અમદાવાદના સિંધુભવન રોડ પર યુવતી સાથે ક્રૂરતા, યુવતીના વાળ પકડી ઢસડીને યુવકે ઢોર માર માર્યો, VEDIO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-27 18:35:09

અમદાવાદમાં મહિલાઓ સુરક્ષીત છે તેવી ગુલબાંગો ફેંકતા સત્તાવાળાઓ માટે સિંધુભવન પર બનેલી ઘટનાનો એક વાયરલ વીડિયો જોઈ લેવો જોઈએ. અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં એક 24 વર્ષીય યુવતીને ઢસડી ઢસડીને માર મારવામાં આવી રહ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વાઇરલ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક યુવક યુવતીને વાળ પકડી ઢસડી ઢસડીને માર નારી રહ્યો છે. એટલું જ નહી તેને આડેધડ ફડાકા ઝીંકી સ્પાની દીવાલ સાથે અથડાવી કપડા પણ ફાડી નાખે છે. આ યુવક સતત 4 મિનિટ સુધી યુવતીને ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યો છે. આ વીડિયો સ્પા ગર્લનો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતી સાથે જે પ્રકારે વર્તન કરવામાં આવી રહ્યું છે તે ખૂબ શરમજનક દેખાઈ રહ્યું છે. આખા વીડિયોની અંદર આસપાસ લોકો પણ દેખાય છે પણ યુવતીને યુવક મારી રહ્યો છે. આ સમગ્ર મામલે હજી સુધી પોલીસે કોઈ ફરિયાદ દાખલ કરી નથી. જોકે સીસીટીવી મળ્યા બાદ પોલીસ આરોપીને શોધવા પ્રયાસ કરી રહી છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતી પર ચિંતાવ્યક્ત કરતા જોવા મળ્યા હતા. એક તરફ દેશ અને રાજ્યમાં મહિલાઓને સન્માન આપવાની મોટી-મોટી વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ખુલ્લેઆમ મહિલાઓ સાથે ક્રૂરતાપૂર્વકનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

સતત 4 મિનિટ સુધી ક્રૂરતાપૂર્વક મારતો રહ્યો.



ગેલેક્સી સ્પાના સંચાલકને શોધવા પોલીસ સક્રિય


સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં ગેલેક્સી સ્પાનો સંચાલક કોઈ કારણોસર યુવતીને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર મારતો દેખાઈ રહ્યો છે  આ યુવક યુવતી આ સ્પામાં જ કામ કરતી હોવાની જાણકારી મળી છે. આ યુવતીને એક અન્ય શખ્સ બચાવવા પણ આવે છે, પરંતુ તે છતાં યુવક તેના સામે દાદાગીરી કરીને યુવતીને મારવાનું ચાલું રાખે છે. આ દરમિયાન અનેક વખત ઢસેડીને સ્પામા લઈ જઈને પણ માર મારતો જોઈ શકાય છે. આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે અમે સીસીટીવી એનાલિસિસ કરીને સ્પાના સંચાલક અને માર મારતા યુવકની કડી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીજી તરફ ભોગ બનનાર યુવતીને શોધવા માટે પણ અમે પ્રયાસ શરૂ કર્યા છે. તેના સામે આવ્યા બાદ આરોપીઓ સામે કડકમાં કડક કાયદાની કલમ હેઠળ કાર્યવાહી થાય તે માટે અમે પ્રયાસો શરૂ કર્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.