સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી માટે આપેલા નિવેદનથી મચ્યો ખળભળાટ! એવું તો શું કહ્યું કે લોકો સ્મૃતિ ઈરાનીને જૂની તસવીરો કરાવી રહ્યા છે યાદ!


  • Published By :
  • Published Date : 2023-05-06 13:35:30

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીને મંદિરને લઈ એક ઈન્ટરવ્યુમાં સવાલ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતાના મંદિર વાળા નિવેદન પર તેમની પ્રતિક્રિયા માગી હતી. તેના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ દાવો કર્યો હતો કે થોડા વર્ષો પહેલા સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને નમાજ અદા કરતા જોયા હતા. પ્રિયંકા ગાંધી ક્યારે અને ક્યાં નમાજ અદા કરતા દેખાયા હતા તે પણ જણાવ્યું હતું. સ્મૃતિ ઈરાનીનું આ ઈન્ટરવ્યું વાયરલ થયા બાદ અનેક યુઝર્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક ભાજપના નેતાઓની તસવીરો શેર કરી હતી. અનેક વીડિયો તેમજ ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં બીજેપીના નેતાઓ મુસ્લિમ સમુદાયના લોકો સાથે દેખાઈ રહ્યા છે.

     


પ્રિયંકા ગાંધીએ નમાજ અદા કરી હતી!

કર્ણાટકમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. અભદ્ર શબ્દોથી લઈને બજરંગબલીના નામનો ઉપયોગ આ વખતની ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને લઈ ટિપ્પણી કરી છે. જેમાં સ્મૃતિ ઈરાની દાવો કરી રહ્યા છે કે 2019માં તેમણે શ્રીમતી વાડ્રાને રસ્તા પર નમાજ અદા કરતા જોયા હતા. ઈસ્લામ ધર્મમાં માનનારા મૂર્તિપૂજક ન બની શકે, મંદિર ન બનાવી શકે તેવું સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું. 


ભાજપના નેતાઓના ફોટા પણ થઈ રહ્યા છે વાયરલ!

સ્મૃતિ ઈરાનીનો ઈન્ટરવ્યું વાયરલ થતાં ટ્વિટર પર સ્મૃતિ ઈરાની ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે. અનેક યુઝર્સ દ્વારા આ મામલે ટ્વિટ કરવામાં આવી રહી છે, જેમાં ભાજપના નેતાઓ મુસ્લિમ સમુદાયના લોકો સાથે દેખાઈ રહ્યા છે. જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં સ્મૃતિ ઈરાની પણ દેખાઈ રહ્યા છે. સ્મૃતિ ઈરાની અને પીએમ મોદીની તસવીર છે જેમાં અજમેર શરીફ માટે ચાદર ભેટ કરી હતી. ત્યારે આ મુદ્દે તમારૂ શું કહેવું છે?    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.