દિયોદરમાં સાંપે એક જ દિવસમાં ત્રણને ડંખ માર્યા, બે ના મોત


  • Published By :
  • Published Date : 2023-10-10 14:10:35

બનાસકાંઠાના દિયોદર તાલુકાના સોની ગામે એક જ દિવસમાં ત્રણ લોકોને કાળા સાંપે ડંખ માર્યાના બનાવો બન્યા હતા જેમાં મહિલા સહિત 3 વર્ષના માસૂમ બાળકનું મોત થતાં ફફડાટ વ્યાપી ગયો છે. સોની ગામના ભાવના બેન ચૌધરી ખેતરમાં કામ કરતા હતા અને પશુઓને ઘાસચારો નાખવા જતા ઘાસચારામાં છૂપાયેલા ઝેરી સાંપે ડંખ દેતા મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. 

ત્યારબાદ બીજી ઘટના બની હતી જેમાં સંજય નામનું ત્રણ વર્ષનું બાળક તેના ઘરની આસપાસ રમી રહ્યો હતો અને અચાનક લોહીલુહાણ હાલતમાં ઘરે આવી રડી રહ્યો હતો જે જોઈને ઘરના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તબીબે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને હોસ્પિટલમાં હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન બન્યો હતો.

ત્રીજી સર્પ દાંશની ઘટના પણ તે જ ગામમાં બની હતી સોની ગામમાં રહેતા 21 વર્ષીય યુવાનને પણ સાપે ડંખ દીધો હતો જેના કારણે આ યુવાનને તાત્કાલિક અસરથી ડીસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં આ યુવાનની સારવાર ચાલી રહી છે

અચાનક સોની ગામમાં એક જ દિવસમાં સર્પ દંશની ત્રણ ઘટનાઓ બનતા ગામના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.