દિયોદરમાં સાંપે એક જ દિવસમાં ત્રણને ડંખ માર્યા, બે ના મોત


  • Published By :
  • Published Date : 2023-10-10 14:10:35

બનાસકાંઠાના દિયોદર તાલુકાના સોની ગામે એક જ દિવસમાં ત્રણ લોકોને કાળા સાંપે ડંખ માર્યાના બનાવો બન્યા હતા જેમાં મહિલા સહિત 3 વર્ષના માસૂમ બાળકનું મોત થતાં ફફડાટ વ્યાપી ગયો છે. સોની ગામના ભાવના બેન ચૌધરી ખેતરમાં કામ કરતા હતા અને પશુઓને ઘાસચારો નાખવા જતા ઘાસચારામાં છૂપાયેલા ઝેરી સાંપે ડંખ દેતા મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. 

ત્યારબાદ બીજી ઘટના બની હતી જેમાં સંજય નામનું ત્રણ વર્ષનું બાળક તેના ઘરની આસપાસ રમી રહ્યો હતો અને અચાનક લોહીલુહાણ હાલતમાં ઘરે આવી રડી રહ્યો હતો જે જોઈને ઘરના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તબીબે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને હોસ્પિટલમાં હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન બન્યો હતો.

ત્રીજી સર્પ દાંશની ઘટના પણ તે જ ગામમાં બની હતી સોની ગામમાં રહેતા 21 વર્ષીય યુવાનને પણ સાપે ડંખ દીધો હતો જેના કારણે આ યુવાનને તાત્કાલિક અસરથી ડીસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં આ યુવાનની સારવાર ચાલી રહી છે

અચાનક સોની ગામમાં એક જ દિવસમાં સર્પ દંશની ત્રણ ઘટનાઓ બનતા ગામના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.