ગુજરાતમાં ફરીવાર SMA-1 નામની બીમારીએ માસુમનો જીવ લીધો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 19:25:32

ગુજરાતમાં ફરી એકવાર આ રોગે લીધો માસુમનો જીવ 

કહેવાય છે કે ઈશ્વરની મરજી સામે કોઈનું નથી ચાલતું. વાત પણ સાચી છે, પરંતુ જયારે એ માતા-પિતા કે જે પોતાના વ્હાલસોયા બાળકને પોતાની નજર સામે મોતના મુખમાં જતા રોકવાના તમામ પ્રયત્ન કર્યા બાદ પણ બચાવી નથી શકતા ત્યારે ખરેખર હ્રદય દ્રવી ઉઠે છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના દૈવિક સોનીને SMA-1 નામની ગંભીર બીમારીથી નિધન થયું હતું. આ બીમારી અતિદુર્લભ છે જે દર 10 હાજર બાળકમાંથી એકમાં જોવા મળે છે. જેનો ઈલાજ અમરિકામાં જ ઉપલબ્ધ છે, સારવાર માટે દર્દીના પરિવારને 16 કરોડ રૂપિયા ખર્ચવા પડતા હોય છે.


અનેક લોકો એ કરી મદદ છતાં....

અરવલ્લીના મોડાસાના દૈવિક સોનીના પિતા દેવાંગ સોની સોનીકામ કરી પોતાનું ઘર ચલાવે છે. જયારે પરિવારને ખબર પડી કે એમના ત્રણ માસના દૈવિકને SMA-1 (સ્પાઈનલ મસ્ક્યુલર એસ્ટ્રોપી) નામની ગંભીર બીમારી છે જેની સારવારની કિંમત 16 કરોડ છે, ત્યારે પોતાની આર્થિક હાલત નબળી હોવા છતાં પરિવારે હારન માનતા પોતાના કાળજાના કટકાને બચાવા ફંડ જમા કરવાનું શરૂ કર્યું હતું. જેમાં અનેક લોકોએ તેમને મદદ કરી હતી પરંતુ 16 કરોડ જેવી મોટી રકમ ભેગી કરવામાં સમય લાગતો હોય છે અને દૈવિક પાસે સમય ઓછો હતો અંતે પરિવારને પોતાના બાળકને ગુમાવાનો વારો આવ્યો હતો.  


જાણો SMA-1 બીમારી અને તેનાથી બચવાનો ઉપાય


SMA-1 ચેતા કોષોના નુકશાનને કારણે થાય છે. જેને મોટર ન્યુરોન્સ કહેવાય છે. જે શરીરના અંગોની હલનચલન નિયંત્રિત કરે છે. આ બીમારીથી સ્પાઈનલ પ્રોટીન બનવાનું બંધ થઈ જાય છે જેથી  બાળક હલનચલન નથી કરી શકતું. સાથે જ બાળકને શ્વાશ લેવામાં પણ મુશ્કેલી પડે છે. આ બીમારી જિનેટિક એટલે કે વારસાગત છે એટલે જો બાળકના જન્મ પેલાજ જો તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો બાળકને બચાવી શકાય છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .