અમદાવાદમાં નિવૃત્ત IASના દીકરાએ કર્યો એએમસીના અધિકારી પર હુમલો, પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-24 17:25:57

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં એએમસીના અધિકારી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અધિકારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો બન્યો છે. ટેક્સ મુદ્દે એકમ સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન એક નિવૃત્ત આઈએએસ અધિકારીના પુત્રએ થલતેજ વોર્ડમાં એન્જિનિયર પર હુમલો કર્યો છે. તે સિવાય મહિલા કર્મચારી સાથે ગેરવર્તન પણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.     

       

સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે  

અમદાવાદમાં નિવૃત આઈએએસ અધિકારીના પુત્રની દાદાગીરી સામે આવી છે. શહેરમાં તંત્ર દ્વારા સીલિંગની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ ટેક્સ વસૂલાત માટે રાજપથ કલબ પાછળ પહોંચી હતી ત્યારે એએમસીની કલેક્શન ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે વ્યક્તિએ હુમલો કર્યો તે નિવૃત્ત આઈએએસ અધિકારીનો દીકરો હતો.  


ફરિયાદ મળતા પોલીસે કરી કાર્યવાહી 

વીડિયોમાં દેખાય છે કે એક વ્યક્તિ ઘરની બહાર આવે છે અને પછી અચાનક એએમસીના અધિકારી પર ચપ્પા વડે હુમલો કરે છે. હુમલો થયા બાદ આ ઘટનાની જાણ ટીમ દ્વારા બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવે છે. હુમલાખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે. એએમસી  અધિકારી પર હુમલો કરનારનું નામ આશીષ ત્રિપાઠી છે. તેઓ આર.કે ત્રિપાઠીના પુત્ર છે. મળતી માહિતી અનુસાર પોલીસે કાર્યવાહી પણ કરી છે અને હુમલાખોરની અટકાયત પણ કરી દેવામાં આવી છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.