ રાજકિય પક્ષ પોતાના અહંકારથી ચાલે અને જ્યારે સમય વીતી જાય તથા સઘળું પડી જશે તેમ લાગે ત્યારે આંખ ઉઘાડે તેને પણ કોઇ માફ ના કરે . મહત્વનું છે કે ગઈકાલે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી મોડી રાત્રે... આ બધા વચ્ચે આજે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે... 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.