સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી માટે આપેલા નિવેદનથી મચ્યો ખળભળાટ! એવું તો શું કહ્યું કે લોકો સ્મૃતિ ઈરાનીને જૂની તસવીરો કરાવી રહ્યા છે યાદ!


  • Published By :
  • Published Date : 2023-05-06 13:35:30

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીને મંદિરને લઈ એક ઈન્ટરવ્યુમાં સવાલ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતાના મંદિર વાળા નિવેદન પર તેમની પ્રતિક્રિયા માગી હતી. તેના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ દાવો કર્યો હતો કે થોડા વર્ષો પહેલા સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને નમાજ અદા કરતા જોયા હતા. પ્રિયંકા ગાંધી ક્યારે અને ક્યાં નમાજ અદા કરતા દેખાયા હતા તે પણ જણાવ્યું હતું. સ્મૃતિ ઈરાનીનું આ ઈન્ટરવ્યું વાયરલ થયા બાદ અનેક યુઝર્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક ભાજપના નેતાઓની તસવીરો શેર કરી હતી. અનેક વીડિયો તેમજ ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં બીજેપીના નેતાઓ મુસ્લિમ સમુદાયના લોકો સાથે દેખાઈ રહ્યા છે.

     


પ્રિયંકા ગાંધીએ નમાજ અદા કરી હતી!

કર્ણાટકમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. અભદ્ર શબ્દોથી લઈને બજરંગબલીના નામનો ઉપયોગ આ વખતની ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને લઈ ટિપ્પણી કરી છે. જેમાં સ્મૃતિ ઈરાની દાવો કરી રહ્યા છે કે 2019માં તેમણે શ્રીમતી વાડ્રાને રસ્તા પર નમાજ અદા કરતા જોયા હતા. ઈસ્લામ ધર્મમાં માનનારા મૂર્તિપૂજક ન બની શકે, મંદિર ન બનાવી શકે તેવું સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું. 


ભાજપના નેતાઓના ફોટા પણ થઈ રહ્યા છે વાયરલ!

સ્મૃતિ ઈરાનીનો ઈન્ટરવ્યું વાયરલ થતાં ટ્વિટર પર સ્મૃતિ ઈરાની ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે. અનેક યુઝર્સ દ્વારા આ મામલે ટ્વિટ કરવામાં આવી રહી છે, જેમાં ભાજપના નેતાઓ મુસ્લિમ સમુદાયના લોકો સાથે દેખાઈ રહ્યા છે. જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં સ્મૃતિ ઈરાની પણ દેખાઈ રહ્યા છે. સ્મૃતિ ઈરાની અને પીએમ મોદીની તસવીર છે જેમાં અજમેર શરીફ માટે ચાદર ભેટ કરી હતી. ત્યારે આ મુદ્દે તમારૂ શું કહેવું છે?    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.