અમદાવાદમાં નિવૃત્ત IASના દીકરાએ કર્યો એએમસીના અધિકારી પર હુમલો, પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-24 17:25:57

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં એએમસીના અધિકારી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અધિકારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો બન્યો છે. ટેક્સ મુદ્દે એકમ સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન એક નિવૃત્ત આઈએએસ અધિકારીના પુત્રએ થલતેજ વોર્ડમાં એન્જિનિયર પર હુમલો કર્યો છે. તે સિવાય મહિલા કર્મચારી સાથે ગેરવર્તન પણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.     

       

સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે  

અમદાવાદમાં નિવૃત આઈએએસ અધિકારીના પુત્રની દાદાગીરી સામે આવી છે. શહેરમાં તંત્ર દ્વારા સીલિંગની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ ટેક્સ વસૂલાત માટે રાજપથ કલબ પાછળ પહોંચી હતી ત્યારે એએમસીની કલેક્શન ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે વ્યક્તિએ હુમલો કર્યો તે નિવૃત્ત આઈએએસ અધિકારીનો દીકરો હતો.  


ફરિયાદ મળતા પોલીસે કરી કાર્યવાહી 

વીડિયોમાં દેખાય છે કે એક વ્યક્તિ ઘરની બહાર આવે છે અને પછી અચાનક એએમસીના અધિકારી પર ચપ્પા વડે હુમલો કરે છે. હુમલો થયા બાદ આ ઘટનાની જાણ ટીમ દ્વારા બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવે છે. હુમલાખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે. એએમસી  અધિકારી પર હુમલો કરનારનું નામ આશીષ ત્રિપાઠી છે. તેઓ આર.કે ત્રિપાઠીના પુત્ર છે. મળતી માહિતી અનુસાર પોલીસે કાર્યવાહી પણ કરી છે અને હુમલાખોરની અટકાયત પણ કરી દેવામાં આવી છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.