ક્યાંક ગરમીની આગાહી તો ક્યાંક કમોસમી વરસાદની કરાઈ છે આગાહી! જાણો ક્યાં માટે કમોસમી વરસાદ માટે સંભાવના કરાઈ છે વ્યક્ત!


  • Published By :
  • Published Date : 2023-04-24 09:46:12

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. અનેક વિસ્તારોનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયા છે. ત્યારે અનેક જગ્યાઓ એવી છે જ્યાં માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવશે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. રાજ્યના અનેક ભાગો માટે 26 અને 27એ માવઠાની આગાહી કરવામાં આવી છે. 



કમોસમી વરસાદની કરવામાં આવી છે આગાહી! 

રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉનાળાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડતી દેખાઈ રહી છે. કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 26 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિત અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ થઈ શકે છે જ્યારે 27 તારીખે અરવલ્લી, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


કાળઝાળ ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર!  

26 અને 27 તારીખે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે તો અનેક વિસ્તારો માટે ગરમીની આગાહી કરી છે. આકરી ગરમી વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ 39 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે. અરવલ્લીમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત બોટાદ, ભરૂચમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાવાની સંભવના વ્યક્ત કરવામાં આવી છે. આવનાર સમયમાં કાળઝાળ ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે તેવું હાલ લાગી રહ્યું છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.