ક્યાંક ગરમીની આગાહી તો ક્યાંક કમોસમી વરસાદની કરાઈ છે આગાહી! જાણો ક્યાં માટે કમોસમી વરસાદ માટે સંભાવના કરાઈ છે વ્યક્ત!


  • Published By :
  • Published Date : 2023-04-24 09:46:12

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. અનેક વિસ્તારોનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયા છે. ત્યારે અનેક જગ્યાઓ એવી છે જ્યાં માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવશે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. રાજ્યના અનેક ભાગો માટે 26 અને 27એ માવઠાની આગાહી કરવામાં આવી છે. 



કમોસમી વરસાદની કરવામાં આવી છે આગાહી! 

રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉનાળાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડતી દેખાઈ રહી છે. કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 26 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિત અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ થઈ શકે છે જ્યારે 27 તારીખે અરવલ્લી, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


કાળઝાળ ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર!  

26 અને 27 તારીખે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે તો અનેક વિસ્તારો માટે ગરમીની આગાહી કરી છે. આકરી ગરમી વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ 39 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે. અરવલ્લીમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત બોટાદ, ભરૂચમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાવાની સંભવના વ્યક્ત કરવામાં આવી છે. આવનાર સમયમાં કાળઝાળ ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે તેવું હાલ લાગી રહ્યું છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.