છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા આટલા કોરોનાના કેસ


  • Published By :
  • Published Date : 2023-01-01 12:48:33

વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી એક વખત માથું ઉચકી રહ્યું છે. ચીનમાં કોરોનાને કારણે હાલત એકદમ ગંભીર બની છે. વિશ્વના દેશોમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. અનેક પ્રતિબંધો લગાવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વિદેશથી આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે દેશમાં કોરોના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 265 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. 


અનેક દેશોએ જાહેર કર્યા છે નવા નિયમો

2019થી કોરોના સંક્રમણને કારણે ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાથી સંક્રમિત થઈ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક પરિવાર વિખાઈ ગયા છે. થોડા સમય પહેલા કોરોના સંક્રમણનું જોર ઘટ્યું હતું પરંતુ ફરી એક વખત કોરોના કેસે ચિંતા વધારી છે. ચીનમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં કોરોના કેસ વધતા વિશ્વના અનેક દેશોએ વિદેશથી પોતાને ત્યાં આવતા પ્રવાસીઓ માટે નિયમો જાહેર કરી દીધા છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કોરોનાના કેસ

ભારતમાં કોરોના ન વધે તે માટે સરકાર સતર્ક બની છે. કોરોના કેસ વધે તે પહેલા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ કોરોના પર સતત નજર રાખી રહ્યા છે. દેશની હોસ્પિટલમાં મોક ડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દેશમાં કોરોના કેસ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 265 કેસ સામે આવ્યા છે. જ્યારે 3 લોકોના મોત થઈ ગયા છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.