ગોપાલ ઈટાલિયાના વાયરલ વીડિયો પર સ્મૃતિની પ્રતિક્રિયા, PMની માતા પર વીડિયોમાં કર્યા છે પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 13:09:52

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક ટપાટપી ઉગ્ર બની રહી છે. ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો સામે આવી રહ્યા છે. ત્યારે ઈટાલિયાનો વીડિયો બીજો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ વડાપ્રધાનની માતા અંગે ટિપ્પણી કરી રહ્યા છે. ઈટાલિયાનો વીડિયો વાયરલ થતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઈટાલિયા પર નિશાન સાધ્યું હતું. 

આ વીડિયોને લઈ છેડાયું વાકયુદ્ધ 

ચૂંટણી નજીક આવતા ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો એક બાદ એક સામે આવી રહ્યા છે. પોતાના એક વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. પીએમ માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. આ મામલો શાંત થાય તે પહેલા તેમનો બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બા પર ટિપ્પણી કરી રહ્યા છે.

  

અરવિંદ કેજરીવાલ અને આપ પર ઈરાનીના પ્રહાર 

આ વીડિયો વાયરલ થયા બાદ સ્મૃતિ ઈરાનીએ આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપી છે. પોતાના નિવેદનમાં તેમણે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે  કહ્યું કે 100 વર્ષીય એક માતાનું આવી રીતે અપમાન કરવું ચોકાવનારું છે. આ વડીલ કહેવાય અને તેમને કોઈનું કશું બગાડ્યું નથી. પ્રધાન સેવકની માતાનું એટલા માટે અપમાન થઈ રહ્યું છે. કારણે તે પોતાની રાજનીતિને ચમકાવી રહ્યા છે. ગુજરાત અને ગુજરાતીઓએ સંકલ્પ કર્યો છે કે આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં ધ્વસ્ત કરી દઈશું. 


કયાં જઈને અટકશે આ બધું 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિનું સ્તર સતત ઘટી રહ્યું છે. દરેક પાર્ટી એક બીજા પર પ્રહાર કરી રહ્યા છે. પરંતુ આ પ્રહાર માત્ર પાર્ટી સુધી સિમીત રહે તે જરૂરી બન્યું છે. પરંતુ હવે ગુજરાતની રાજનીતિમાં મુખ્ય મુદ્દાઓ ભૂલાઈ ગયા છે. મુદ્દાઓ સાઈડમાં મૂકાઈ ગયા છે અને રાજનીતિ વ્યક્તિગત થઈ ગઈ છે. ભલે ગોપાલના વિડીયો જૂના હોય પરંતુ તેમણે પોતે જ આ વાક્યો કહ્યા હતા. આ વાતને તો તે નકારી નહીં કરી શકે.          



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.