ગુજરાતમાં ફરીવાર SMA-1 નામની બીમારીએ માસુમનો જીવ લીધો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 19:25:32

ગુજરાતમાં ફરી એકવાર આ રોગે લીધો માસુમનો જીવ 

કહેવાય છે કે ઈશ્વરની મરજી સામે કોઈનું નથી ચાલતું. વાત પણ સાચી છે, પરંતુ જયારે એ માતા-પિતા કે જે પોતાના વ્હાલસોયા બાળકને પોતાની નજર સામે મોતના મુખમાં જતા રોકવાના તમામ પ્રયત્ન કર્યા બાદ પણ બચાવી નથી શકતા ત્યારે ખરેખર હ્રદય દ્રવી ઉઠે છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના દૈવિક સોનીને SMA-1 નામની ગંભીર બીમારીથી નિધન થયું હતું. આ બીમારી અતિદુર્લભ છે જે દર 10 હાજર બાળકમાંથી એકમાં જોવા મળે છે. જેનો ઈલાજ અમરિકામાં જ ઉપલબ્ધ છે, સારવાર માટે દર્દીના પરિવારને 16 કરોડ રૂપિયા ખર્ચવા પડતા હોય છે.


અનેક લોકો એ કરી મદદ છતાં....

અરવલ્લીના મોડાસાના દૈવિક સોનીના પિતા દેવાંગ સોની સોનીકામ કરી પોતાનું ઘર ચલાવે છે. જયારે પરિવારને ખબર પડી કે એમના ત્રણ માસના દૈવિકને SMA-1 (સ્પાઈનલ મસ્ક્યુલર એસ્ટ્રોપી) નામની ગંભીર બીમારી છે જેની સારવારની કિંમત 16 કરોડ છે, ત્યારે પોતાની આર્થિક હાલત નબળી હોવા છતાં પરિવારે હારન માનતા પોતાના કાળજાના કટકાને બચાવા ફંડ જમા કરવાનું શરૂ કર્યું હતું. જેમાં અનેક લોકોએ તેમને મદદ કરી હતી પરંતુ 16 કરોડ જેવી મોટી રકમ ભેગી કરવામાં સમય લાગતો હોય છે અને દૈવિક પાસે સમય ઓછો હતો અંતે પરિવારને પોતાના બાળકને ગુમાવાનો વારો આવ્યો હતો.  


જાણો SMA-1 બીમારી અને તેનાથી બચવાનો ઉપાય


SMA-1 ચેતા કોષોના નુકશાનને કારણે થાય છે. જેને મોટર ન્યુરોન્સ કહેવાય છે. જે શરીરના અંગોની હલનચલન નિયંત્રિત કરે છે. આ બીમારીથી સ્પાઈનલ પ્રોટીન બનવાનું બંધ થઈ જાય છે જેથી  બાળક હલનચલન નથી કરી શકતું. સાથે જ બાળકને શ્વાશ લેવામાં પણ મુશ્કેલી પડે છે. આ બીમારી જિનેટિક એટલે કે વારસાગત છે એટલે જો બાળકના જન્મ પેલાજ જો તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો બાળકને બચાવી શકાય છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.