દિયોદરમાં સાંપે એક જ દિવસમાં ત્રણને ડંખ માર્યા, બે ના મોત


  • Published By :
  • Published Date : 2023-10-10 14:10:35

બનાસકાંઠાના દિયોદર તાલુકાના સોની ગામે એક જ દિવસમાં ત્રણ લોકોને કાળા સાંપે ડંખ માર્યાના બનાવો બન્યા હતા જેમાં મહિલા સહિત 3 વર્ષના માસૂમ બાળકનું મોત થતાં ફફડાટ વ્યાપી ગયો છે. સોની ગામના ભાવના બેન ચૌધરી ખેતરમાં કામ કરતા હતા અને પશુઓને ઘાસચારો નાખવા જતા ઘાસચારામાં છૂપાયેલા ઝેરી સાંપે ડંખ દેતા મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. 

ત્યારબાદ બીજી ઘટના બની હતી જેમાં સંજય નામનું ત્રણ વર્ષનું બાળક તેના ઘરની આસપાસ રમી રહ્યો હતો અને અચાનક લોહીલુહાણ હાલતમાં ઘરે આવી રડી રહ્યો હતો જે જોઈને ઘરના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તબીબે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને હોસ્પિટલમાં હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન બન્યો હતો.

ત્રીજી સર્પ દાંશની ઘટના પણ તે જ ગામમાં બની હતી સોની ગામમાં રહેતા 21 વર્ષીય યુવાનને પણ સાપે ડંખ દીધો હતો જેના કારણે આ યુવાનને તાત્કાલિક અસરથી ડીસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં આ યુવાનની સારવાર ચાલી રહી છે

અચાનક સોની ગામમાં એક જ દિવસમાં સર્પ દંશની ત્રણ ઘટનાઓ બનતા ગામના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી