નડિયાદમાં બની હચમચાવી દે તેવી ઘટના, દીકરીનો વીડિયો વાયરલ થતા ઠપકો આપવા ગયેલા BSF જવાન મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2022-12-26 10:01:57

ટેકનોલોજી જેમ જેમ વિકસી રહી છે તેમ તેમ એનો  દૂરઉપયોગ પણ વધી ગયો છે. આજકાલ અનેક લોકો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા હોય છે. આવી જ એક ઘટના નડિયાદમાં બની છે. વનીપૂરા ગામના યુવાને બાજૂના ગામમાં રહેતા બીએસએફ જવાનની દિકરીનો વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતા બીએસએફ જવાન યુવાનોને ઠપકો આપવા ગયા હતા. આ મામલો એટલો બધો હિંસક બની ગયો કે વીડિયો વાયરલ કરતા વ્યક્તિના પરિવારે બીએસએફ જવાનના પરિવાર પર હુમલો કર્યો જેમાં બીએસએફ જવાનનું મોત નિપજ્યું છે. 



બીએસએક જવાનનું થયું મોત 

નડિયાદમાં એક એવી ઘટના બની છે જેણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 7 વ્યક્તિઓએ બીએસએફ જવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે. BSF જવાનની દિકરીનો વીડિયા આ લોકોએ વાયરલ કર્યો હતો. જેને કારણે ઠપકો આપવા જવાન ગયા હતા. પરંતુ 7 લોકોએ જવાન પર ધારીયા તેમજ લાકડી વજે હુમલો કરી દીધો જેને કારણે બીએસએફ જવાન મોતને ભેટ્યા છે જ્યારે તેમનો પુત્ર ગંભીર રીતે ઈજા પામ્યો છે. 


આરોપી વિરૂદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ 

હુમલો થતા બંનને લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બીએસએફ જવાનને મૃત જાહેર કરી દીધા હતા. પુત્રની હાલત ગંભીર બતાવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ પણ કરવાાં આવી છે. કેસ ફાઈલ કરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.                



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.