'ધર્મ પરિવર્તનનો દાવો સાબિત કરો અને 1 કરોડ જીતો'-'ધ કેરાલા સ્ટોરી' મુદ્દે શશિ થરૂરે કર્યું ટ્વિટ


  • Published By :
  • Published Date : 2023-05-01 22:18:49

ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ વિવાદ શરૂ થઈ ગયો છે. જ્યાં કેરળની ડાબેરી સરકારે આ ફિલ્મને સંઘ અને બીજેપીનો પ્રચાર ગણાવ્યો છે ત્યાં કોંગ્રેસ પણ ટ્રેલર રિલીઝ થયા બાદથી સતત પ્રતિક્રિયા આપી રહી છે. આ મામલે તાજેતરમાં જ કોંગ્રેસના નેતા શશિ થરૂરે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક પોસ્ટ શેર કરતા કોંગ્રેસના નેતાએ લખ્યું કે આ તમારા કેરળની વાર્તા હોઈ શકે છે, પણ આ અમારા કેરળની વાર્તા નથી. જો કે હવે શશિ થરૂરે આ ફિલ્મને લઈને વધુ એક ટ્વિટ કર્યું છે. તેમણે આ ફિલ્મને લઈને એક ચેલેન્જ આપી છે.


શશિ થરૂરે ટ્વિટ કરી આપી ચેલેન્જ 


કોંગ્રેસના નેતા શશિ થરૂરે ટ્વીટ કરતા કહ્યું કે ' માત્ર કેરળમાં જ 32,000 મહિલાઓના કથિત ધર્મ પરિવર્તનનો પ્રચાર કરનારાઓ માટે તેમનો દાવો સાબિત કરવા અને કેટલાક પૈસા કમાવવાની તક છે. શું તે ચેલેન્જ સ્વીકારવા તૈયાર થશે કે પછી કોઈ પુરાવા જ નથી કેમ કે કોઈ પુરાવા છે જ નહીં?


થરૂરની આ પોસ્ટ થઈ વાયરલ


આ સાથે જ થરૂરે એક પોસ્ટ પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે 'કેરળમાં 32000 મહિલાઓએ ઈસ્લામ સ્વીકાર્યો, આ દાવાને સાબિત કરવા માટે પુરાવા રજુ કરો અને એક કરોડ રૂપિયા લઈ જાઓ'.શશિ થરૂરે પોસ્ટમાં 'Not a Kerala story' હેશટેગ આપ્યું છે. શશિ થરૂરની આ પોસ્ટ અનુસાર, જે લોકો ચેલેન્જ સ્વીકારીને એક કરોડ રૂપિયાનું ઇનામ જીતવા માગે છે તેઓ 4 મેના રોજ કેરળના દરેક જિલ્લામાં રાખવામાં આવેલા કાઉન્ટર પર પુરાવા જમા કરી શકે છે. શશિ થરૂરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.