ગોપાલ ઈટાલિયાના વાયરલ વીડિયો પર સ્મૃતિની પ્રતિક્રિયા, PMની માતા પર વીડિયોમાં કર્યા છે પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 13:09:52

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક ટપાટપી ઉગ્ર બની રહી છે. ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો સામે આવી રહ્યા છે. ત્યારે ઈટાલિયાનો વીડિયો બીજો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ વડાપ્રધાનની માતા અંગે ટિપ્પણી કરી રહ્યા છે. ઈટાલિયાનો વીડિયો વાયરલ થતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઈટાલિયા પર નિશાન સાધ્યું હતું. 

આ વીડિયોને લઈ છેડાયું વાકયુદ્ધ 

ચૂંટણી નજીક આવતા ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો એક બાદ એક સામે આવી રહ્યા છે. પોતાના એક વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. પીએમ માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. આ મામલો શાંત થાય તે પહેલા તેમનો બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બા પર ટિપ્પણી કરી રહ્યા છે.

  

અરવિંદ કેજરીવાલ અને આપ પર ઈરાનીના પ્રહાર 

આ વીડિયો વાયરલ થયા બાદ સ્મૃતિ ઈરાનીએ આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપી છે. પોતાના નિવેદનમાં તેમણે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે  કહ્યું કે 100 વર્ષીય એક માતાનું આવી રીતે અપમાન કરવું ચોકાવનારું છે. આ વડીલ કહેવાય અને તેમને કોઈનું કશું બગાડ્યું નથી. પ્રધાન સેવકની માતાનું એટલા માટે અપમાન થઈ રહ્યું છે. કારણે તે પોતાની રાજનીતિને ચમકાવી રહ્યા છે. ગુજરાત અને ગુજરાતીઓએ સંકલ્પ કર્યો છે કે આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં ધ્વસ્ત કરી દઈશું. 


કયાં જઈને અટકશે આ બધું 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિનું સ્તર સતત ઘટી રહ્યું છે. દરેક પાર્ટી એક બીજા પર પ્રહાર કરી રહ્યા છે. પરંતુ આ પ્રહાર માત્ર પાર્ટી સુધી સિમીત રહે તે જરૂરી બન્યું છે. પરંતુ હવે ગુજરાતની રાજનીતિમાં મુખ્ય મુદ્દાઓ ભૂલાઈ ગયા છે. મુદ્દાઓ સાઈડમાં મૂકાઈ ગયા છે અને રાજનીતિ વ્યક્તિગત થઈ ગઈ છે. ભલે ગોપાલના વિડીયો જૂના હોય પરંતુ તેમણે પોતે જ આ વાક્યો કહ્યા હતા. આ વાતને તો તે નકારી નહીં કરી શકે.          



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"