ST બસના ડ્રાઈવરે જોખમમાં મૂક્યા લોકોના જીવ! ચાલુ બસે મોબાઈલ ફોનમાં કરી વાત! મોબાઈલ પર વાત કરતા ડ્રાઈવરનો વીડિયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-06-02 16:13:34

ઘણા સમયથી એસટી બસના વીડિયો સામે આવી રહ્યા છે. એસટી વિભાગ ચર્ચામાં રહેતો હોય છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એસટી બસમાં પાછળ બેઠેલા લોકો નીચે પડી જાય છે. તે સિવાય એક સમાચાર ગોંડલ એસટી બસ સ્ટેન્ડમાં બસ સ્ટેન્ડ પર ઉભી રહેવાની જગ્યાએ બેરિકેડ્સ તોડી સીધી પૂછપરછની બારી આગળ ઘૂસી ગઈ. ત્યારે ફરી એક વખત એસટી બસ ડ્રાઈવરનો વીડિયો સામે આવ્યો છે જેમાં ડ્રાઈવર ચાલુ બસે ફોન પર વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ચાલુ બસે ફોન પર વાત કરી રહ્યા છે ડ્રાઈવર સાહેબ!        

એસ.ટી વિભાગનું સ્લોગન છે સલામત સવારી એસટી અમારી... પરંતુ અનેક વખત એસટી બસના એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે તેમના જ સ્લોગનને ખોટા સાબિત કરતા હોય છે. થોડા સમય પહેલા પણ એસટી બસનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરી એક વખત એસટી બસ ચર્ચામાં આવી છે. અનુમાન પ્રમાણે આ વીડિયો લુણાવાડાથી અમદાવાદ જતી બસનું હોવાનું માનવામાં આવી રહ્યો છે. બસના ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ડ્રાઈવરની સાથે સાથે કંડક્ટર પણ ફોન પર વાત કરી રહ્યા છે. 


શું ડ્રાઈવર વિરૂદ્ધ કરવામાં આવશે કાર્યવાહી?  

ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી ગુન્હો છે. અનેક લોકોએ આ વાતને લઈ દંડ પણ ભર્યો હશે. તે ઉપરાંત અકસ્માતોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ બસ સ્પીડમાં જોવા મળી રહી છે. જો અકસ્માત સર્જાય અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ? ચાલુ ગાડીએ ફોન પર વાત કરી ડ્રાઈવરે બસમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોના જીવને જોખમમાં મૂક્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે ડ્રાઈવર વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં?   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.