નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે તહેનાત કરાશે સી ટીમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 13:11:43

નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. ગણતરીના દિવસો બાકી હોવાને કારણે પાર્ટી પ્લોટમાં, શેરીઓમાં નવરાત્રી આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મહિલાઓની સાથે કોઈ ગેરવર્તન ન થાય તે માટે મહિલા પોલીસને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. મહિલાઓ જ્યારે ઘરથી દૂર ગરબા રમવા જતી હોય છે ત્યારે તેમની સાથે કોઈ છેડતીનો બનાવ ન બને તે માટે મહિલા પોલીસની ટીમને તૈયાર કરવામાં આવી છે. સિવિલ ડ્રેસમાં તેમજ ટ્રેડિશનલ કપડા પહેરી સી ટીમ તેનાત રહેશે.

Hyderabad: SHE teams apprehend 48 eve-teasers in one month

2 વર્ષ બાદ ગરબે ઘૂમશે ખેલૈયાઓ

કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષથી ગરબાનું આયોજન થઈ રહ્યું ન હતું. ત્યારે આ વખતે કોરોના સંક્રમણ ઘટતા ગરબે ઘૂમવા મળશે. ત્યારે ગરબા દરમિયાન મહિલા સાથે અનિચ્છનિય બનાવ ન બને તે માટે અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈ સી ટીમ તૈયાર કરવામાં આવી છે. ગરબા રમતી વખતે મહિલાઓ સાથે છેડતીના બનાવ ન બને તે માટે સિવિલ ડ્રેસમાં તેઓ ગરબામાં હાજર રહેશે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Coronavirus strikes discordant note for Vadodara garba singers | Vadodara  News - Times of India

મહિલા સાથે ગેરવર્તન ન થાય તેનું રખાશે ધ્યાન 

રાજ્ય સરકારે પણ ખેલૈયાઓના જુસ્સામાં વધારો કરતા દશેરા સુધી લાઉડસ્પીકરને રાત્રીના 12 વાગ્યા સુધી વગાડવાની પરવાનગી આપી છે. રાત્રે ઘરે જતી વખતે મહિલાઓને મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા કરવામા આવી છે. જો કોઈ અસમાજીક તત્વ મહિલા સાથે ગેરવર્તન કરતો પકડાશે તો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમને તૈયાર કરવામાં આવી છે.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.