82 વર્ષીય સોમાભાઈ પટેલે ચોટીલા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-08 21:12:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. રાજ્યમાં ટિકિટ માટે પક્ષપલટો કરતા નેતાઓની યાદી લાંબી થઈ રહી છે. ભાજપના એક સમયના અગ્રણી નેતા અને પક્ષપલટો કરી કોંગ્રેસમાં જોડાયેલા જાણીતા કોળી નેતા સોમાભાઈ પટેલ ફરીથી સક્રિય થયા છે. સુરેન્દ્રનગરના આ પૂર્વ સાંસદ સોમા ગાડાએ 82 વર્ષે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.


સોમા ગાંડા ચોટીલા સીટ પરથી લડશે ચૂંટણી

અગ્રણી કોળી નેતા અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલની ચોટીલામાં એન્ટ્રી થઇ છે. સોમાભાઈએ ચોટીલા પ્રાંત કચેરીએ આવી ફોર્મ લેવા આવતા રાજકારણ ગરમાયું છે. સોમાભાઈએ ચોટીલાથી ચૂંટણી લડવાનું જણાવવાની સાથે અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પૂર્વ સાંસદે પુરા આત્મવિશ્વાસથી કહ્યું હતું કે, "હું ચોટીલાથી અપક્ષમાં ચૂંટણી લડવાનો છું અને જીતવાનો પણ છું."


ચોટીલામાં ખરાખરીનો ચૂંટણી જંગ જામશે

સોમાભાઈ પટેલે ચોટીલા વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરતા જીત માટે ખરાખરીનો જંગ જોવા મળશે. ચોટીલાથી બેઠક માટે કૉંગ્રેસ પોતાના સીટિંગ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને રિપીટ કરે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીએ અહીં રાજુ કરપડાને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવારની જાહેરાત બાકી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.