Surat મનપાની ઘોર બેદરકારી! 15 કરોડના JCB ખરીદ્યા બાદ ખબર પડી કે ચલાવવાવાળા ડ્રાઈવર તો અમારી પાસે છે જ નહીં, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-16 13:53:49

ઘણી વખત એવા સમાચારો સામે આવતા હોય છે જેમાં વસ્તુની ખરીદી તો કરી લેવામાં આવતી હોય છે પરંતુ તે પછી તે વસ્તુઓ પછી ધૂળ ખાતી જોવા મળતી હોય છે. ત્યારે આવો જ કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાથી ફરિયાદ આવી છે કે અહીં મનપા તરફથી 23 જેટલી જેસીબી ખરીદવામાં આવી હતી પણ હજુ પણ આ 15 કરોડના નવા જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે આવી ટ્વિટ દિનેશ કાછડિયાએ કરી છે જેમાં તેઓ માફી માગી રહ્યા છે. 

કરોડો રૂપિયાના જેસીબી ખાઈ રહ્યા છે ધૂળ 

મહિના પહેલા જ્યારે સમાચાર આવ્યા હતા ત્યારે કહેવામાં આવ્યું હતું કે જેસીબીની આરટીઓ કામગીરી કરવામાં આવી રહી છે પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે બધુ બરોબર હોવા છતા પણ કરોડો રૂપિયાના જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. સામે એવું આવી રહ્યું છે કે સુરત મનપા પાસે જેસીબી ચલાવવા માટે કુશળ ડ્રાઈવર નથી. સવાલ અહીં એ થાય છે કે જો સુરત મનપા પાસે ડ્રાઈવર ન હતા, તો પછી જેસીબી ખરીદવા શા માટે આવ્યા, વર્ષ પહેલા લેવામાં આવેલા જેસીબી સુરત મહાનગરપાલિકામાં ધૂળ ખાઈ રહ્યા છે. 

ડ્રાઈવર નથી તો કેમ ખરીદ્યા આટલા જેસીબી?  

સુરત મહાનગરપાલિકા તરફથી 7 નાના રોલર જેસીબી અને 4 હેવી લોડર જેસીબીની ખરીદી કરવામાં આવી છે પણ હજુય આટલો સમય થઈ ગયો હોવા છતાં જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. સવાલ એ પણ થાય છે કે આ વસ્તુઓ કોઈ વેચી ખાશે તો જવાબદારી કોની રહેશે? શા માટે જેસીબી ખરીદવામાં આવી જો ચલાવવા માટે ડ્રાઈવર જ ન હતા, સવાલો ઘણા બધા છે આ બધુ લીધું એનાથી કોઈને વાંધો ન હોય પણ લેવા માટે જે જલ્દી કરવામાં આવી હતી. 

સુરતના મેયરે આવ્યું આ નિવેદન!

જ્યારે આ મામલે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાને ફોન કર્યો અને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો તો તેમનો જવાબ હતો કે હું વિગતો મેળવી લઉં પછી જવાબ આપું. તેની સામે સુરત વિપક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યું છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.