તલાટીની પરીક્ષા માટે કરાઈ એસટી બસની વ્યવસ્થા! પરીક્ષાના દિવસે 4 હજાર જેટલી બસો દોડશે!


  • Published By :
  • Published Date : 2023-04-29 16:27:49

આગામી 7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાવાની છે. ગુજરાત પંચાયત પસંદગી પરીક્ષા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના દિવસ માટે 4 હજાર જેટલી બસો ઉમેદવારો માટે મૂકવામાં આવી છે. અમદાવાદ શહેરના તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને કેન્દ્રના શહેર સુધી પહોંચી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. 


4 હજાર જેટલી બસોની કરાઈ વ્યવસ્થા!

સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. જે બાદ ટેટ-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને પરીક્ષાઓ સફળતા પૂર્ણ રીતે પાર પડી હતી. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી છે. ત્યારે હવે આગામી 7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. 4 હજાર જેટલી બસો ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. 


અમદાવાદ ખાતે શરૂ કરાયું કંટ્રોલ રૂમ!

આ અંગે ગુજરાત એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભૂતકાળમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. તેવી જ રીતે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવા જઈ રહી છે. જેના માટે ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અંદાજીત 8.50 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. અંદાજે બે લાખ જેટલા ઉમેદવારો બસ સેવાનો લાભ લેવાના છે. તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને એસટી બસની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ ઓફિસ ખાતે ગુજરાત એસટી નિગમ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.