એસટી બસના ચાલકો બન્યા બેફામ! Bhavnagarમાં એસટી બસ ડ્રાઈવરે આધેડને લીધા અડફેટે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 11:35:47

અનેક વખત એવું કહેતા હોઈએ છીએ કે વાહનચાલકો બેફામ બની ગયા છે. વાહનચાલકો રસ્તાને પોતાના બાપનો સમજે છે. બાપના બગીચામાં ફરતી હોય તેવી રીતે ગાડીઓને ચલાવે છે વગેરે વગેરે... ખાનગી બસના ચાલકો વિશે તો અનેક વખત વાત કરી પરંતુ હવે તો એસટી બસના ડ્રાઈવરો પણ બેફામ બની ગયા છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગઈકાલે પણ એસટી બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર એક વ્યક્તિનું મોત થયું ત્યારે આજે પણ એક આધેડને એસટી બસે અડફેટે લીધા છે.       


એસટી બસના ટાચર નીચે આવી ગયું હતું યુવકનું માથું!

એસટી બસના ચાલકોને કોઈનો ડર નથી હોતો તેવા કિસ્સાઓ અનેક વખત  સામે આવ્યા છે. બેફામ બનેલા ડ્રાઈવરો અનેક વખત અકસ્માત સર્જતા હોય છે. ગઈકાલે સુરતથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એસટી બસે વાહનચાલકને અડફેટે લીધા હતા. સુરતમાં એસટી બસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. એસટી બસની અડફેટે આવેલા યુવકના માથા પર બસનું પાછલું ટાયર ફરી વળતાં ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ બસનો ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. ગમખ્વાર અકસ્માતની આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ધસી ગયા હતા. 


આધેડ ઉભા હતા અને બસે મારી ટક્કર!

તો બીજી ઘટના આજે ભાવનગરમાં બની છે. ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડમાં એસટી બસે અકસ્માત સર્જ્યો છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિ બસ સ્ટેન્ડમાં ઉભા હતા તે દરમિયાન એસટી બસના ચાલકે આધેડને અડફેટે લીધા. અકસ્માત થતાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 



બેફામ બનેલા ડ્રાઈવરો વિરૂદ્ધ ક્યારે કરાશે કાર્યવાહી?

મહત્વનું છે કે એસટી બસના ચાલકો અનેક વખત નશાની હાલતમાં જોવા મળતા હોય છે. બેફામ રીતે એસટીબસના ડ્રાઈવરો, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલતી બસો એવી રીતે વાહન ચલાવતા હોય છે જેમાં લોકોના જીવન જોખમમાં મૂકાઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં એસટી બસ ચાલકો દ્વારા અકસ્માત થતો હોય છે. ત્યારે બેફામ રીતે ચલાવતા વાહન ચાલકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે એક પ્રશ્ન છે         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.