નડિયાદમાં બની હચમચાવી દે તેવી ઘટના, દીકરીનો વીડિયો વાયરલ થતા ઠપકો આપવા ગયેલા BSF જવાન મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2022-12-26 10:01:57

ટેકનોલોજી જેમ જેમ વિકસી રહી છે તેમ તેમ એનો  દૂરઉપયોગ પણ વધી ગયો છે. આજકાલ અનેક લોકો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા હોય છે. આવી જ એક ઘટના નડિયાદમાં બની છે. વનીપૂરા ગામના યુવાને બાજૂના ગામમાં રહેતા બીએસએફ જવાનની દિકરીનો વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતા બીએસએફ જવાન યુવાનોને ઠપકો આપવા ગયા હતા. આ મામલો એટલો બધો હિંસક બની ગયો કે વીડિયો વાયરલ કરતા વ્યક્તિના પરિવારે બીએસએફ જવાનના પરિવાર પર હુમલો કર્યો જેમાં બીએસએફ જવાનનું મોત નિપજ્યું છે. 



બીએસએક જવાનનું થયું મોત 

નડિયાદમાં એક એવી ઘટના બની છે જેણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 7 વ્યક્તિઓએ બીએસએફ જવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે. BSF જવાનની દિકરીનો વીડિયા આ લોકોએ વાયરલ કર્યો હતો. જેને કારણે ઠપકો આપવા જવાન ગયા હતા. પરંતુ 7 લોકોએ જવાન પર ધારીયા તેમજ લાકડી વજે હુમલો કરી દીધો જેને કારણે બીએસએફ જવાન મોતને ભેટ્યા છે જ્યારે તેમનો પુત્ર ગંભીર રીતે ઈજા પામ્યો છે. 


આરોપી વિરૂદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ 

હુમલો થતા બંનને લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બીએસએફ જવાનને મૃત જાહેર કરી દીધા હતા. પુત્રની હાલત ગંભીર બતાવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ પણ કરવાાં આવી છે. કેસ ફાઈલ કરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.                



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.