વડાપ્રધાન મોદી પર સોનિયા ગાંધીનો હલ્લાબોલ! સોનિયા ગાંધીએ કહ્યું 'મૌનથી દેશની સમસ્યાઓ નહીં ઉકેલાય'


  • Published By :
  • Published Date : 2023-04-11 15:47:12

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. એક અંગ્રેજી પેપરમાં લખાયેલા આર્ટિકલમાં તેમણે પોતાની રાય રજૂ કરી છે. વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશને ચુપ કરાવીને દેશની સમસ્યાઓને ઉકેલી નહીં શકાય. પીએમ મોદી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન ધારણ કરે છે, તેમની સરકારના કામથી કરોડો લોકોના જીવનને અસર કરે છે, આ બાબતે અમારા જે પણ સવાલો છે તે અંગે પણ તેઓ મૌન છે. 


સોનિયા ગાંધીએ રજૂ કર્યા પોતાના વિચાર  

કેન્દ્ર સરકાર પર અનેક વખત કોંગ્રેસ દ્વારા કટાક્ષ કરવામાં આવતો હોય છે. અનેક વખત આકરા પ્રહારો કરાતા હોય છે. ત્યારે આ વખતે સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. એક અંગેજી પેપરના લેખમાં તેમણે પોતાની વાત રજૂ કરી હતી. 'जबरन चुप कराना भारत की समस्याओं को हल नहीं कर सकता'ના ટાઈટલ હેઠળ છપાયેલા આ લેખમાં સોનિયા ગાંધીએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સોનિયા ગાંધીએ સાધ્યું નિશાન 

આર્ટિકલમાં તેમણે કહ્યું કે ભારતના લોકોને હવે સમજાઈ ગયું કે વર્તમાન પરિસ્થિતિમાં પીએમ મોદીના કથન અને કાર્યોમાં મોટો તફાવત છે. તેમણે લખ્યું કે પીએમ મોદીની આગેવાની વાળી સરકારે દેશના લોકતંત્રના ત્રણેય સ્તંભો એટલે કે ન્યાયતંત્ર, કાર્યપાલિકા અને વિધાનમંડળને ખતમ કરી નાખ્યું છે. ઉપરાંત સોનિયા ગાંધી સંસદની કાર્યવાહી અને રાહુલ ગાંધીની સાંસદ સદસ્યતા રદ્દ થવા પર પણ વાત કરી હતી. 


સંસદની કાર્યવાહી પર પણ બોલ્યા સોનિયા ગાંધી 

સંસદમાં હોબાળાને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સંસદમાં કરવામાં આવેલી કાર્યવાહીને લઈ તેમણે કહ્યું કે હાલમાં સંસદની કાર્યવાહી જુઓ. અમે જોયું છે કે કેવી રીતે સરકારે વ્યવસ્થિત રીતે સંસદનું વિસર્જન કર્યું અને વિપક્ષને એવા મુદ્દા ઉઠાવતા અટકાવ્યા જે આ દેશના લોકો માટે અત્યંત મહત્વના હતા. આ મુદ્દાઓમાં બેરોજગારી, મોંઘવારી, સામાજિક વિભાજન, અદાણી કૌભાંડને લગતા સવાલો પર ચર્ચાનો સમાવેશ થાય છે. 


સરકારી એજન્સીઓના થતા દુરૂપયોગ અંગે પણ સોનિયાએ કરી વાત   

સરકારી એજન્સીઓ દ્વારા અનેક નેતા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકાર પર અનેક પાર્ટીઓ દ્વારા સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરવાના આરોપ લગાવવામાં આવતા હોય છે. ત્યારે આ વાત પર પણ સોનિયા ગાંધીએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સીબીઆઈ અને ઈડીનો દુરૂપયોગ બધા જાણે છે, 95 ટકાથી વધુ રાજકીય કેસો માત્ર વિપક્ષની પાર્ટી સામે જ નોંધાયા છે. અને જે ઓ ભાજપમાં જોડાય છે તેમની સામેના કેસો ચમત્કારિક રીતે ગુમ થઈ જાય છે.      



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.