Surat મનપાની ઘોર બેદરકારી! 15 કરોડના JCB ખરીદ્યા બાદ ખબર પડી કે ચલાવવાવાળા ડ્રાઈવર તો અમારી પાસે છે જ નહીં, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-16 13:53:49

ઘણી વખત એવા સમાચારો સામે આવતા હોય છે જેમાં વસ્તુની ખરીદી તો કરી લેવામાં આવતી હોય છે પરંતુ તે પછી તે વસ્તુઓ પછી ધૂળ ખાતી જોવા મળતી હોય છે. ત્યારે આવો જ કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાથી ફરિયાદ આવી છે કે અહીં મનપા તરફથી 23 જેટલી જેસીબી ખરીદવામાં આવી હતી પણ હજુ પણ આ 15 કરોડના નવા જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે આવી ટ્વિટ દિનેશ કાછડિયાએ કરી છે જેમાં તેઓ માફી માગી રહ્યા છે. 

કરોડો રૂપિયાના જેસીબી ખાઈ રહ્યા છે ધૂળ 

મહિના પહેલા જ્યારે સમાચાર આવ્યા હતા ત્યારે કહેવામાં આવ્યું હતું કે જેસીબીની આરટીઓ કામગીરી કરવામાં આવી રહી છે પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે બધુ બરોબર હોવા છતા પણ કરોડો રૂપિયાના જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. સામે એવું આવી રહ્યું છે કે સુરત મનપા પાસે જેસીબી ચલાવવા માટે કુશળ ડ્રાઈવર નથી. સવાલ અહીં એ થાય છે કે જો સુરત મનપા પાસે ડ્રાઈવર ન હતા, તો પછી જેસીબી ખરીદવા શા માટે આવ્યા, વર્ષ પહેલા લેવામાં આવેલા જેસીબી સુરત મહાનગરપાલિકામાં ધૂળ ખાઈ રહ્યા છે. 

ડ્રાઈવર નથી તો કેમ ખરીદ્યા આટલા જેસીબી?  

સુરત મહાનગરપાલિકા તરફથી 7 નાના રોલર જેસીબી અને 4 હેવી લોડર જેસીબીની ખરીદી કરવામાં આવી છે પણ હજુય આટલો સમય થઈ ગયો હોવા છતાં જેસીબી ધૂળ ખાઈ રહ્યા છે. સવાલ એ પણ થાય છે કે આ વસ્તુઓ કોઈ વેચી ખાશે તો જવાબદારી કોની રહેશે? શા માટે જેસીબી ખરીદવામાં આવી જો ચલાવવા માટે ડ્રાઈવર જ ન હતા, સવાલો ઘણા બધા છે આ બધુ લીધું એનાથી કોઈને વાંધો ન હોય પણ લેવા માટે જે જલ્દી કરવામાં આવી હતી. 

સુરતના મેયરે આવ્યું આ નિવેદન!

જ્યારે આ મામલે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાને ફોન કર્યો અને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો તો તેમનો જવાબ હતો કે હું વિગતો મેળવી લઉં પછી જવાબ આપું. તેની સામે સુરત વિપક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યું છે.  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે