ગૌરવ યાત્રામાં સ્મૃતિ ઈરાની થયા સામેલ, આણંદ ખાતે સંબોધન વખતે આપ કર્યા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 09:07:29

ગુજરાતમાં પ્રચાર કરવા ભાજપે કેન્દ્રીય મંત્રીઓની ફોજ ઉતારી છે. અનેક કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં આવી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર માટે ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં આ યાત્રા ફરી ભાજપનો પ્રચાર કરી રહી છે. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પણ હાજરી આપી રહ્યા છે. ત્યારે આણંદ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં ગૈરવ યાત્રા નિકળી હતી. પોતાના ભાષણ દરમિયાન સ્મૃતિએ નામ લીધા વગર આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી.   

આમ આદમી પાર્ટી પર સ્મૃતિ ઈરાનીએ કર્યા પ્રહાર

આણંદ ખાતે સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં ગૌરવ યાત્રા નીકળી હતી જેને સારુ જનસમર્થન મળ્યું હતું. પોતાના યાત્રા દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી પર નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક નેતાઓ માત્ર અપશબ્દ બોલીને તમામ મર્યાદાની હદો વટાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં આ મુદ્દો ધર્મનો કે જાતિનો નથી પરંતુ ગુજરાતના સંસ્કારોનો છે. આ પાર્ટી એવો દાવો કરી રહી છે કે ગુજરાતને નવા એન્જીનની જરૂર છે પરંતુ તેમની પોતાની ગાડી બંધ થઈ ગઈ છે.


ભાજપ તેમજ વડાપ્રધાન મોદીના કર્યા વખાણ 

ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવાની જવાબદારી હાઈકમાન્ડે કેન્દ્રીય મંત્રીઓને સોંપી છે. જેને લઈ અનેક કેન્દ્રીય મંત્રીઓ એકબાદ એક ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન સ્મૃતિ ઈરાનીએ ભાજપના અને વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ અત્યારસુધી જેટલું કામ કર્યું છે એટલુ કામ કરવાની તાકાત અન્ય લોકોમાં નથી. આવા લોકો કામમાં તાકાત લગાડવાની જગ્યાએ માતાને અપશબ્દ બોલવામાં વેડફે છે. અનેક વખત ગુજરાતમાં રસાકસીનો માહોલ જામ્યો છે પરંતુ અત્યારસુધી કોઈના પણ માતા વિશે અપશબ્દ બોલ્યા નથી.     




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"