સિદ્ધાર્થને યાદ કરી ભાવુક થઈ શહેનાઝ ગિલ, સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી


  • Published By :
  • Published Date : 2022-12-12 10:37:42

બિગ બોસના વિજેતા અને બાલિકા વધુમાં કલેક્ટરનો રોલ કરનાર સિદ્ધાર્થ શુક્લનો આજે બર્થ-ડે છે. એકાએકા તેમના મૃત્યુ થતા તેમના ચાહકો તેમજ તેમના પરિવારજનોને આઘાત લાગ્યો હતો.  ત્યારે આજે સિદ્ધાર્થનો જન્મ દિવસ છે જેને લઈ અનેક ફેન્સે તેમજ શહેનાઝ ગીલે એક સંદેશો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અને લખ્યું છે કે હું તમને ફરીથી મળીશ. 



2021માં સિદ્ધાર્થે દુનિયાને અલવિદા કહ્યું 

બિગ બોસમાં દર્શકોને સિદ્ધાર્થ શુક્લ તેમજ શહેનાઝ ગિલની જોડી પસંદ આવી હતી. આ જોડી દરેકની પસંદ બની ગઈ હતી. લોકો એવું માનતા હતા કે તેમનો આ સંબંધ આગળ વધશે પરંતુ આ રિશ્તાની ડોર તૂટી ગઈ હતી. સપ્ટેમ્બર 2021ના રોજ સિદ્ધાર્થ શુક્લાએ દુનિયાને અલવિદા કહી દીધી હતી. 



કેક કટ કરી સિદ્ધાર્થીની બર્થ-ડે કરી સેલિબ્રેટ

તેમના મોતના સમાચાર આવતા સિદ્ધાર્થના ફેન્સ તેમજ શહેનાઝ ગિલને આઘાત લાગ્યો હતો. શહેનાઝ પૂરી રીતે તૂટી ગઈ હતી. સિદ્ધાર્થની બર્થ-ડે પર રાતના 12 વાગે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. સાથે સાથે સિદ્ધાર્થનો હસતો ફોટો પણ મૂક્યો હતો અને કેક કટ કરી સિદ્ધાર્થની યાદોને તાજા કરી. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી