સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી માટે આપેલા નિવેદનથી મચ્યો ખળભળાટ! એવું તો શું કહ્યું કે લોકો સ્મૃતિ ઈરાનીને જૂની તસવીરો કરાવી રહ્યા છે યાદ!


  • Published By :
  • Published Date : 2023-05-06 13:35:30

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીને મંદિરને લઈ એક ઈન્ટરવ્યુમાં સવાલ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતાના મંદિર વાળા નિવેદન પર તેમની પ્રતિક્રિયા માગી હતી. તેના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ દાવો કર્યો હતો કે થોડા વર્ષો પહેલા સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને નમાજ અદા કરતા જોયા હતા. પ્રિયંકા ગાંધી ક્યારે અને ક્યાં નમાજ અદા કરતા દેખાયા હતા તે પણ જણાવ્યું હતું. સ્મૃતિ ઈરાનીનું આ ઈન્ટરવ્યું વાયરલ થયા બાદ અનેક યુઝર્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક ભાજપના નેતાઓની તસવીરો શેર કરી હતી. અનેક વીડિયો તેમજ ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં બીજેપીના નેતાઓ મુસ્લિમ સમુદાયના લોકો સાથે દેખાઈ રહ્યા છે.

     


પ્રિયંકા ગાંધીએ નમાજ અદા કરી હતી!

કર્ણાટકમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. અભદ્ર શબ્દોથી લઈને બજરંગબલીના નામનો ઉપયોગ આ વખતની ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને લઈ ટિપ્પણી કરી છે. જેમાં સ્મૃતિ ઈરાની દાવો કરી રહ્યા છે કે 2019માં તેમણે શ્રીમતી વાડ્રાને રસ્તા પર નમાજ અદા કરતા જોયા હતા. ઈસ્લામ ધર્મમાં માનનારા મૂર્તિપૂજક ન બની શકે, મંદિર ન બનાવી શકે તેવું સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું. 


ભાજપના નેતાઓના ફોટા પણ થઈ રહ્યા છે વાયરલ!

સ્મૃતિ ઈરાનીનો ઈન્ટરવ્યું વાયરલ થતાં ટ્વિટર પર સ્મૃતિ ઈરાની ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે. અનેક યુઝર્સ દ્વારા આ મામલે ટ્વિટ કરવામાં આવી રહી છે, જેમાં ભાજપના નેતાઓ મુસ્લિમ સમુદાયના લોકો સાથે દેખાઈ રહ્યા છે. જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં સ્મૃતિ ઈરાની પણ દેખાઈ રહ્યા છે. સ્મૃતિ ઈરાની અને પીએમ મોદીની તસવીર છે જેમાં અજમેર શરીફ માટે ચાદર ભેટ કરી હતી. ત્યારે આ મુદ્દે તમારૂ શું કહેવું છે?    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.