વડાપ્રધાન મોદી પર સોનિયા ગાંધીનો હલ્લાબોલ! સોનિયા ગાંધીએ કહ્યું 'મૌનથી દેશની સમસ્યાઓ નહીં ઉકેલાય'


  • Published By :
  • Published Date : 2023-04-11 15:47:12

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. એક અંગ્રેજી પેપરમાં લખાયેલા આર્ટિકલમાં તેમણે પોતાની રાય રજૂ કરી છે. વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશને ચુપ કરાવીને દેશની સમસ્યાઓને ઉકેલી નહીં શકાય. પીએમ મોદી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન ધારણ કરે છે, તેમની સરકારના કામથી કરોડો લોકોના જીવનને અસર કરે છે, આ બાબતે અમારા જે પણ સવાલો છે તે અંગે પણ તેઓ મૌન છે. 


સોનિયા ગાંધીએ રજૂ કર્યા પોતાના વિચાર  

કેન્દ્ર સરકાર પર અનેક વખત કોંગ્રેસ દ્વારા કટાક્ષ કરવામાં આવતો હોય છે. અનેક વખત આકરા પ્રહારો કરાતા હોય છે. ત્યારે આ વખતે સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. એક અંગેજી પેપરના લેખમાં તેમણે પોતાની વાત રજૂ કરી હતી. 'जबरन चुप कराना भारत की समस्याओं को हल नहीं कर सकता'ના ટાઈટલ હેઠળ છપાયેલા આ લેખમાં સોનિયા ગાંધીએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સોનિયા ગાંધીએ સાધ્યું નિશાન 

આર્ટિકલમાં તેમણે કહ્યું કે ભારતના લોકોને હવે સમજાઈ ગયું કે વર્તમાન પરિસ્થિતિમાં પીએમ મોદીના કથન અને કાર્યોમાં મોટો તફાવત છે. તેમણે લખ્યું કે પીએમ મોદીની આગેવાની વાળી સરકારે દેશના લોકતંત્રના ત્રણેય સ્તંભો એટલે કે ન્યાયતંત્ર, કાર્યપાલિકા અને વિધાનમંડળને ખતમ કરી નાખ્યું છે. ઉપરાંત સોનિયા ગાંધી સંસદની કાર્યવાહી અને રાહુલ ગાંધીની સાંસદ સદસ્યતા રદ્દ થવા પર પણ વાત કરી હતી. 


સંસદની કાર્યવાહી પર પણ બોલ્યા સોનિયા ગાંધી 

સંસદમાં હોબાળાને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સંસદમાં કરવામાં આવેલી કાર્યવાહીને લઈ તેમણે કહ્યું કે હાલમાં સંસદની કાર્યવાહી જુઓ. અમે જોયું છે કે કેવી રીતે સરકારે વ્યવસ્થિત રીતે સંસદનું વિસર્જન કર્યું અને વિપક્ષને એવા મુદ્દા ઉઠાવતા અટકાવ્યા જે આ દેશના લોકો માટે અત્યંત મહત્વના હતા. આ મુદ્દાઓમાં બેરોજગારી, મોંઘવારી, સામાજિક વિભાજન, અદાણી કૌભાંડને લગતા સવાલો પર ચર્ચાનો સમાવેશ થાય છે. 


સરકારી એજન્સીઓના થતા દુરૂપયોગ અંગે પણ સોનિયાએ કરી વાત   

સરકારી એજન્સીઓ દ્વારા અનેક નેતા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકાર પર અનેક પાર્ટીઓ દ્વારા સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરવાના આરોપ લગાવવામાં આવતા હોય છે. ત્યારે આ વાત પર પણ સોનિયા ગાંધીએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સીબીઆઈ અને ઈડીનો દુરૂપયોગ બધા જાણે છે, 95 ટકાથી વધુ રાજકીય કેસો માત્ર વિપક્ષની પાર્ટી સામે જ નોંધાયા છે. અને જે ઓ ભાજપમાં જોડાય છે તેમની સામેના કેસો ચમત્કારિક રીતે ગુમ થઈ જાય છે.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.