સ્મૃતિ ઈરાનીએ બતાવી રેસિપી, બિલ ગેટ્સે કર્યો વઘાર! શું તમે જોયો વીડિયો?


  • Published By :
  • Published Date : 2023-03-04 19:07:17

દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યોક્તિઓમાંના એક બિલ ગેટ્સને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કૂકિંગ શીખવી રહ્યા છે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્મૃતિ ઈરાનીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ખીચડી કેવી રીતે વઘારવી તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. વઘાર કરીને બધી વસ્તુ મિક્સ કરીને બિલ ગેટ્સે બાઉલમાં તેને સર્વ કરી રહ્યા છે. ખીચડી કેવી બની તે પણ બિલ ગેટ્સે ચાખી હતી. વીડિયો શેર કરતા સ્મૃતિએ લખ્યું કે જ્યારે બિલ ગેટ્સે ખીચડી બનાવી અને ભારતના સુપર ફૂડ અને તેના પોષક તત્વોને ઓળખ્યા.

  

સ્મૃતિ ઈરાનીએ બિલ ગેટ્સને શીખવ્યું ખીચડીનો વઘાર કરતા 

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજીત કાર્યક્રમ પોષણ દ્વારા સશક્તિકરણ- નવા ભારતની મહિલાઓની ઉજવણીમાં બિલ ગેટ્સે ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ખીચડી કેવી રીતે બનાવી તેની માહિતી સ્મૃતિ ઈરાનીએ આપી હતી. જેમ જેમ સ્મૃતિ ગાઈડ કરતા ગયા તે પદ્ધતિથી બિલ ગેટ્સે ખીચડી બનાવતા ગયા. સ્મૃતિ ઈરાનીએ આ વીડિયો શેર કર્યો છે.

   

આ કાર્યક્રમમાં લીધો હતો બિલ ગ્રેટ્સે ભાગ  

આ વીડિયો ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ બીજા અનેક ફોટા મૂક્યા હતા. જેમાં તેમણે બિલ ગેટ્સ સાથે નવા ભારતમાં મહિલાઓની શક્તિનું પ્રદર્શન. જેનો મુખ્યહેતુ સગર્ભાસ્ત્રીઓ અને બાળકો માટે પોષણને પ્રોત્સાહિત કરવાની હતી. સશક્તિકરણ- નવા ભારતની મહિલાઓની ઉજવણીમાં બિલ ગેટ્સે ભાગ લીધો હતો.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.