સ્મૃતિ ઈરાનીએ બતાવી રેસિપી, બિલ ગેટ્સે કર્યો વઘાર! શું તમે જોયો વીડિયો?


  • Published By :
  • Published Date : 2023-03-04 19:07:17

દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યોક્તિઓમાંના એક બિલ ગેટ્સને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કૂકિંગ શીખવી રહ્યા છે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્મૃતિ ઈરાનીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ખીચડી કેવી રીતે વઘારવી તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. વઘાર કરીને બધી વસ્તુ મિક્સ કરીને બિલ ગેટ્સે બાઉલમાં તેને સર્વ કરી રહ્યા છે. ખીચડી કેવી બની તે પણ બિલ ગેટ્સે ચાખી હતી. વીડિયો શેર કરતા સ્મૃતિએ લખ્યું કે જ્યારે બિલ ગેટ્સે ખીચડી બનાવી અને ભારતના સુપર ફૂડ અને તેના પોષક તત્વોને ઓળખ્યા.

  

સ્મૃતિ ઈરાનીએ બિલ ગેટ્સને શીખવ્યું ખીચડીનો વઘાર કરતા 

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજીત કાર્યક્રમ પોષણ દ્વારા સશક્તિકરણ- નવા ભારતની મહિલાઓની ઉજવણીમાં બિલ ગેટ્સે ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ખીચડી કેવી રીતે બનાવી તેની માહિતી સ્મૃતિ ઈરાનીએ આપી હતી. જેમ જેમ સ્મૃતિ ગાઈડ કરતા ગયા તે પદ્ધતિથી બિલ ગેટ્સે ખીચડી બનાવતા ગયા. સ્મૃતિ ઈરાનીએ આ વીડિયો શેર કર્યો છે.

   

આ કાર્યક્રમમાં લીધો હતો બિલ ગ્રેટ્સે ભાગ  

આ વીડિયો ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ બીજા અનેક ફોટા મૂક્યા હતા. જેમાં તેમણે બિલ ગેટ્સ સાથે નવા ભારતમાં મહિલાઓની શક્તિનું પ્રદર્શન. જેનો મુખ્યહેતુ સગર્ભાસ્ત્રીઓ અને બાળકો માટે પોષણને પ્રોત્સાહિત કરવાની હતી. સશક્તિકરણ- નવા ભારતની મહિલાઓની ઉજવણીમાં બિલ ગેટ્સે ભાગ લીધો હતો.




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.