રાજ્યમાં 1 વાગ્યા સુધી નોંધાયું આટલું મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 14:26:05

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન હાલ ચાલી રહ્યું છે.મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 19 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં સરેરાશ 34.75 ટકા મતદાન 1 વાગ્યા સુધી થયો હતો. 833 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ, હાર્દિક પટેલ, શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી સહિતના દિગ્ગજ નેતાઓના ભાવિ મતદારો ઈવીએમમાં કેદ કરવાના છે.

Image

ક્યાં કેટલું થયું મતદાન?

14 જિલ્લામાં જો મતદાનની વાત કરીએ તો અમદાવાદમાં 30.82 ટકા, આણંદમાં 37.06, અરવલ્લીમાં 37.12, બનાસકાંઠામાં 37.48, છોટાઉદેપુરમાં 38.18, દાહોદમાં 34.46, ગાંધીનગરમાં 36.49, ખેડામાં 36.03, મહેસાણામાં 35.35, મહિસાગરમાં 29.72 ટકા, પંચમહાલમાં 37.09, પાટણમાં 37.47, સાબરકાંઠા 39.73, જ્યારે વડોદરામાં 34.07 ટકા મતદાન થયું છે. સૌથી ઓછું મતદાન મહિસાગર જિલ્લામાં નોંધાયું છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.