જીગ્નેશ બારોટની ગાડી રતનપુર બોર્ડર જવાની? નહીં!!! કવિરાજ પર તો હવે ભાજપની મહેરબાની?


  • Published By :
  • Published Date : 2022-11-09 18:42:12

મહેસાણાના ખેરાલુના વતની અને ગુજરાતના જાણિતા ગાયક જીગ્નેશ બારોટ ઉર્ફે કવિરાજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે. પરંતુ જોવા જેવી વાત તો એ છે કે જીગ્નેશ કવિરાજને ચૂંટણી લડવા નહીં મળે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને જિગ્નેશ કવિરાજને પાણીમાં બેસી જવાનું રહેશે. ભાજપમાંથી જીગ્નેશ કવિરાજને ચૂંટણી લડવા નહીં મળે પણ સંગઠનમાં કામગીરી કરવા માટે જવાબદારીઓ દેવાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. 


કવિરાજને પાણીમાં બેસાડશે ભાજપ?

અગાઉ જીગ્નેશ બારોટ 2022ની વિધાનસભા ચૂંટણી લડવાના છે તેવા સમાચાર ચાલી રહ્યા છે પરંતુ પક્ષ મામલે હજુ કોઈ જાહેરાત નહોતી થઈ. થોડા દિવસો અગાઉ સમાચાર ચાલી રહ્યા હતા કે જીગ્નેશ કવિરાજ અપક્ષમાં લડશે. જીગ્નેશ કવિરાજ મૂળ ખેરાલુના છે અને તેમની ફેન ફોલોવિંગ ખેરાલુ વિસ્તારમાં વધારે છે. માટે ખેરાલુ વિસ્તારમાંથી ચૂંટણી લડશે તેવી સંભાવાનાઓ ચાલી રહી હતી પરંતુ હવે બધી સંભાવનાઓ પર બ્રેક લાગી ગઈ છે. કારણ કે ભાજપમાં જોડાયા બાદ જીગ્નેશ બારોટને ચૂંટણી લડવા નહીં મળે અને કવિરાજને પક્ષને મજબૂત કરવા અને મતદાન પહેલા ભાજપને જીતાડવાની કામગીરી કરવાની રહેશે તેવા સમાચારો મળી રહ્યા છે. 

વિધાનસભા ચૂંટણી પહેલા શિસ્તબદ્ધ ગણાતી ભાજપ ઘણી નવાજૂની કરે તેવા એંધાણ છે. બે જ દિવસમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને ભાજપે પોતાના પક્ષમાં જોડી લીધા છે ત્યારે હવે ભાજપ કઈ નવી ચાલો ચાલશે તે જોવાનું રહેશે.


ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.