સ્મૃતિ ઈરાનીએ બતાવી રેસિપી, બિલ ગેટ્સે કર્યો વઘાર! શું તમે જોયો વીડિયો?


  • Published By :
  • Published Date : 2023-03-04 19:07:17

દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યોક્તિઓમાંના એક બિલ ગેટ્સને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કૂકિંગ શીખવી રહ્યા છે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્મૃતિ ઈરાનીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ખીચડી કેવી રીતે વઘારવી તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. વઘાર કરીને બધી વસ્તુ મિક્સ કરીને બિલ ગેટ્સે બાઉલમાં તેને સર્વ કરી રહ્યા છે. ખીચડી કેવી બની તે પણ બિલ ગેટ્સે ચાખી હતી. વીડિયો શેર કરતા સ્મૃતિએ લખ્યું કે જ્યારે બિલ ગેટ્સે ખીચડી બનાવી અને ભારતના સુપર ફૂડ અને તેના પોષક તત્વોને ઓળખ્યા.

  

સ્મૃતિ ઈરાનીએ બિલ ગેટ્સને શીખવ્યું ખીચડીનો વઘાર કરતા 

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજીત કાર્યક્રમ પોષણ દ્વારા સશક્તિકરણ- નવા ભારતની મહિલાઓની ઉજવણીમાં બિલ ગેટ્સે ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ખીચડી કેવી રીતે બનાવી તેની માહિતી સ્મૃતિ ઈરાનીએ આપી હતી. જેમ જેમ સ્મૃતિ ગાઈડ કરતા ગયા તે પદ્ધતિથી બિલ ગેટ્સે ખીચડી બનાવતા ગયા. સ્મૃતિ ઈરાનીએ આ વીડિયો શેર કર્યો છે.

   

આ કાર્યક્રમમાં લીધો હતો બિલ ગ્રેટ્સે ભાગ  

આ વીડિયો ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ બીજા અનેક ફોટા મૂક્યા હતા. જેમાં તેમણે બિલ ગેટ્સ સાથે નવા ભારતમાં મહિલાઓની શક્તિનું પ્રદર્શન. જેનો મુખ્યહેતુ સગર્ભાસ્ત્રીઓ અને બાળકો માટે પોષણને પ્રોત્સાહિત કરવાની હતી. સશક્તિકરણ- નવા ભારતની મહિલાઓની ઉજવણીમાં બિલ ગેટ્સે ભાગ લીધો હતો.




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.