ગુજરાતમાં ફરીવાર SMA-1 નામની બીમારીએ માસુમનો જીવ લીધો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 19:25:32

ગુજરાતમાં ફરી એકવાર આ રોગે લીધો માસુમનો જીવ 

કહેવાય છે કે ઈશ્વરની મરજી સામે કોઈનું નથી ચાલતું. વાત પણ સાચી છે, પરંતુ જયારે એ માતા-પિતા કે જે પોતાના વ્હાલસોયા બાળકને પોતાની નજર સામે મોતના મુખમાં જતા રોકવાના તમામ પ્રયત્ન કર્યા બાદ પણ બચાવી નથી શકતા ત્યારે ખરેખર હ્રદય દ્રવી ઉઠે છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના દૈવિક સોનીને SMA-1 નામની ગંભીર બીમારીથી નિધન થયું હતું. આ બીમારી અતિદુર્લભ છે જે દર 10 હાજર બાળકમાંથી એકમાં જોવા મળે છે. જેનો ઈલાજ અમરિકામાં જ ઉપલબ્ધ છે, સારવાર માટે દર્દીના પરિવારને 16 કરોડ રૂપિયા ખર્ચવા પડતા હોય છે.


અનેક લોકો એ કરી મદદ છતાં....

અરવલ્લીના મોડાસાના દૈવિક સોનીના પિતા દેવાંગ સોની સોનીકામ કરી પોતાનું ઘર ચલાવે છે. જયારે પરિવારને ખબર પડી કે એમના ત્રણ માસના દૈવિકને SMA-1 (સ્પાઈનલ મસ્ક્યુલર એસ્ટ્રોપી) નામની ગંભીર બીમારી છે જેની સારવારની કિંમત 16 કરોડ છે, ત્યારે પોતાની આર્થિક હાલત નબળી હોવા છતાં પરિવારે હારન માનતા પોતાના કાળજાના કટકાને બચાવા ફંડ જમા કરવાનું શરૂ કર્યું હતું. જેમાં અનેક લોકોએ તેમને મદદ કરી હતી પરંતુ 16 કરોડ જેવી મોટી રકમ ભેગી કરવામાં સમય લાગતો હોય છે અને દૈવિક પાસે સમય ઓછો હતો અંતે પરિવારને પોતાના બાળકને ગુમાવાનો વારો આવ્યો હતો.  


જાણો SMA-1 બીમારી અને તેનાથી બચવાનો ઉપાય


SMA-1 ચેતા કોષોના નુકશાનને કારણે થાય છે. જેને મોટર ન્યુરોન્સ કહેવાય છે. જે શરીરના અંગોની હલનચલન નિયંત્રિત કરે છે. આ બીમારીથી સ્પાઈનલ પ્રોટીન બનવાનું બંધ થઈ જાય છે જેથી  બાળક હલનચલન નથી કરી શકતું. સાથે જ બાળકને શ્વાશ લેવામાં પણ મુશ્કેલી પડે છે. આ બીમારી જિનેટિક એટલે કે વારસાગત છે એટલે જો બાળકના જન્મ પેલાજ જો તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો બાળકને બચાવી શકાય છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે