શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ 99 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 21:17:59


દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું 99 વર્ષની વયે સ્વર્ગવાસ થયો છે. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં અંતિમ શ્વાસ લીધા હતા. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ લાંબી બીમારી બાદ આજે બપોરે ચાર વાગ્યા નજીક હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર બાદ તેમનું નિધન થયું હતું.  


અનેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી 

ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાએ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.   


આવતીકાલે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધી અપાશે 

આવતીકાલે સાંજે પાંચ કલાકે પરમહંસી ગંગા આશ્રમ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના અંતિમ સંસ્કાર થશે. લાંબી બીમારીના ચાલતા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની સાવરાવર બેંગલોર ખાતે કરવામાં આવી રહી હતી. 


કોણ હતા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી?

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીએ નાની ઉમરે ગૃહત્યાગ કરી ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. તેમણે અનેક શાસ્ત્રોનું જ્ઞાન ગ્રહણ કર્યું હતું. તેઓએ અંગ્રેજો સામે આઝાદી માટે પણ લડત આપી હતી. 1981માં શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી શંકરાચાર્ય બન્યા હતા.  




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .