રખડતા ઢોર પર નિયંત્રણ રાખવા તૈયાર કરાયું ખાસ સોફ્ટવેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 15:30:15

રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે પશુ માલિકની જાણકારી પોલીસને સરળતાથી મળી રહે તે માટે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ સોફ્ટવેર તૈયાર કરાઈ રહ્યું છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકા થોડા સમયમાં આવી સિસ્ટમ લોંચ કરવા જઈ રહી છે. જેમાં પ્લાસ્ટિક ટેગના આધારે ગાયોનું ટ્રેકીંગ કરવામાં આવશે.

પશુ માલિકની સરળતાથી મળી શકશે જાણકારી   

રખડતા પશુને કારણે અનેક વખત મુસીબતનો સામનો સામાન્ય માણસને કરવો પડે છે. રસ્તા પરથી રખડતા ઢોરને હટાવવા જ્યારે પોલીસ નિકળે છે ત્યારે ગાયના માલિક કોણ છે તે જાણવામાં ઘણી મુશ્કેલી પડે છે. પશુઓના માલિક વિશે માહિતી મેળવવા પોલીસે પાલિકા પાસે સંપર્કમાં રહેવું પડતું હતું જેને લઈ રખડતા ઢોરનો પ્રશ્નનો ઉકેલવામાં મુશ્કેલી પડે છે. ત્યારે હવે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ આવી જવાથી માલિકની માહિતી સરળતાથી મેળવી શકાશે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા ટેગના આધારે પશુ માલિકનો આધાર કાર્ડ, મોબાઈલ નંબર, તેમજ સરનામું મળી રહેશે. રખડતાં પશુના કાનમાં લાગેલા પ્લાસ્ટિક ટેગ નંબરને આધારે પશુમાલિકની તમામ વિગતો મળી શકશે.

 રખડતાં ઢોરના ત્રાસ વચ્ચે VMCની મોટી કાર્યવાહી | Sandesh

રસ્તા પર ચાલતા લોકોને પણ અનેક વખત રખડતા પશુઓથી નુકસાન પહોંચતું હોય છે. વાહન ચાલકોને પણ આને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા  રખડતા પશુઓની સમસ્યાનો અંત આવશે કે નહીં તે જોવું રહ્યું.

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.