સ્મૃતિ ઈરાનીએ બતાવી રેસિપી, બિલ ગેટ્સે કર્યો વઘાર! શું તમે જોયો વીડિયો?


  • Published By :
  • Published Date : 2023-03-04 19:07:17

દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યોક્તિઓમાંના એક બિલ ગેટ્સને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કૂકિંગ શીખવી રહ્યા છે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્મૃતિ ઈરાનીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ખીચડી કેવી રીતે વઘારવી તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. વઘાર કરીને બધી વસ્તુ મિક્સ કરીને બિલ ગેટ્સે બાઉલમાં તેને સર્વ કરી રહ્યા છે. ખીચડી કેવી બની તે પણ બિલ ગેટ્સે ચાખી હતી. વીડિયો શેર કરતા સ્મૃતિએ લખ્યું કે જ્યારે બિલ ગેટ્સે ખીચડી બનાવી અને ભારતના સુપર ફૂડ અને તેના પોષક તત્વોને ઓળખ્યા.

  

સ્મૃતિ ઈરાનીએ બિલ ગેટ્સને શીખવ્યું ખીચડીનો વઘાર કરતા 

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજીત કાર્યક્રમ પોષણ દ્વારા સશક્તિકરણ- નવા ભારતની મહિલાઓની ઉજવણીમાં બિલ ગેટ્સે ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ખીચડી કેવી રીતે બનાવી તેની માહિતી સ્મૃતિ ઈરાનીએ આપી હતી. જેમ જેમ સ્મૃતિ ગાઈડ કરતા ગયા તે પદ્ધતિથી બિલ ગેટ્સે ખીચડી બનાવતા ગયા. સ્મૃતિ ઈરાનીએ આ વીડિયો શેર કર્યો છે.

   

આ કાર્યક્રમમાં લીધો હતો બિલ ગ્રેટ્સે ભાગ  

આ વીડિયો ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ બીજા અનેક ફોટા મૂક્યા હતા. જેમાં તેમણે બિલ ગેટ્સ સાથે નવા ભારતમાં મહિલાઓની શક્તિનું પ્રદર્શન. જેનો મુખ્યહેતુ સગર્ભાસ્ત્રીઓ અને બાળકો માટે પોષણને પ્રોત્સાહિત કરવાની હતી. સશક્તિકરણ- નવા ભારતની મહિલાઓની ઉજવણીમાં બિલ ગેટ્સે ભાગ લીધો હતો.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.