કોરોના કેસ વધતા અમદાવાદની શાળાઓ માટે જાહેર કરવામાં આવી SOP


  • Published By :
  • Published Date : 2022-12-26 17:17:41

દેશમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે. કોરોના કેસને લઈ તંત્ર સતર્ક થઈ છે. કેન્દ્ર સરકારે અનેક ગાઈડલાઈન્સ બહાર પાડ્યા છે. અનેક દેશોએ નિયંત્રણો લગાવી દીધા છે. ત્યારે કોરોના સંક્રમણ વધતા અમદાવાદની તમામ શાળાઓમાં ફરજિયાત માસ્ક અને કોરોનાની એસઓપીનું પાલન કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ ગાઈડલાઈન્સનું પાલન અમદાવાદની 32 હજાર પ્રાથમિક શાળાઓમાં થશે. 


પ્રાથમિક શાળાઓમાં થશે SOPનું પાલન 

કોરોના કેસને કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. વધતા કોરોના કેસને લઈ તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે શાળામાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ ડીઈઓ દ્વારા સ્કૂલોને કડક સૂચના આપી દેવામાં આવી છે. સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ શાળામાં માસ્ક પહેરવો પડશે. બાળકો ટોળ ન વળે તેનું ધ્યાન રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવે છે.


નહીં થાય મોટા કાર્યક્રમનું આયોજન 

ઉપરાંત કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પણ ધ્યાન રાખવા પર જોર આપવામાં આવ્યું છે. બેન્ચ પર માત્ર 2 વિદ્યાર્થીઓને જ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. શાળાઓ દ્વારાકોઈ પણ મોટા કાર્યક્રમોનું આયોજન ન કરવા સૂચના આપી દેવામાં આવી છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.