વડાપ્રધાન મોદી પર સોનિયા ગાંધીનો હલ્લાબોલ! સોનિયા ગાંધીએ કહ્યું 'મૌનથી દેશની સમસ્યાઓ નહીં ઉકેલાય'


  • Published By :
  • Published Date : 2023-04-11 15:47:12

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. એક અંગ્રેજી પેપરમાં લખાયેલા આર્ટિકલમાં તેમણે પોતાની રાય રજૂ કરી છે. વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશને ચુપ કરાવીને દેશની સમસ્યાઓને ઉકેલી નહીં શકાય. પીએમ મોદી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન ધારણ કરે છે, તેમની સરકારના કામથી કરોડો લોકોના જીવનને અસર કરે છે, આ બાબતે અમારા જે પણ સવાલો છે તે અંગે પણ તેઓ મૌન છે. 


સોનિયા ગાંધીએ રજૂ કર્યા પોતાના વિચાર  

કેન્દ્ર સરકાર પર અનેક વખત કોંગ્રેસ દ્વારા કટાક્ષ કરવામાં આવતો હોય છે. અનેક વખત આકરા પ્રહારો કરાતા હોય છે. ત્યારે આ વખતે સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. એક અંગેજી પેપરના લેખમાં તેમણે પોતાની વાત રજૂ કરી હતી. 'जबरन चुप कराना भारत की समस्याओं को हल नहीं कर सकता'ના ટાઈટલ હેઠળ છપાયેલા આ લેખમાં સોનિયા ગાંધીએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સોનિયા ગાંધીએ સાધ્યું નિશાન 

આર્ટિકલમાં તેમણે કહ્યું કે ભારતના લોકોને હવે સમજાઈ ગયું કે વર્તમાન પરિસ્થિતિમાં પીએમ મોદીના કથન અને કાર્યોમાં મોટો તફાવત છે. તેમણે લખ્યું કે પીએમ મોદીની આગેવાની વાળી સરકારે દેશના લોકતંત્રના ત્રણેય સ્તંભો એટલે કે ન્યાયતંત્ર, કાર્યપાલિકા અને વિધાનમંડળને ખતમ કરી નાખ્યું છે. ઉપરાંત સોનિયા ગાંધી સંસદની કાર્યવાહી અને રાહુલ ગાંધીની સાંસદ સદસ્યતા રદ્દ થવા પર પણ વાત કરી હતી. 


સંસદની કાર્યવાહી પર પણ બોલ્યા સોનિયા ગાંધી 

સંસદમાં હોબાળાને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સંસદમાં કરવામાં આવેલી કાર્યવાહીને લઈ તેમણે કહ્યું કે હાલમાં સંસદની કાર્યવાહી જુઓ. અમે જોયું છે કે કેવી રીતે સરકારે વ્યવસ્થિત રીતે સંસદનું વિસર્જન કર્યું અને વિપક્ષને એવા મુદ્દા ઉઠાવતા અટકાવ્યા જે આ દેશના લોકો માટે અત્યંત મહત્વના હતા. આ મુદ્દાઓમાં બેરોજગારી, મોંઘવારી, સામાજિક વિભાજન, અદાણી કૌભાંડને લગતા સવાલો પર ચર્ચાનો સમાવેશ થાય છે. 


સરકારી એજન્સીઓના થતા દુરૂપયોગ અંગે પણ સોનિયાએ કરી વાત   

સરકારી એજન્સીઓ દ્વારા અનેક નેતા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકાર પર અનેક પાર્ટીઓ દ્વારા સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરવાના આરોપ લગાવવામાં આવતા હોય છે. ત્યારે આ વાત પર પણ સોનિયા ગાંધીએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સીબીઆઈ અને ઈડીનો દુરૂપયોગ બધા જાણે છે, 95 ટકાથી વધુ રાજકીય કેસો માત્ર વિપક્ષની પાર્ટી સામે જ નોંધાયા છે. અને જે ઓ ભાજપમાં જોડાય છે તેમની સામેના કેસો ચમત્કારિક રીતે ગુમ થઈ જાય છે.      



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.