ક્યાંક ગરમીની આગાહી તો ક્યાંક કમોસમી વરસાદની કરાઈ છે આગાહી! જાણો ક્યાં માટે કમોસમી વરસાદ માટે સંભાવના કરાઈ છે વ્યક્ત!


  • Published By :
  • Published Date : 2023-04-24 09:46:12

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. અનેક વિસ્તારોનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયા છે. ત્યારે અનેક જગ્યાઓ એવી છે જ્યાં માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવશે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. રાજ્યના અનેક ભાગો માટે 26 અને 27એ માવઠાની આગાહી કરવામાં આવી છે. 



કમોસમી વરસાદની કરવામાં આવી છે આગાહી! 

રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉનાળાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડતી દેખાઈ રહી છે. કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 26 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિત અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ થઈ શકે છે જ્યારે 27 તારીખે અરવલ્લી, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


કાળઝાળ ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર!  

26 અને 27 તારીખે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે તો અનેક વિસ્તારો માટે ગરમીની આગાહી કરી છે. આકરી ગરમી વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ 39 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે. અરવલ્લીમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત બોટાદ, ભરૂચમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાવાની સંભવના વ્યક્ત કરવામાં આવી છે. આવનાર સમયમાં કાળઝાળ ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે તેવું હાલ લાગી રહ્યું છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.