છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા આટલા કોરોનાના કેસ


  • Published By :
  • Published Date : 2023-01-01 12:48:33

વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી એક વખત માથું ઉચકી રહ્યું છે. ચીનમાં કોરોનાને કારણે હાલત એકદમ ગંભીર બની છે. વિશ્વના દેશોમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. અનેક પ્રતિબંધો લગાવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વિદેશથી આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે દેશમાં કોરોના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 265 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. 


અનેક દેશોએ જાહેર કર્યા છે નવા નિયમો

2019થી કોરોના સંક્રમણને કારણે ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાથી સંક્રમિત થઈ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક પરિવાર વિખાઈ ગયા છે. થોડા સમય પહેલા કોરોના સંક્રમણનું જોર ઘટ્યું હતું પરંતુ ફરી એક વખત કોરોના કેસે ચિંતા વધારી છે. ચીનમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં કોરોના કેસ વધતા વિશ્વના અનેક દેશોએ વિદેશથી પોતાને ત્યાં આવતા પ્રવાસીઓ માટે નિયમો જાહેર કરી દીધા છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કોરોનાના કેસ

ભારતમાં કોરોના ન વધે તે માટે સરકાર સતર્ક બની છે. કોરોના કેસ વધે તે પહેલા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ કોરોના પર સતત નજર રાખી રહ્યા છે. દેશની હોસ્પિટલમાં મોક ડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દેશમાં કોરોના કેસ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 265 કેસ સામે આવ્યા છે. જ્યારે 3 લોકોના મોત થઈ ગયા છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.