Gandhinagar ખાતે 'શિક્ષણ બચાવો ધરણા', જ્ઞાન સહાયક રદ્દ કરાવવા Congress મેદાને! કાર્યક્રમમાં જોડાયા યુવરાજસિંહ


  • Published By :
  • Published Date : 2023-10-06 12:52:11

ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય અને જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આંદોલન કરવાના છે. શિક્ષણ બચાવો ધરણાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. શિક્ષણમાં થઈ રહ્યું ખાનગીકરણ તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવા મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે. મોટી સંખ્યામાં ઉમેદવારો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સત્યાગ્રહ છાવણી પહોંચી રહ્યા છે.  વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આ ધરણામાં જોડાયા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આ ધરણામાં જોડાયા છે. 

 

Image

ધરણા કાર્યક્રમમાં જોડાયા યુવરાજસિંહ જાડેજા

ગુજરાતનું શિક્ષણ પ્રતિદિન લથડી રહ્યું છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ નથી મળી રહ્યું. અનેક એવા વીડિયો આપણી સામે અવાર-નવાર સામે આવતા હોય છે જેને જોઈ આપણને બાળકો પર દયા આવી જાય. ત્યારે ગુજરાતમાં લથડતા શિક્ષણ મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. જ્ઞાન સહાયક નાબુદ થાય તે માટે આજે ધરણા કરવામાં આવ્યા છે. આ ધરણામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જોડાયા છે. યુવરાજસિંહ અનેક વખત ઉમેદવારોના સમર્થનમાં દેખાયા છે. ટેટ ટાટના ઉમેદવારો સાથે યુવરાજસિંહ ગાંધી બાપુને પત્ર આપવા ગયા હતા.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી