ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવનાથ મંદિર ખાતે શરૂ થયો શિવરાત્રીનો મેળો, ધ્વજારોહણ બાદ મેળાનો થયો શુભારંભ


  • Published By :
  • Published Date : 2023-02-15 16:14:31

થોડા દિવસો બાદ મહાશિવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. આ દિવસ દરમિયાન મહાદેવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. જૂનાગઢ ખાતે આવેલા ભવનાથ મંદિરમાં ધામધૂમથી મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢમાં દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. 



ભવનાથ મેળાનો કરાયો પ્રારંભ 

મહાશિવરાત્રી દરમિયાન શિવ ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા પૂજા વિધી કરતા હોય છે. અનેક શિવમંદિરોમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ ખાતે યોજાતા શિવરાત્રીના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે.જૂનાગઢના ભવનાથના શિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી આવતા હોય છે. મહા વદ નોમથી તેરસ સુધી આ મેળો ચાલતો હોય છે. આ મેળાનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવતા હોય છે. હરી ગીરી મહારાજ, મહામંડલેશ્વર તેમજ ભક્તોની ઉપસ્થિતિમાં મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હર હર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચના કર્યા બાદ ભક્તિમય વાતાવરણમાં મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 




અધિકારીઓ પણ રહ્યા હતા હાજર 

આ મેળામાં ભાગ લેવા દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. આ સમય દરમિયાન ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. ભવનાથ મહાદેવની મહાઆરતી બાદ આ મેળો સંપન્ન થશે. આ મેળાનો પ્રારંભ ધ્વજારોહણ બાદ થયો હતો. જૂદા-જૂદા સ્થળોથી જૂનાગઢ સુધી પહોંચવા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાધુ સંત સિવાય મેળાના પ્રારંભ સમયે અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.    




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.