82 વર્ષીય સોમાભાઈ પટેલે ચોટીલા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-08 21:12:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. રાજ્યમાં ટિકિટ માટે પક્ષપલટો કરતા નેતાઓની યાદી લાંબી થઈ રહી છે. ભાજપના એક સમયના અગ્રણી નેતા અને પક્ષપલટો કરી કોંગ્રેસમાં જોડાયેલા જાણીતા કોળી નેતા સોમાભાઈ પટેલ ફરીથી સક્રિય થયા છે. સુરેન્દ્રનગરના આ પૂર્વ સાંસદ સોમા ગાડાએ 82 વર્ષે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.


સોમા ગાંડા ચોટીલા સીટ પરથી લડશે ચૂંટણી

અગ્રણી કોળી નેતા અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલની ચોટીલામાં એન્ટ્રી થઇ છે. સોમાભાઈએ ચોટીલા પ્રાંત કચેરીએ આવી ફોર્મ લેવા આવતા રાજકારણ ગરમાયું છે. સોમાભાઈએ ચોટીલાથી ચૂંટણી લડવાનું જણાવવાની સાથે અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પૂર્વ સાંસદે પુરા આત્મવિશ્વાસથી કહ્યું હતું કે, "હું ચોટીલાથી અપક્ષમાં ચૂંટણી લડવાનો છું અને જીતવાનો પણ છું."


ચોટીલામાં ખરાખરીનો ચૂંટણી જંગ જામશે

સોમાભાઈ પટેલે ચોટીલા વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરતા જીત માટે ખરાખરીનો જંગ જોવા મળશે. ચોટીલાથી બેઠક માટે કૉંગ્રેસ પોતાના સીટિંગ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને રિપીટ કરે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીએ અહીં રાજુ કરપડાને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવારની જાહેરાત બાકી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.