નડિયાદમાં બની હચમચાવી દે તેવી ઘટના, દીકરીનો વીડિયો વાયરલ થતા ઠપકો આપવા ગયેલા BSF જવાન મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2022-12-26 10:01:57

ટેકનોલોજી જેમ જેમ વિકસી રહી છે તેમ તેમ એનો  દૂરઉપયોગ પણ વધી ગયો છે. આજકાલ અનેક લોકો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા હોય છે. આવી જ એક ઘટના નડિયાદમાં બની છે. વનીપૂરા ગામના યુવાને બાજૂના ગામમાં રહેતા બીએસએફ જવાનની દિકરીનો વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતા બીએસએફ જવાન યુવાનોને ઠપકો આપવા ગયા હતા. આ મામલો એટલો બધો હિંસક બની ગયો કે વીડિયો વાયરલ કરતા વ્યક્તિના પરિવારે બીએસએફ જવાનના પરિવાર પર હુમલો કર્યો જેમાં બીએસએફ જવાનનું મોત નિપજ્યું છે. 



બીએસએક જવાનનું થયું મોત 

નડિયાદમાં એક એવી ઘટના બની છે જેણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 7 વ્યક્તિઓએ બીએસએફ જવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે. BSF જવાનની દિકરીનો વીડિયા આ લોકોએ વાયરલ કર્યો હતો. જેને કારણે ઠપકો આપવા જવાન ગયા હતા. પરંતુ 7 લોકોએ જવાન પર ધારીયા તેમજ લાકડી વજે હુમલો કરી દીધો જેને કારણે બીએસએફ જવાન મોતને ભેટ્યા છે જ્યારે તેમનો પુત્ર ગંભીર રીતે ઈજા પામ્યો છે. 


આરોપી વિરૂદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ 

હુમલો થતા બંનને લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બીએસએફ જવાનને મૃત જાહેર કરી દીધા હતા. પુત્રની હાલત ગંભીર બતાવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ પણ કરવાાં આવી છે. કેસ ફાઈલ કરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.                



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.