છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા આટલા કોરોનાના કેસ


  • Published By :
  • Published Date : 2023-01-01 12:48:33

વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી એક વખત માથું ઉચકી રહ્યું છે. ચીનમાં કોરોનાને કારણે હાલત એકદમ ગંભીર બની છે. વિશ્વના દેશોમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. અનેક પ્રતિબંધો લગાવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વિદેશથી આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે દેશમાં કોરોના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 265 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. 


અનેક દેશોએ જાહેર કર્યા છે નવા નિયમો

2019થી કોરોના સંક્રમણને કારણે ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાથી સંક્રમિત થઈ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક પરિવાર વિખાઈ ગયા છે. થોડા સમય પહેલા કોરોના સંક્રમણનું જોર ઘટ્યું હતું પરંતુ ફરી એક વખત કોરોના કેસે ચિંતા વધારી છે. ચીનમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં કોરોના કેસ વધતા વિશ્વના અનેક દેશોએ વિદેશથી પોતાને ત્યાં આવતા પ્રવાસીઓ માટે નિયમો જાહેર કરી દીધા છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કોરોનાના કેસ

ભારતમાં કોરોના ન વધે તે માટે સરકાર સતર્ક બની છે. કોરોના કેસ વધે તે પહેલા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ કોરોના પર સતત નજર રાખી રહ્યા છે. દેશની હોસ્પિટલમાં મોક ડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દેશમાં કોરોના કેસ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 265 કેસ સામે આવ્યા છે. જ્યારે 3 લોકોના મોત થઈ ગયા છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.