કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર સ્મૃતિ ઈરાનીએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2022-12-20 16:17:08

 કોંગ્રેસના નેતા અજય રાયે સ્મૃતિ ઈરાનીને લઈ ટિપ્પણી કરી હતી. અજય રાયે કહ્યું હતું કે સ્મૃતિ ઈરાની લટકે-ઝટકે દેખાડવા જ પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં આવે છે. અમેઠીને જોઈ તે જતા રહે છે. સ્મૃતિ ઈરાની પર કરવામાં આવેલા અશોભનિય ટિપ્પણીને લઈ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ આ વાતનો જવાબ આપતા ટ્વિટ કર્યું છે.


અજય રાયે સ્મૃતિ ઈરાની પર કરી હતી ટિપ્પણી

2017માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં અમેઠીથી સ્મૃતિ ઈરાની જીત્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી લડી રહ્યા હતા. પરંતુ તેમની હાર થઈ ગઈ હતી. ત્યારે કોંગ્રેસના નેતા અજય રાયે સ્મૃતિ ઈરાની પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે સ્મૃતિ ઈરાની અમેઠીની મુલાકાત માત્ર લટકે-ઝટકે બતાડવા જ આવે છે. સ્મૃતિ ઈરાનીના કાર્યકાળ દરમિયાન અમેઠીની જનતાને કંઈ નથી મળ્યું. વધુમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે વારાણસીથી રાહુલ ગાંધી ચૂંટણી લડી શકે છે અને પીએમ મોદીને પરાસ્ત કરશે. 


સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરી કટાક્ષ કર્યો 

આ ટિપ્પીને લઈ સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો છે. ટ્વિટર પર સ્મૃતિ ઈરાનીએ લખ્યું કે સાંભળ્યું છે કે રાહુલ ગાંધીએ પ્રાંતિય નેતા દ્વારા જાહેરાત કરાવડાઈ કે 2024થી રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાના છે. તો શું હું પાક્કું સમજુ કે તમે અમેઠીથી ચૂંટણી લડશો? કોઈ બીજી સીટ પર તો નહીં ભાગી જાવને? તેમને ડર નથી લાગતો?



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.