કોરોના કેસ વધતા અમદાવાદની શાળાઓ માટે જાહેર કરવામાં આવી SOP


  • Published By :
  • Published Date : 2022-12-26 17:17:41

દેશમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે. કોરોના કેસને લઈ તંત્ર સતર્ક થઈ છે. કેન્દ્ર સરકારે અનેક ગાઈડલાઈન્સ બહાર પાડ્યા છે. અનેક દેશોએ નિયંત્રણો લગાવી દીધા છે. ત્યારે કોરોના સંક્રમણ વધતા અમદાવાદની તમામ શાળાઓમાં ફરજિયાત માસ્ક અને કોરોનાની એસઓપીનું પાલન કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ ગાઈડલાઈન્સનું પાલન અમદાવાદની 32 હજાર પ્રાથમિક શાળાઓમાં થશે. 


પ્રાથમિક શાળાઓમાં થશે SOPનું પાલન 

કોરોના કેસને કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. વધતા કોરોના કેસને લઈ તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે શાળામાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ ડીઈઓ દ્વારા સ્કૂલોને કડક સૂચના આપી દેવામાં આવી છે. સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ શાળામાં માસ્ક પહેરવો પડશે. બાળકો ટોળ ન વળે તેનું ધ્યાન રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવે છે.


નહીં થાય મોટા કાર્યક્રમનું આયોજન 

ઉપરાંત કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પણ ધ્યાન રાખવા પર જોર આપવામાં આવ્યું છે. બેન્ચ પર માત્ર 2 વિદ્યાર્થીઓને જ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. શાળાઓ દ્વારાકોઈ પણ મોટા કાર્યક્રમોનું આયોજન ન કરવા સૂચના આપી દેવામાં આવી છે.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.