'ધર્મ પરિવર્તનનો દાવો સાબિત કરો અને 1 કરોડ જીતો'-'ધ કેરાલા સ્ટોરી' મુદ્દે શશિ થરૂરે કર્યું ટ્વિટ


  • Published By :
  • Published Date : 2023-05-01 22:18:49

ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ વિવાદ શરૂ થઈ ગયો છે. જ્યાં કેરળની ડાબેરી સરકારે આ ફિલ્મને સંઘ અને બીજેપીનો પ્રચાર ગણાવ્યો છે ત્યાં કોંગ્રેસ પણ ટ્રેલર રિલીઝ થયા બાદથી સતત પ્રતિક્રિયા આપી રહી છે. આ મામલે તાજેતરમાં જ કોંગ્રેસના નેતા શશિ થરૂરે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક પોસ્ટ શેર કરતા કોંગ્રેસના નેતાએ લખ્યું કે આ તમારા કેરળની વાર્તા હોઈ શકે છે, પણ આ અમારા કેરળની વાર્તા નથી. જો કે હવે શશિ થરૂરે આ ફિલ્મને લઈને વધુ એક ટ્વિટ કર્યું છે. તેમણે આ ફિલ્મને લઈને એક ચેલેન્જ આપી છે.


શશિ થરૂરે ટ્વિટ કરી આપી ચેલેન્જ 


કોંગ્રેસના નેતા શશિ થરૂરે ટ્વીટ કરતા કહ્યું કે ' માત્ર કેરળમાં જ 32,000 મહિલાઓના કથિત ધર્મ પરિવર્તનનો પ્રચાર કરનારાઓ માટે તેમનો દાવો સાબિત કરવા અને કેટલાક પૈસા કમાવવાની તક છે. શું તે ચેલેન્જ સ્વીકારવા તૈયાર થશે કે પછી કોઈ પુરાવા જ નથી કેમ કે કોઈ પુરાવા છે જ નહીં?


થરૂરની આ પોસ્ટ થઈ વાયરલ


આ સાથે જ થરૂરે એક પોસ્ટ પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે 'કેરળમાં 32000 મહિલાઓએ ઈસ્લામ સ્વીકાર્યો, આ દાવાને સાબિત કરવા માટે પુરાવા રજુ કરો અને એક કરોડ રૂપિયા લઈ જાઓ'.શશિ થરૂરે પોસ્ટમાં 'Not a Kerala story' હેશટેગ આપ્યું છે. શશિ થરૂરની આ પોસ્ટ અનુસાર, જે લોકો ચેલેન્જ સ્વીકારીને એક કરોડ રૂપિયાનું ઇનામ જીતવા માગે છે તેઓ 4 મેના રોજ કેરળના દરેક જિલ્લામાં રાખવામાં આવેલા કાઉન્ટર પર પુરાવા જમા કરી શકે છે. શશિ થરૂરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.