રખડતા ઢોર પર નિયંત્રણ રાખવા તૈયાર કરાયું ખાસ સોફ્ટવેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 15:30:15

રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે પશુ માલિકની જાણકારી પોલીસને સરળતાથી મળી રહે તે માટે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ સોફ્ટવેર તૈયાર કરાઈ રહ્યું છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકા થોડા સમયમાં આવી સિસ્ટમ લોંચ કરવા જઈ રહી છે. જેમાં પ્લાસ્ટિક ટેગના આધારે ગાયોનું ટ્રેકીંગ કરવામાં આવશે.

પશુ માલિકની સરળતાથી મળી શકશે જાણકારી   

રખડતા પશુને કારણે અનેક વખત મુસીબતનો સામનો સામાન્ય માણસને કરવો પડે છે. રસ્તા પરથી રખડતા ઢોરને હટાવવા જ્યારે પોલીસ નિકળે છે ત્યારે ગાયના માલિક કોણ છે તે જાણવામાં ઘણી મુશ્કેલી પડે છે. પશુઓના માલિક વિશે માહિતી મેળવવા પોલીસે પાલિકા પાસે સંપર્કમાં રહેવું પડતું હતું જેને લઈ રખડતા ઢોરનો પ્રશ્નનો ઉકેલવામાં મુશ્કેલી પડે છે. ત્યારે હવે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ આવી જવાથી માલિકની માહિતી સરળતાથી મેળવી શકાશે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા ટેગના આધારે પશુ માલિકનો આધાર કાર્ડ, મોબાઈલ નંબર, તેમજ સરનામું મળી રહેશે. રખડતાં પશુના કાનમાં લાગેલા પ્લાસ્ટિક ટેગ નંબરને આધારે પશુમાલિકની તમામ વિગતો મળી શકશે.

 રખડતાં ઢોરના ત્રાસ વચ્ચે VMCની મોટી કાર્યવાહી | Sandesh

રસ્તા પર ચાલતા લોકોને પણ અનેક વખત રખડતા પશુઓથી નુકસાન પહોંચતું હોય છે. વાહન ચાલકોને પણ આને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા  રખડતા પશુઓની સમસ્યાનો અંત આવશે કે નહીં તે જોવું રહ્યું.

 



રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.