અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસોના નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ આપ્યો વળતો જવાબ, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-02-17 17:27:44

અદાણીના મુદ્દાની ચર્ચા ન માત્ર ભારતમાં પણ વિશ્વના અનેક દેશોમાં થઈ રહી છે. ત્યારે અમેરિકાના મોટા બિઝનેસમેન ગણતા જ્યોર્જ સોરોસોએ અદાણીના મુદ્દાને લઈ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. સોરસોએ કીધું હતું કે પીએમ મોદી આ મુદ્દે શાંત છે. તેમણે એવો દાવો કર્યો હતો કે અદાણીના મુદ્દે ભારતમાં એક લોકતાંત્રિક પરિવર્તન થશે. આ વાતને લઈ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જ્યોર્જ સોરોસે વડાપ્રધાન મોદી વિશે આપેલા નિવેદનને વિદેશી કાવતરૂ ગણાવ્યું છે. 


અદાણી મુદ્દે જ્યોર્જ સોરસે સાધ્યું હતું વડાપ્રધાન મોદી પર નિશાન 

હિંડનબર્ગે અદાણી મુદ્દે એક રિપોર્ટ બહાર આપ્યો હતો જેને લઈ અદાણીની સંપત્તિનું ધોવાણ થયું હતું. અદાણીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે મ્યુનિખ સિક્યોરિટી કાઉન્સિલની મિટિંગ દરમિયાન અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરસે નિવેદન આપ્યું હતું કે સ્ટોક માર્કેટમાં અદાણીના શેર પત્તાંની જેમ વિખેરાઈ ગયા. મોદીએ આના પર જવાબ આપવો પડશે, જેનાથી સરકાર પર તેમની પકડ નબળી પડશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં મોદી અને બિઝનેસ ટાઈકૂન અદાણી એકબીજાના સહયોગી છે. વધુમાં તેમણે કહ્યું કે ભારત ક્વાડનું સભ્ય છે, જેમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન પણ તેમની સાથે છે. આમ છતાં ભારત રશિયાથી મોટા ડિસ્કાઉન્ટમાં તેલ ખરીદી નફો કમાઈ રહ્યું છે. તે સિવાય અનેક બાબતો પર જ્યોર્જ   


સ્મૃતિ ઈરાનીએ આપ્યો હતો વળતો જવાબ 

આ બધા પર સ્મૃતિ ઈરાનીએ વળતો જવાબ આપ્યો છે. જ્યોર્જે કહ્યું હતું કે ભારત લોકતાંત્રિક દેશ છે પરંતુ વડાપ્રધાન મોદી લોકતાંત્રિક નથી. તેમનું ઝડપથી નેતા બનવાનું કારણ છે મુસ્લિમો સાથે કરેલી હિંસા. આ નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો કે વિદેશી ધરતીથી ભારતના લોકતાંત્રિક માળખાને નબળું બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ભારતની ડેમોક્રેસીમાં દખલઅંદાજી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 


સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો હતો કે જ્યોર્જ સોરોસે એલાન કર્યું હતું કે હિન્દુસ્તાનમાં એવી વ્યવસ્થા બનાવીશું, જે તેના હિતની નહીં, પણ તેમના પોતાના હિતની રક્ષા કરશે. તેમણે કહ્યું હતું કે ભારતના લોકતાંત્રિક માળખા પર પ્રહાર કરીશું અને પીએમ મોદીને પ્રહારના કેન્દ્રમાં રાખીશું. આનો દરેક ભારતીયે જડબાતોડ જવાબ આપવો જોઈએ.      




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.