સિદ્ધાર્થને યાદ કરી ભાવુક થઈ શહેનાઝ ગિલ, સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી


  • Published By :
  • Published Date : 2022-12-12 10:37:42

બિગ બોસના વિજેતા અને બાલિકા વધુમાં કલેક્ટરનો રોલ કરનાર સિદ્ધાર્થ શુક્લનો આજે બર્થ-ડે છે. એકાએકા તેમના મૃત્યુ થતા તેમના ચાહકો તેમજ તેમના પરિવારજનોને આઘાત લાગ્યો હતો.  ત્યારે આજે સિદ્ધાર્થનો જન્મ દિવસ છે જેને લઈ અનેક ફેન્સે તેમજ શહેનાઝ ગીલે એક સંદેશો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અને લખ્યું છે કે હું તમને ફરીથી મળીશ. 



2021માં સિદ્ધાર્થે દુનિયાને અલવિદા કહ્યું 

બિગ બોસમાં દર્શકોને સિદ્ધાર્થ શુક્લ તેમજ શહેનાઝ ગિલની જોડી પસંદ આવી હતી. આ જોડી દરેકની પસંદ બની ગઈ હતી. લોકો એવું માનતા હતા કે તેમનો આ સંબંધ આગળ વધશે પરંતુ આ રિશ્તાની ડોર તૂટી ગઈ હતી. સપ્ટેમ્બર 2021ના રોજ સિદ્ધાર્થ શુક્લાએ દુનિયાને અલવિદા કહી દીધી હતી. 



કેક કટ કરી સિદ્ધાર્થીની બર્થ-ડે કરી સેલિબ્રેટ

તેમના મોતના સમાચાર આવતા સિદ્ધાર્થના ફેન્સ તેમજ શહેનાઝ ગિલને આઘાત લાગ્યો હતો. શહેનાઝ પૂરી રીતે તૂટી ગઈ હતી. સિદ્ધાર્થની બર્થ-ડે પર રાતના 12 વાગે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. સાથે સાથે સિદ્ધાર્થનો હસતો ફોટો પણ મૂક્યો હતો અને કેક કટ કરી સિદ્ધાર્થની યાદોને તાજા કરી. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.