Gandhinagar ખાતે 'શિક્ષણ બચાવો ધરણા', જ્ઞાન સહાયક રદ્દ કરાવવા Congress મેદાને! કાર્યક્રમમાં જોડાયા યુવરાજસિંહ


  • Published By :
  • Published Date : 2023-10-06 12:52:11

ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય અને જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આંદોલન કરવાના છે. શિક્ષણ બચાવો ધરણાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. શિક્ષણમાં થઈ રહ્યું ખાનગીકરણ તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવા મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે. મોટી સંખ્યામાં ઉમેદવારો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સત્યાગ્રહ છાવણી પહોંચી રહ્યા છે.  વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આ ધરણામાં જોડાયા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આ ધરણામાં જોડાયા છે. 

 

Image

ધરણા કાર્યક્રમમાં જોડાયા યુવરાજસિંહ જાડેજા

ગુજરાતનું શિક્ષણ પ્રતિદિન લથડી રહ્યું છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ નથી મળી રહ્યું. અનેક એવા વીડિયો આપણી સામે અવાર-નવાર સામે આવતા હોય છે જેને જોઈ આપણને બાળકો પર દયા આવી જાય. ત્યારે ગુજરાતમાં લથડતા શિક્ષણ મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. જ્ઞાન સહાયક નાબુદ થાય તે માટે આજે ધરણા કરવામાં આવ્યા છે. આ ધરણામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જોડાયા છે. યુવરાજસિંહ અનેક વખત ઉમેદવારોના સમર્થનમાં દેખાયા છે. ટેટ ટાટના ઉમેદવારો સાથે યુવરાજસિંહ ગાંધી બાપુને પત્ર આપવા ગયા હતા.  




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.