ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવનાથ મંદિર ખાતે શરૂ થયો શિવરાત્રીનો મેળો, ધ્વજારોહણ બાદ મેળાનો થયો શુભારંભ


  • Published By :
  • Published Date : 2023-02-15 16:14:31

થોડા દિવસો બાદ મહાશિવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. આ દિવસ દરમિયાન મહાદેવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. જૂનાગઢ ખાતે આવેલા ભવનાથ મંદિરમાં ધામધૂમથી મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢમાં દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. 



ભવનાથ મેળાનો કરાયો પ્રારંભ 

મહાશિવરાત્રી દરમિયાન શિવ ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા પૂજા વિધી કરતા હોય છે. અનેક શિવમંદિરોમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ ખાતે યોજાતા શિવરાત્રીના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે.જૂનાગઢના ભવનાથના શિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી આવતા હોય છે. મહા વદ નોમથી તેરસ સુધી આ મેળો ચાલતો હોય છે. આ મેળાનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવતા હોય છે. હરી ગીરી મહારાજ, મહામંડલેશ્વર તેમજ ભક્તોની ઉપસ્થિતિમાં મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હર હર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચના કર્યા બાદ ભક્તિમય વાતાવરણમાં મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 




અધિકારીઓ પણ રહ્યા હતા હાજર 

આ મેળામાં ભાગ લેવા દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. આ સમય દરમિયાન ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. ભવનાથ મહાદેવની મહાઆરતી બાદ આ મેળો સંપન્ન થશે. આ મેળાનો પ્રારંભ ધ્વજારોહણ બાદ થયો હતો. જૂદા-જૂદા સ્થળોથી જૂનાગઢ સુધી પહોંચવા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાધુ સંત સિવાય મેળાના પ્રારંભ સમયે અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.