નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે તહેનાત કરાશે સી ટીમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 13:11:43

નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. ગણતરીના દિવસો બાકી હોવાને કારણે પાર્ટી પ્લોટમાં, શેરીઓમાં નવરાત્રી આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મહિલાઓની સાથે કોઈ ગેરવર્તન ન થાય તે માટે મહિલા પોલીસને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. મહિલાઓ જ્યારે ઘરથી દૂર ગરબા રમવા જતી હોય છે ત્યારે તેમની સાથે કોઈ છેડતીનો બનાવ ન બને તે માટે મહિલા પોલીસની ટીમને તૈયાર કરવામાં આવી છે. સિવિલ ડ્રેસમાં તેમજ ટ્રેડિશનલ કપડા પહેરી સી ટીમ તેનાત રહેશે.

Hyderabad: SHE teams apprehend 48 eve-teasers in one month

2 વર્ષ બાદ ગરબે ઘૂમશે ખેલૈયાઓ

કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષથી ગરબાનું આયોજન થઈ રહ્યું ન હતું. ત્યારે આ વખતે કોરોના સંક્રમણ ઘટતા ગરબે ઘૂમવા મળશે. ત્યારે ગરબા દરમિયાન મહિલા સાથે અનિચ્છનિય બનાવ ન બને તે માટે અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈ સી ટીમ તૈયાર કરવામાં આવી છે. ગરબા રમતી વખતે મહિલાઓ સાથે છેડતીના બનાવ ન બને તે માટે સિવિલ ડ્રેસમાં તેઓ ગરબામાં હાજર રહેશે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Coronavirus strikes discordant note for Vadodara garba singers | Vadodara  News - Times of India

મહિલા સાથે ગેરવર્તન ન થાય તેનું રખાશે ધ્યાન 

રાજ્ય સરકારે પણ ખેલૈયાઓના જુસ્સામાં વધારો કરતા દશેરા સુધી લાઉડસ્પીકરને રાત્રીના 12 વાગ્યા સુધી વગાડવાની પરવાનગી આપી છે. રાત્રે ઘરે જતી વખતે મહિલાઓને મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા કરવામા આવી છે. જો કોઈ અસમાજીક તત્વ મહિલા સાથે ગેરવર્તન કરતો પકડાશે તો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમને તૈયાર કરવામાં આવી છે.      



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"