12 દર્દીઓની આંખની રોશની છીનવી લેનારી અમરેલીની શાંતાબા હોસ્પિટલને 5 કરોડનો દંડ


  • Published By :
  • Published Date : 2023-07-25 22:29:58

અમરેલીની શાંતાબા ગજેરા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીથી 12 દર્દીઓએ આંખની રોશની ગુમાવી હતી. આ ભયાનક લાપરવાહીના સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. જો કે હવે આ મામલે ગુજરાત સરકારે આકરૂ વલણ અપનાવતા હોસ્પિટલને આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ રૂ. 5 કરોડનો દંડ ફટકાર્યો છે.આ સાથે જ સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને 10 લાખ રુપિયા અને અંશત: દ્રષ્ટિ ગુમાવનારને પાંચ લાખ અને આ બેદરકારીનો ભોગ બનેલા અને સઘન સારવારના અંતે દ્રષ્ટિ પાછી મેળવી હોય તેવા દર્દીને રૂ. 2 લાખ  વળતર ચૂકવવા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે. આ ઘટનાની તપાસ માટે ઈન્ક્વાયરી કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. ત્યારબાદ સરકારે હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.


5 કરોડની ગ્રાન્ટ દંડ પેટે કપાશે


આ મામલે તપાસ કરવા રાજ્ય સરકારે નિષ્ણાતોની સમિતિની રચના થઈ હતી. તપાસ સમિતિના અહેવાલમાં પણ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી. ઈન્ફેક્શન કંટ્રોલ પોલિસી અંતર્ગત યોગ્ય પગલા પણ લેવાયા ન હતા.આ ઘટનાક્રમમાં સામેલ તબીબોની સામે મેડીકલ કાઉન્સીલ પણ પગલા ભરશે. ઉપરાંત હોસ્પિટલ ટ્રસ્ટ સાથે સંકળાયેલી હોવાથી ચેરીટી કમિશ્નર પણ કાર્યવાહી કરશે. શાંતાબા મેડીકલ કોલેજને રાજ્ય સરકાર તરફ મળવા પાત્ર ગ્રાન્ટમાંથી 5 કરોડની ગ્રાન્ટ પણ દંડ પેટે કાપી લેવામાં આવશે.


શું હતી સમગ્ર ઘટના?


અમરેલીની શાંતાબા ગજેરા મેડિકલ કોલેજમાં ગત 16થી 22 નવેમ્બર 2023 દરમિયાન 20 કરતાં વધુ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરાયા હતા. જેમાં આજે 17 જેટલા દર્દીઓની આંખોમાં ગંભીર પ્રકારની નુકસાની સામે આવી હતી.જેમાંથી 12 દર્દીઓને બેક્ટેરિયા ઇન્ફેક્શન લાગુ પડ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું હતું. બે દર્દીઓ હવે સંપૂર્ણપણે સાજા થયા જ્યારે 6 દર્દીઓને MNJ હોસ્પિટલમાં, 2 અમદાવાદની નગરી હોસ્પિટલ અને 6 દર્દીઓને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડીને સારવાર શરૂ કરવામાં આવી હતી.. પ્રાથમિક તપાસમાં મોનારક બેક્ટેરિયા હોવાનું જાણવામાં આવ્યું હતું.ત્યારે આ મામલાની આરોગ્યવિભાગની તપાસ બાદ શાંતાબા હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.