જીગ્નેશ બારોટની ગાડી રતનપુર બોર્ડર જવાની? નહીં!!! કવિરાજ પર તો હવે ભાજપની મહેરબાની?


  • Published By :
  • Published Date : 2022-11-09 18:42:12

મહેસાણાના ખેરાલુના વતની અને ગુજરાતના જાણિતા ગાયક જીગ્નેશ બારોટ ઉર્ફે કવિરાજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે. પરંતુ જોવા જેવી વાત તો એ છે કે જીગ્નેશ કવિરાજને ચૂંટણી લડવા નહીં મળે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને જિગ્નેશ કવિરાજને પાણીમાં બેસી જવાનું રહેશે. ભાજપમાંથી જીગ્નેશ કવિરાજને ચૂંટણી લડવા નહીં મળે પણ સંગઠનમાં કામગીરી કરવા માટે જવાબદારીઓ દેવાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. 


કવિરાજને પાણીમાં બેસાડશે ભાજપ?

અગાઉ જીગ્નેશ બારોટ 2022ની વિધાનસભા ચૂંટણી લડવાના છે તેવા સમાચાર ચાલી રહ્યા છે પરંતુ પક્ષ મામલે હજુ કોઈ જાહેરાત નહોતી થઈ. થોડા દિવસો અગાઉ સમાચાર ચાલી રહ્યા હતા કે જીગ્નેશ કવિરાજ અપક્ષમાં લડશે. જીગ્નેશ કવિરાજ મૂળ ખેરાલુના છે અને તેમની ફેન ફોલોવિંગ ખેરાલુ વિસ્તારમાં વધારે છે. માટે ખેરાલુ વિસ્તારમાંથી ચૂંટણી લડશે તેવી સંભાવાનાઓ ચાલી રહી હતી પરંતુ હવે બધી સંભાવનાઓ પર બ્રેક લાગી ગઈ છે. કારણ કે ભાજપમાં જોડાયા બાદ જીગ્નેશ બારોટને ચૂંટણી લડવા નહીં મળે અને કવિરાજને પક્ષને મજબૂત કરવા અને મતદાન પહેલા ભાજપને જીતાડવાની કામગીરી કરવાની રહેશે તેવા સમાચારો મળી રહ્યા છે. 

વિધાનસભા ચૂંટણી પહેલા શિસ્તબદ્ધ ગણાતી ભાજપ ઘણી નવાજૂની કરે તેવા એંધાણ છે. બે જ દિવસમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને ભાજપે પોતાના પક્ષમાં જોડી લીધા છે ત્યારે હવે ભાજપ કઈ નવી ચાલો ચાલશે તે જોવાનું રહેશે.


સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"