સોળે કળાએ ખીલી પ્રકૃતિ, ગુજરાતના અનેક ધોધની તસવીરો આવી સામે જે જીતી લેશે તમારૂ દિલ, જુઓ


  • Published By :
  • Published Date : 2023-07-18 11:26:39

ચોમાસાની સિઝનમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોય છે. નદીઓમાં નવા નીર, ડુંગરો પરથી ધોધ વરસતા હોય તેવા દ્રશ્યો આહ્લાદાયક હોય છે. વરસાદની સિઝનમાં પ્રકૃતિના ખોળે જવાની મજા જ કંઈક અલગ હોય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના જામવાળા પાસે એક ધોધ આવેલો છે જેને જોવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ઘટાદાર વૃક્ષોની લીલોતરી વચ્ચે ધોધ આવેલો જેને નિહાળવા દેશ વિદેશથી લોકો આવતા હોય છે. ધોધની ઉંચાઈ 1214 ફૂટ છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે જીવને ઠંડક પહોંચાડે તેવા છે. વરસાદમાં અનેક ધોધના વીડિયો સામે આવતા હોય છે જેને જોઈ તમે પણ થઈ જશો પ્રફૂલ્લિત.

 

ધોધને ટુરિઝમમાં સમાવવા માટે અનેક રજૂઆત કરી

ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો

ધોધનો આકાશી નજારો

જમદગ્નિ આશ્રમની પાછળ આવેલો છે ધોધ

જમદગ્નિ ઋષિનાં આશ્રમની નજીક



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.