અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસોના નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ આપ્યો વળતો જવાબ, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-02-17 17:27:44

અદાણીના મુદ્દાની ચર્ચા ન માત્ર ભારતમાં પણ વિશ્વના અનેક દેશોમાં થઈ રહી છે. ત્યારે અમેરિકાના મોટા બિઝનેસમેન ગણતા જ્યોર્જ સોરોસોએ અદાણીના મુદ્દાને લઈ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. સોરસોએ કીધું હતું કે પીએમ મોદી આ મુદ્દે શાંત છે. તેમણે એવો દાવો કર્યો હતો કે અદાણીના મુદ્દે ભારતમાં એક લોકતાંત્રિક પરિવર્તન થશે. આ વાતને લઈ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જ્યોર્જ સોરોસે વડાપ્રધાન મોદી વિશે આપેલા નિવેદનને વિદેશી કાવતરૂ ગણાવ્યું છે. 


અદાણી મુદ્દે જ્યોર્જ સોરસે સાધ્યું હતું વડાપ્રધાન મોદી પર નિશાન 

હિંડનબર્ગે અદાણી મુદ્દે એક રિપોર્ટ બહાર આપ્યો હતો જેને લઈ અદાણીની સંપત્તિનું ધોવાણ થયું હતું. અદાણીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે મ્યુનિખ સિક્યોરિટી કાઉન્સિલની મિટિંગ દરમિયાન અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરસે નિવેદન આપ્યું હતું કે સ્ટોક માર્કેટમાં અદાણીના શેર પત્તાંની જેમ વિખેરાઈ ગયા. મોદીએ આના પર જવાબ આપવો પડશે, જેનાથી સરકાર પર તેમની પકડ નબળી પડશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં મોદી અને બિઝનેસ ટાઈકૂન અદાણી એકબીજાના સહયોગી છે. વધુમાં તેમણે કહ્યું કે ભારત ક્વાડનું સભ્ય છે, જેમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન પણ તેમની સાથે છે. આમ છતાં ભારત રશિયાથી મોટા ડિસ્કાઉન્ટમાં તેલ ખરીદી નફો કમાઈ રહ્યું છે. તે સિવાય અનેક બાબતો પર જ્યોર્જ   


સ્મૃતિ ઈરાનીએ આપ્યો હતો વળતો જવાબ 

આ બધા પર સ્મૃતિ ઈરાનીએ વળતો જવાબ આપ્યો છે. જ્યોર્જે કહ્યું હતું કે ભારત લોકતાંત્રિક દેશ છે પરંતુ વડાપ્રધાન મોદી લોકતાંત્રિક નથી. તેમનું ઝડપથી નેતા બનવાનું કારણ છે મુસ્લિમો સાથે કરેલી હિંસા. આ નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો કે વિદેશી ધરતીથી ભારતના લોકતાંત્રિક માળખાને નબળું બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ભારતની ડેમોક્રેસીમાં દખલઅંદાજી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 


સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો હતો કે જ્યોર્જ સોરોસે એલાન કર્યું હતું કે હિન્દુસ્તાનમાં એવી વ્યવસ્થા બનાવીશું, જે તેના હિતની નહીં, પણ તેમના પોતાના હિતની રક્ષા કરશે. તેમણે કહ્યું હતું કે ભારતના લોકતાંત્રિક માળખા પર પ્રહાર કરીશું અને પીએમ મોદીને પ્રહારના કેન્દ્રમાં રાખીશું. આનો દરેક ભારતીયે જડબાતોડ જવાબ આપવો જોઈએ.      




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.