કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર સ્મૃતિ ઈરાનીએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2022-12-20 16:17:08

 કોંગ્રેસના નેતા અજય રાયે સ્મૃતિ ઈરાનીને લઈ ટિપ્પણી કરી હતી. અજય રાયે કહ્યું હતું કે સ્મૃતિ ઈરાની લટકે-ઝટકે દેખાડવા જ પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં આવે છે. અમેઠીને જોઈ તે જતા રહે છે. સ્મૃતિ ઈરાની પર કરવામાં આવેલા અશોભનિય ટિપ્પણીને લઈ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ આ વાતનો જવાબ આપતા ટ્વિટ કર્યું છે.


અજય રાયે સ્મૃતિ ઈરાની પર કરી હતી ટિપ્પણી

2017માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં અમેઠીથી સ્મૃતિ ઈરાની જીત્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી લડી રહ્યા હતા. પરંતુ તેમની હાર થઈ ગઈ હતી. ત્યારે કોંગ્રેસના નેતા અજય રાયે સ્મૃતિ ઈરાની પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે સ્મૃતિ ઈરાની અમેઠીની મુલાકાત માત્ર લટકે-ઝટકે બતાડવા જ આવે છે. સ્મૃતિ ઈરાનીના કાર્યકાળ દરમિયાન અમેઠીની જનતાને કંઈ નથી મળ્યું. વધુમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે વારાણસીથી રાહુલ ગાંધી ચૂંટણી લડી શકે છે અને પીએમ મોદીને પરાસ્ત કરશે. 


સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરી કટાક્ષ કર્યો 

આ ટિપ્પીને લઈ સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો છે. ટ્વિટર પર સ્મૃતિ ઈરાનીએ લખ્યું કે સાંભળ્યું છે કે રાહુલ ગાંધીએ પ્રાંતિય નેતા દ્વારા જાહેરાત કરાવડાઈ કે 2024થી રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાના છે. તો શું હું પાક્કું સમજુ કે તમે અમેઠીથી ચૂંટણી લડશો? કોઈ બીજી સીટ પર તો નહીં ભાગી જાવને? તેમને ડર નથી લાગતો?



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે