ST બસના ડ્રાઈવરે જોખમમાં મૂક્યા લોકોના જીવ! ચાલુ બસે મોબાઈલ ફોનમાં કરી વાત! મોબાઈલ પર વાત કરતા ડ્રાઈવરનો વીડિયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-06-02 16:13:34

ઘણા સમયથી એસટી બસના વીડિયો સામે આવી રહ્યા છે. એસટી વિભાગ ચર્ચામાં રહેતો હોય છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એસટી બસમાં પાછળ બેઠેલા લોકો નીચે પડી જાય છે. તે સિવાય એક સમાચાર ગોંડલ એસટી બસ સ્ટેન્ડમાં બસ સ્ટેન્ડ પર ઉભી રહેવાની જગ્યાએ બેરિકેડ્સ તોડી સીધી પૂછપરછની બારી આગળ ઘૂસી ગઈ. ત્યારે ફરી એક વખત એસટી બસ ડ્રાઈવરનો વીડિયો સામે આવ્યો છે જેમાં ડ્રાઈવર ચાલુ બસે ફોન પર વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ચાલુ બસે ફોન પર વાત કરી રહ્યા છે ડ્રાઈવર સાહેબ!        

એસ.ટી વિભાગનું સ્લોગન છે સલામત સવારી એસટી અમારી... પરંતુ અનેક વખત એસટી બસના એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે તેમના જ સ્લોગનને ખોટા સાબિત કરતા હોય છે. થોડા સમય પહેલા પણ એસટી બસનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરી એક વખત એસટી બસ ચર્ચામાં આવી છે. અનુમાન પ્રમાણે આ વીડિયો લુણાવાડાથી અમદાવાદ જતી બસનું હોવાનું માનવામાં આવી રહ્યો છે. બસના ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ડ્રાઈવરની સાથે સાથે કંડક્ટર પણ ફોન પર વાત કરી રહ્યા છે. 


શું ડ્રાઈવર વિરૂદ્ધ કરવામાં આવશે કાર્યવાહી?  

ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી ગુન્હો છે. અનેક લોકોએ આ વાતને લઈ દંડ પણ ભર્યો હશે. તે ઉપરાંત અકસ્માતોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ બસ સ્પીડમાં જોવા મળી રહી છે. જો અકસ્માત સર્જાય અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ? ચાલુ ગાડીએ ફોન પર વાત કરી ડ્રાઈવરે બસમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોના જીવને જોખમમાં મૂક્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે ડ્રાઈવર વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં?   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.