તલાટીની પરીક્ષા માટે કરાઈ એસટી બસની વ્યવસ્થા! પરીક્ષાના દિવસે 4 હજાર જેટલી બસો દોડશે!


  • Published By :
  • Published Date : 2023-04-29 16:27:49

આગામી 7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાવાની છે. ગુજરાત પંચાયત પસંદગી પરીક્ષા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના દિવસ માટે 4 હજાર જેટલી બસો ઉમેદવારો માટે મૂકવામાં આવી છે. અમદાવાદ શહેરના તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને કેન્દ્રના શહેર સુધી પહોંચી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. 


4 હજાર જેટલી બસોની કરાઈ વ્યવસ્થા!

સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. જે બાદ ટેટ-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને પરીક્ષાઓ સફળતા પૂર્ણ રીતે પાર પડી હતી. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી છે. ત્યારે હવે આગામી 7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. 4 હજાર જેટલી બસો ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. 


અમદાવાદ ખાતે શરૂ કરાયું કંટ્રોલ રૂમ!

આ અંગે ગુજરાત એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભૂતકાળમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. તેવી જ રીતે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવા જઈ રહી છે. જેના માટે ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અંદાજીત 8.50 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. અંદાજે બે લાખ જેટલા ઉમેદવારો બસ સેવાનો લાભ લેવાના છે. તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને એસટી બસની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ ઓફિસ ખાતે ગુજરાત એસટી નિગમ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.       



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.