છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા આટલા કોરોનાના કેસ


  • Published By :
  • Published Date : 2023-01-01 12:48:33

વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી એક વખત માથું ઉચકી રહ્યું છે. ચીનમાં કોરોનાને કારણે હાલત એકદમ ગંભીર બની છે. વિશ્વના દેશોમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. અનેક પ્રતિબંધો લગાવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વિદેશથી આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે દેશમાં કોરોના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 265 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. 


અનેક દેશોએ જાહેર કર્યા છે નવા નિયમો

2019થી કોરોના સંક્રમણને કારણે ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાથી સંક્રમિત થઈ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક પરિવાર વિખાઈ ગયા છે. થોડા સમય પહેલા કોરોના સંક્રમણનું જોર ઘટ્યું હતું પરંતુ ફરી એક વખત કોરોના કેસે ચિંતા વધારી છે. ચીનમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં કોરોના કેસ વધતા વિશ્વના અનેક દેશોએ વિદેશથી પોતાને ત્યાં આવતા પ્રવાસીઓ માટે નિયમો જાહેર કરી દીધા છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કોરોનાના કેસ

ભારતમાં કોરોના ન વધે તે માટે સરકાર સતર્ક બની છે. કોરોના કેસ વધે તે પહેલા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ કોરોના પર સતત નજર રાખી રહ્યા છે. દેશની હોસ્પિટલમાં મોક ડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દેશમાં કોરોના કેસ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 265 કેસ સામે આવ્યા છે. જ્યારે 3 લોકોના મોત થઈ ગયા છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.