નડિયાદમાં બની હચમચાવી દે તેવી ઘટના, દીકરીનો વીડિયો વાયરલ થતા ઠપકો આપવા ગયેલા BSF જવાન મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2022-12-26 10:01:57

ટેકનોલોજી જેમ જેમ વિકસી રહી છે તેમ તેમ એનો  દૂરઉપયોગ પણ વધી ગયો છે. આજકાલ અનેક લોકો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા હોય છે. આવી જ એક ઘટના નડિયાદમાં બની છે. વનીપૂરા ગામના યુવાને બાજૂના ગામમાં રહેતા બીએસએફ જવાનની દિકરીનો વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતા બીએસએફ જવાન યુવાનોને ઠપકો આપવા ગયા હતા. આ મામલો એટલો બધો હિંસક બની ગયો કે વીડિયો વાયરલ કરતા વ્યક્તિના પરિવારે બીએસએફ જવાનના પરિવાર પર હુમલો કર્યો જેમાં બીએસએફ જવાનનું મોત નિપજ્યું છે. 



બીએસએક જવાનનું થયું મોત 

નડિયાદમાં એક એવી ઘટના બની છે જેણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 7 વ્યક્તિઓએ બીએસએફ જવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે. BSF જવાનની દિકરીનો વીડિયા આ લોકોએ વાયરલ કર્યો હતો. જેને કારણે ઠપકો આપવા જવાન ગયા હતા. પરંતુ 7 લોકોએ જવાન પર ધારીયા તેમજ લાકડી વજે હુમલો કરી દીધો જેને કારણે બીએસએફ જવાન મોતને ભેટ્યા છે જ્યારે તેમનો પુત્ર ગંભીર રીતે ઈજા પામ્યો છે. 


આરોપી વિરૂદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ 

હુમલો થતા બંનને લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બીએસએફ જવાનને મૃત જાહેર કરી દીધા હતા. પુત્રની હાલત ગંભીર બતાવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ પણ કરવાાં આવી છે. કેસ ફાઈલ કરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.                



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.