ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવનાથ મંદિર ખાતે શરૂ થયો શિવરાત્રીનો મેળો, ધ્વજારોહણ બાદ મેળાનો થયો શુભારંભ


  • Published By :
  • Published Date : 2023-02-15 16:14:31

થોડા દિવસો બાદ મહાશિવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. આ દિવસ દરમિયાન મહાદેવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. જૂનાગઢ ખાતે આવેલા ભવનાથ મંદિરમાં ધામધૂમથી મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢમાં દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. 



ભવનાથ મેળાનો કરાયો પ્રારંભ 

મહાશિવરાત્રી દરમિયાન શિવ ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા પૂજા વિધી કરતા હોય છે. અનેક શિવમંદિરોમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ ખાતે યોજાતા શિવરાત્રીના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે.જૂનાગઢના ભવનાથના શિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી આવતા હોય છે. મહા વદ નોમથી તેરસ સુધી આ મેળો ચાલતો હોય છે. આ મેળાનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવતા હોય છે. હરી ગીરી મહારાજ, મહામંડલેશ્વર તેમજ ભક્તોની ઉપસ્થિતિમાં મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હર હર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચના કર્યા બાદ ભક્તિમય વાતાવરણમાં મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 




અધિકારીઓ પણ રહ્યા હતા હાજર 

આ મેળામાં ભાગ લેવા દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. આ સમય દરમિયાન ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. ભવનાથ મહાદેવની મહાઆરતી બાદ આ મેળો સંપન્ન થશે. આ મેળાનો પ્રારંભ ધ્વજારોહણ બાદ થયો હતો. જૂદા-જૂદા સ્થળોથી જૂનાગઢ સુધી પહોંચવા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાધુ સંત સિવાય મેળાના પ્રારંભ સમયે અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.