શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ 99 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 21:17:59


દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની વયે સ્વર્ગવાસ થયો છે. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં અંતિમ શ્વાસ લીધા હતા. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ લાંબી બીમારી બાદ આજે બપોરે ચાર વાગ્યા નજીક હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર બાદ તેમનું નિધન થયું હતું.  


અનેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી 

ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાએ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.   


આવતીકાલે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધી અપાશે 

આવતીકાલે સાંજે પાંચ કલાકે પરમહંસી ગંગા આશ્રમ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના અંતિમ સંસ્કાર થશે. લાંબી બીમારીના ચાલતા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની સાવરાવર બેંગલોર ખાતે કરવામાં આવી રહી હતી. 


કોણ હતા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી?

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીએ નાની ઉમરે ગૃહત્યાગ કરી ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. તેમણે અનેક શાસ્ત્રોનું જ્ઞાન ગ્રહણ કર્યું હતું. તેઓએ અંગ્રેજો સામે આઝાદી માટે પણ લડત આપી હતી. 1981માં શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી શંકરાચાર્ય બન્યા હતા.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .