દિયોદરમાં સાંપે એક જ દિવસમાં ત્રણને ડંખ માર્યા, બે ના મોત


  • Published By :
  • Published Date : 2023-10-10 14:10:35

બનાસકાંઠાના દિયોદર તાલુકાના સોની ગામે એક જ દિવસમાં ત્રણ લોકોને કાળા સાંપે ડંખ માર્યાના બનાવો બન્યા હતા જેમાં મહિલા સહિત 3 વર્ષના માસૂમ બાળકનું મોત થતાં ફફડાટ વ્યાપી ગયો છે. સોની ગામના ભાવના બેન ચૌધરી ખેતરમાં કામ કરતા હતા અને પશુઓને ઘાસચારો નાખવા જતા ઘાસચારામાં છૂપાયેલા ઝેરી સાંપે ડંખ દેતા મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. 

ત્યારબાદ બીજી ઘટના બની હતી જેમાં સંજય નામનું ત્રણ વર્ષનું બાળક તેના ઘરની આસપાસ રમી રહ્યો હતો અને અચાનક લોહીલુહાણ હાલતમાં ઘરે આવી રડી રહ્યો હતો જે જોઈને ઘરના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તબીબે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને હોસ્પિટલમાં હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન બન્યો હતો.

ત્રીજી સર્પ દાંશની ઘટના પણ તે જ ગામમાં બની હતી સોની ગામમાં રહેતા 21 વર્ષીય યુવાનને પણ સાપે ડંખ દીધો હતો જેના કારણે આ યુવાનને તાત્કાલિક અસરથી ડીસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં આ યુવાનની સારવાર ચાલી રહી છે

અચાનક સોની ગામમાં એક જ દિવસમાં સર્પ દંશની ત્રણ ઘટનાઓ બનતા ગામના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.