તલાટીની પરીક્ષા માટે કરાઈ એસટી બસની વ્યવસ્થા! પરીક્ષાના દિવસે 4 હજાર જેટલી બસો દોડશે!


  • Published By :
  • Published Date : 2023-04-29 16:27:49

આગામી 7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાવાની છે. ગુજરાત પંચાયત પસંદગી પરીક્ષા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના દિવસ માટે 4 હજાર જેટલી બસો ઉમેદવારો માટે મૂકવામાં આવી છે. અમદાવાદ શહેરના તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને કેન્દ્રના શહેર સુધી પહોંચી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. 


4 હજાર જેટલી બસોની કરાઈ વ્યવસ્થા!

સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. જે બાદ ટેટ-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને પરીક્ષાઓ સફળતા પૂર્ણ રીતે પાર પડી હતી. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી છે. ત્યારે હવે આગામી 7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. 4 હજાર જેટલી બસો ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. 


અમદાવાદ ખાતે શરૂ કરાયું કંટ્રોલ રૂમ!

આ અંગે ગુજરાત એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભૂતકાળમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. તેવી જ રીતે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવા જઈ રહી છે. જેના માટે ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અંદાજીત 8.50 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. અંદાજે બે લાખ જેટલા ઉમેદવારો બસ સેવાનો લાભ લેવાના છે. તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને એસટી બસની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ ઓફિસ ખાતે ગુજરાત એસટી નિગમ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.       



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે