સોળે કળાએ ખીલી પ્રકૃતિ, ગુજરાતના અનેક ધોધની તસવીરો આવી સામે જે જીતી લેશે તમારૂ દિલ, જુઓ


  • Published By :
  • Published Date : 2023-07-18 11:26:39

ચોમાસાની સિઝનમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોય છે. નદીઓમાં નવા નીર, ડુંગરો પરથી ધોધ વરસતા હોય તેવા દ્રશ્યો આહ્લાદાયક હોય છે. વરસાદની સિઝનમાં પ્રકૃતિના ખોળે જવાની મજા જ કંઈક અલગ હોય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના જામવાળા પાસે એક ધોધ આવેલો છે જેને જોવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ઘટાદાર વૃક્ષોની લીલોતરી વચ્ચે ધોધ આવેલો જેને નિહાળવા દેશ વિદેશથી લોકો આવતા હોય છે. ધોધની ઉંચાઈ 1214 ફૂટ છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે જીવને ઠંડક પહોંચાડે તેવા છે. વરસાદમાં અનેક ધોધના વીડિયો સામે આવતા હોય છે જેને જોઈ તમે પણ થઈ જશો પ્રફૂલ્લિત.

 

ધોધને ટુરિઝમમાં સમાવવા માટે અનેક રજૂઆત કરી

ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો

ધોધનો આકાશી નજારો

જમદગ્નિ આશ્રમની પાછળ આવેલો છે ધોધ

જમદગ્નિ ઋષિનાં આશ્રમની નજીક



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.