રાજ્યમાં 1 વાગ્યા સુધી નોંધાયું આટલું મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 14:26:05

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન હાલ ચાલી રહ્યું છે.મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 19 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં સરેરાશ 34.75 ટકા મતદાન 1 વાગ્યા સુધી થયો હતો. 833 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ, હાર્દિક પટેલ, શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી સહિતના દિગ્ગજ નેતાઓના ભાવિ મતદારો ઈવીએમમાં કેદ કરવાના છે.

Image

ક્યાં કેટલું થયું મતદાન?

14 જિલ્લામાં જો મતદાનની વાત કરીએ તો અમદાવાદમાં 30.82 ટકા, આણંદમાં 37.06, અરવલ્લીમાં 37.12, બનાસકાંઠામાં 37.48, છોટાઉદેપુરમાં 38.18, દાહોદમાં 34.46, ગાંધીનગરમાં 36.49, ખેડામાં 36.03, મહેસાણામાં 35.35, મહિસાગરમાં 29.72 ટકા, પંચમહાલમાં 37.09, પાટણમાં 37.47, સાબરકાંઠા 39.73, જ્યારે વડોદરામાં 34.07 ટકા મતદાન થયું છે. સૌથી ઓછું મતદાન મહિસાગર જિલ્લામાં નોંધાયું છે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે