ક્યાંક ગરમીની આગાહી તો ક્યાંક કમોસમી વરસાદની કરાઈ છે આગાહી! જાણો ક્યાં માટે કમોસમી વરસાદ માટે સંભાવના કરાઈ છે વ્યક્ત!


  • Published By :
  • Published Date : 2023-04-24 09:46:12

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. અનેક વિસ્તારોનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયા છે. ત્યારે અનેક જગ્યાઓ એવી છે જ્યાં માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવશે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. રાજ્યના અનેક ભાગો માટે 26 અને 27એ માવઠાની આગાહી કરવામાં આવી છે. 



કમોસમી વરસાદની કરવામાં આવી છે આગાહી! 

રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉનાળાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડતી દેખાઈ રહી છે. કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 26 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિત અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ થઈ શકે છે જ્યારે 27 તારીખે અરવલ્લી, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


કાળઝાળ ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર!  

26 અને 27 તારીખે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે તો અનેક વિસ્તારો માટે ગરમીની આગાહી કરી છે. આકરી ગરમી વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ 39 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે. અરવલ્લીમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત બોટાદ, ભરૂચમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાવાની સંભવના વ્યક્ત કરવામાં આવી છે. આવનાર સમયમાં કાળઝાળ ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે તેવું હાલ લાગી રહ્યું છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે