હમણાંથી રાજ્યમાં તાપમાનનો પારો પહોંચ્યો 30 ડિગ્રીને પાર, આકરો તાપ સહન કરવા રહેવું પડશે તૈયાર


  • Published By :
  • Published Date : 2023-02-15 17:19:51

રાજ્યમાંથી ઠંડી ધીરે ધીરે વિદાય લઈ રહી છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. મોટા ભાગના શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. સવારે તેમજ રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થતો હોય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે જેમ ઠંડીએ રેકોર્ડ તોડ્યા છે તેમ ગરમી પણ આ વખતે તમામ રેકોર્ડ તોડી શકે છે.     

 

આકરો તાપ સહન કરવા રહેવું પડશે તૈયાર 

ઘણા સમય બાદ રાજ્યમાં આ વખતે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ઘટી રહ્યો હતો. પરંતુ ધીરે ધીરે શિયાળાની સિઝન સમાપ્ત થઈ રહી છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વખતે આકરો તાપ સહન કરવા તૈયાર રહેવું પડશે. 


30 ડિગ્રીને પાર પહોંચ્યો તાપમાનનો પારો 

વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક  શહેરોમાં તાપમાનનો પારો હમણાંથી 30 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં બપોરના સમયે 32 ડિગ્રી જેટલું નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે. આણંદમાં 36 ડિગ્રી તાપમાન, અરવલ્લીમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હમણાંથી તાપમાનનો પારો વધી જતાં ઉનાળાના દિવસો દરમિયાન  કાળઝાળ ગરમીનો અનુભવ થવાનો છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.