'ધર્મ પરિવર્તનનો દાવો સાબિત કરો અને 1 કરોડ જીતો'-'ધ કેરાલા સ્ટોરી' મુદ્દે શશિ થરૂરે કર્યું ટ્વિટ


  • Published By :
  • Published Date : 2023-05-01 22:18:49

ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ વિવાદ શરૂ થઈ ગયો છે. જ્યાં કેરળની ડાબેરી સરકારે આ ફિલ્મને સંઘ અને બીજેપીનો પ્રચાર ગણાવ્યો છે ત્યાં કોંગ્રેસ પણ ટ્રેલર રિલીઝ થયા બાદથી સતત પ્રતિક્રિયા આપી રહી છે. આ મામલે તાજેતરમાં જ કોંગ્રેસના નેતા શશિ થરૂરે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક પોસ્ટ શેર કરતા કોંગ્રેસના નેતાએ લખ્યું કે આ તમારા કેરળની વાર્તા હોઈ શકે છે, પણ આ અમારા કેરળની વાર્તા નથી. જો કે હવે શશિ થરૂરે આ ફિલ્મને લઈને વધુ એક ટ્વિટ કર્યું છે. તેમણે આ ફિલ્મને લઈને એક ચેલેન્જ આપી છે.


શશિ થરૂરે ટ્વિટ કરી આપી ચેલેન્જ 


કોંગ્રેસના નેતા શશિ થરૂરે ટ્વીટ કરતા કહ્યું કે ' માત્ર કેરળમાં જ 32,000 મહિલાઓના કથિત ધર્મ પરિવર્તનનો પ્રચાર કરનારાઓ માટે તેમનો દાવો સાબિત કરવા અને કેટલાક પૈસા કમાવવાની તક છે. શું તે ચેલેન્જ સ્વીકારવા તૈયાર થશે કે પછી કોઈ પુરાવા જ નથી કેમ કે કોઈ પુરાવા છે જ નહીં?


થરૂરની આ પોસ્ટ થઈ વાયરલ


આ સાથે જ થરૂરે એક પોસ્ટ પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે 'કેરળમાં 32000 મહિલાઓએ ઈસ્લામ સ્વીકાર્યો, આ દાવાને સાબિત કરવા માટે પુરાવા રજુ કરો અને એક કરોડ રૂપિયા લઈ જાઓ'.શશિ થરૂરે પોસ્ટમાં 'Not a Kerala story' હેશટેગ આપ્યું છે. શશિ થરૂરની આ પોસ્ટ અનુસાર, જે લોકો ચેલેન્જ સ્વીકારીને એક કરોડ રૂપિયાનું ઇનામ જીતવા માગે છે તેઓ 4 મેના રોજ કેરળના દરેક જિલ્લામાં રાખવામાં આવેલા કાઉન્ટર પર પુરાવા જમા કરી શકે છે. શશિ થરૂરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.