પરષોત્તમ રૂપાલા-ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર બોલ્યા Shaktisinh Gohil!કહ્યું કે કોઇ ભૂલ કરે અને પછી પસ્તાવા સાથે.. સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-04-16 12:50:35

રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ યાદ આવે.. ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલી ટિપ્પણ બાદ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો. ગઈકાલે ગાંધીનગર ખાતે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે.. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલાના વિવાદને લઈ, પરષોત્તમ રૂપાલાની માફીને લઈ વાત કરી છે..

શક્તિસિંહ ગોહિલે પરષોત્તમ રૂપાલા વિવાદને લઈ આપી પ્રતિક્રિયા...  

ગુજરાતની 26 લોકસાભા બેઠકો માટે તબક્કાવાર ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આજે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતા વિવાદમાં પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માગી પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે. આ બધા વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પરષોત્તમ રૂપાલાના ચાલતા વિવાદને લઈ પ્રતિક્રિયા આપી છે. 


જો દિલથી કોઈ માફી માગે તો તેને.. - શક્તિસિંહ ગોહિલ 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિક્રિયા શેર કરી છે...  વીડિયો શેર કરતા તેમણે લખ્યું છે કે કોઇ ભૂલ કરે અને પછી પસ્તાવા સાથે દિલથી (રૂપાલાની જેમ નહીં ) માફી માંગે તો તેને કોઇ પણ માફ કરે પરંતુ કોઇ ગુન્હો કરે અને પછી પણ અહંકારથી માફીનુ નાટક કરે તેને કદી કોઇ માફ ના કરી શકે . કોઇ પણ રાજકિય પક્ષ પોતાના અહંકારથી ચાલે અને જ્યારે સમય વીતી જાય તથા સઘળું પડી જશે તેમ લાગે ત્યારે આંખ ઉઘાડે તેને પણ કોઇ માફ ના કરે . મહત્વનું છે કે ગઈકાલે ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી મોડી રાત્રે... આ બધા વચ્ચે આજે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.