ગૌરવ યાત્રામાં સ્મૃતિ ઈરાની થયા સામેલ, આણંદ ખાતે સંબોધન વખતે આપ કર્યા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 09:07:29

ગુજરાતમાં પ્રચાર કરવા ભાજપે કેન્દ્રીય મંત્રીઓની ફોજ ઉતારી છે. અનેક કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં આવી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર માટે ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં આ યાત્રા ફરી ભાજપનો પ્રચાર કરી રહી છે. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પણ હાજરી આપી રહ્યા છે. ત્યારે આણંદ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં ગૈરવ યાત્રા નિકળી હતી. પોતાના ભાષણ દરમિયાન સ્મૃતિએ નામ લીધા વગર આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી.   

આમ આદમી પાર્ટી પર સ્મૃતિ ઈરાનીએ કર્યા પ્રહાર

આણંદ ખાતે સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં ગૌરવ યાત્રા નીકળી હતી જેને સારુ જનસમર્થન મળ્યું હતું. પોતાના યાત્રા દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી પર નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક નેતાઓ માત્ર અપશબ્દ બોલીને તમામ મર્યાદાની હદો વટાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં આ મુદ્દો ધર્મનો કે જાતિનો નથી પરંતુ ગુજરાતના સંસ્કારોનો છે. આ પાર્ટી એવો દાવો કરી રહી છે કે ગુજરાતને નવા એન્જીનની જરૂર છે પરંતુ તેમની પોતાની ગાડી બંધ થઈ ગઈ છે.


ભાજપ તેમજ વડાપ્રધાન મોદીના કર્યા વખાણ 

ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવાની જવાબદારી હાઈકમાન્ડે કેન્દ્રીય મંત્રીઓને સોંપી છે. જેને લઈ અનેક કેન્દ્રીય મંત્રીઓ એકબાદ એક ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન સ્મૃતિ ઈરાનીએ ભાજપના અને વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ અત્યારસુધી જેટલું કામ કર્યું છે એટલુ કામ કરવાની તાકાત અન્ય લોકોમાં નથી. આવા લોકો કામમાં તાકાત લગાડવાની જગ્યાએ માતાને અપશબ્દ બોલવામાં વેડફે છે. અનેક વખત ગુજરાતમાં રસાકસીનો માહોલ જામ્યો છે પરંતુ અત્યારસુધી કોઈના પણ માતા વિશે અપશબ્દ બોલ્યા નથી.     




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.