Surat મનપાની ઘોર બેદરકારી! 15 કરોડના JCB ખરીદ્યા બાદ ખબર પડી કે ચલાવવાવાળા ડ્રાઈવર તો અમારી પાસે છે જ નહીં, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-16 13:53:49

ઘણી વખત એવા સમાચારો સામે આવતા હોય છે જેમાં વસ્તુની ખરીદી તો કરી લેવામાં આવતી હોય છે પરંતુ તે પછી તે વસ્તુઓ પછી ધૂળ ખાતી જોવા મળતી હોય છે. ત્યારે આવો જ કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાથી ફરિયાદ આવી છે કે અહીં મનપા તરફથી 23 જેટલી જેસીબી ખરીદવામાં આવી હતી પણ હજુ પણ આ 15 કરોડના નવા જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે આવી ટ્વિટ દિનેશ કાછડિયાએ કરી છે જેમાં તેઓ માફી માગી રહ્યા છે. 

કરોડો રૂપિયાના જેસીબી ખાઈ રહ્યા છે ધૂળ 

મહિના પહેલા જ્યારે સમાચાર આવ્યા હતા ત્યારે કહેવામાં આવ્યું હતું કે જેસીબીની આરટીઓ કામગીરી કરવામાં આવી રહી છે પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે બધુ બરોબર હોવા છતા પણ કરોડો રૂપિયાના જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. સામે એવું આવી રહ્યું છે કે સુરત મનપા પાસે જેસીબી ચલાવવા માટે કુશળ ડ્રાઈવર નથી. સવાલ અહીં એ થાય છે કે જો સુરત મનપા પાસે ડ્રાઈવર ન હતા, તો પછી જેસીબી ખરીદવા શા માટે આવ્યા, વર્ષ પહેલા લેવામાં આવેલા જેસીબી સુરત મહાનગરપાલિકામાં ધૂળ ખાઈ રહ્યા છે. 

ડ્રાઈવર નથી તો કેમ ખરીદ્યા આટલા જેસીબી?  

સુરત મહાનગરપાલિકા તરફથી 7 નાના રોલર જેસીબી અને 4 હેવી લોડર જેસીબીની ખરીદી કરવામાં આવી છે પણ હજુય આટલો સમય થઈ ગયો હોવા છતાં જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. સવાલ એ પણ થાય છે કે આ વસ્તુઓ કોઈ વેચી ખાશે તો જવાબદારી કોની રહેશે? શા માટે જેસીબી ખરીદવામાં આવી જો ચલાવવા માટે ડ્રાઈવર જ ન હતા, સવાલો ઘણા બધા છે આ બધુ લીધું એનાથી કોઈને વાંધો ન હોય પણ લેવા માટે જે જલ્દી કરવામાં આવી હતી. 

સુરતના મેયરે આવ્યું આ નિવેદન!

જ્યારે આ મામલે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાને ફોન કર્યો અને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો તો તેમનો જવાબ હતો કે હું વિગતો મેળવી લઉં પછી જવાબ આપું. તેની સામે સુરત વિપક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યું છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.