અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસોના નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ આપ્યો વળતો જવાબ, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-02-17 17:27:44

અદાણીના મુદ્દાની ચર્ચા ન માત્ર ભારતમાં પણ વિશ્વના અનેક દેશોમાં થઈ રહી છે. ત્યારે અમેરિકાના મોટા બિઝનેસમેન ગણતા જ્યોર્જ સોરોસોએ અદાણીના મુદ્દાને લઈ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. સોરસોએ કીધું હતું કે પીએમ મોદી આ મુદ્દે શાંત છે. તેમણે એવો દાવો કર્યો હતો કે અદાણીના મુદ્દે ભારતમાં એક લોકતાંત્રિક પરિવર્તન થશે. આ વાતને લઈ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જ્યોર્જ સોરોસે વડાપ્રધાન મોદી વિશે આપેલા નિવેદનને વિદેશી કાવતરૂ ગણાવ્યું છે. 


અદાણી મુદ્દે જ્યોર્જ સોરસે સાધ્યું હતું વડાપ્રધાન મોદી પર નિશાન 

હિંડનબર્ગે અદાણી મુદ્દે એક રિપોર્ટ બહાર આપ્યો હતો જેને લઈ અદાણીની સંપત્તિનું ધોવાણ થયું હતું. અદાણીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે મ્યુનિખ સિક્યોરિટી કાઉન્સિલની મિટિંગ દરમિયાન અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરસે નિવેદન આપ્યું હતું કે સ્ટોક માર્કેટમાં અદાણીના શેર પત્તાંની જેમ વિખેરાઈ ગયા. મોદીએ આના પર જવાબ આપવો પડશે, જેનાથી સરકાર પર તેમની પકડ નબળી પડશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં મોદી અને બિઝનેસ ટાઈકૂન અદાણી એકબીજાના સહયોગી છે. વધુમાં તેમણે કહ્યું કે ભારત ક્વાડનું સભ્ય છે, જેમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન પણ તેમની સાથે છે. આમ છતાં ભારત રશિયાથી મોટા ડિસ્કાઉન્ટમાં તેલ ખરીદી નફો કમાઈ રહ્યું છે. તે સિવાય અનેક બાબતો પર જ્યોર્જ   


સ્મૃતિ ઈરાનીએ આપ્યો હતો વળતો જવાબ 

આ બધા પર સ્મૃતિ ઈરાનીએ વળતો જવાબ આપ્યો છે. જ્યોર્જે કહ્યું હતું કે ભારત લોકતાંત્રિક દેશ છે પરંતુ વડાપ્રધાન મોદી લોકતાંત્રિક નથી. તેમનું ઝડપથી નેતા બનવાનું કારણ છે મુસ્લિમો સાથે કરેલી હિંસા. આ નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો કે વિદેશી ધરતીથી ભારતના લોકતાંત્રિક માળખાને નબળું બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ભારતની ડેમોક્રેસીમાં દખલઅંદાજી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 


સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો હતો કે જ્યોર્જ સોરોસે એલાન કર્યું હતું કે હિન્દુસ્તાનમાં એવી વ્યવસ્થા બનાવીશું, જે તેના હિતની નહીં, પણ તેમના પોતાના હિતની રક્ષા કરશે. તેમણે કહ્યું હતું કે ભારતના લોકતાંત્રિક માળખા પર પ્રહાર કરીશું અને પીએમ મોદીને પ્રહારના કેન્દ્રમાં રાખીશું. આનો દરેક ભારતીયે જડબાતોડ જવાબ આપવો જોઈએ.      




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.