ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવનાથ મંદિર ખાતે શરૂ થયો શિવરાત્રીનો મેળો, ધ્વજારોહણ બાદ મેળાનો થયો શુભારંભ


  • Published By :
  • Published Date : 2023-02-15 16:14:31

થોડા દિવસો બાદ મહાશિવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. આ દિવસ દરમિયાન મહાદેવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. જૂનાગઢ ખાતે આવેલા ભવનાથ મંદિરમાં ધામધૂમથી મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢમાં દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. 



ભવનાથ મેળાનો કરાયો પ્રારંભ 

મહાશિવરાત્રી દરમિયાન શિવ ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા પૂજા વિધી કરતા હોય છે. અનેક શિવમંદિરોમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ ખાતે યોજાતા શિવરાત્રીના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે.જૂનાગઢના ભવનાથના શિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી આવતા હોય છે. મહા વદ નોમથી તેરસ સુધી આ મેળો ચાલતો હોય છે. આ મેળાનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવતા હોય છે. હરી ગીરી મહારાજ, મહામંડલેશ્વર તેમજ ભક્તોની ઉપસ્થિતિમાં મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હર હર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચના કર્યા બાદ ભક્તિમય વાતાવરણમાં મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 




અધિકારીઓ પણ રહ્યા હતા હાજર 

આ મેળામાં ભાગ લેવા દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. આ સમય દરમિયાન ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. ભવનાથ મહાદેવની મહાઆરતી બાદ આ મેળો સંપન્ન થશે. આ મેળાનો પ્રારંભ ધ્વજારોહણ બાદ થયો હતો. જૂદા-જૂદા સ્થળોથી જૂનાગઢ સુધી પહોંચવા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાધુ સંત સિવાય મેળાના પ્રારંભ સમયે અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.