એસટી બસના ચાલકો બન્યા બેફામ! Bhavnagarમાં એસટી બસ ડ્રાઈવરે આધેડને લીધા અડફેટે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 11:35:47

અનેક વખત એવું કહેતા હોઈએ છીએ કે વાહનચાલકો બેફામ બની ગયા છે. વાહનચાલકો રસ્તાને પોતાના બાપનો સમજે છે. બાપના બગીચામાં ફરતી હોય તેવી રીતે ગાડીઓને ચલાવે છે વગેરે વગેરે... ખાનગી બસના ચાલકો વિશે તો અનેક વખત વાત કરી પરંતુ હવે તો એસટી બસના ડ્રાઈવરો પણ બેફામ બની ગયા છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગઈકાલે પણ એસટી બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર એક વ્યક્તિનું મોત થયું ત્યારે આજે પણ એક આધેડને એસટી બસે અડફેટે લીધા છે.       


એસટી બસના ટાચર નીચે આવી ગયું હતું યુવકનું માથું!

એસટી બસના ચાલકોને કોઈનો ડર નથી હોતો તેવા કિસ્સાઓ અનેક વખત  સામે આવ્યા છે. બેફામ બનેલા ડ્રાઈવરો અનેક વખત અકસ્માત સર્જતા હોય છે. ગઈકાલે સુરતથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એસટી બસે વાહનચાલકને અડફેટે લીધા હતા. સુરતમાં એસટી બસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. એસટી બસની અડફેટે આવેલા યુવકના માથા પર બસનું પાછલું ટાયર ફરી વળતાં ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ બસનો ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. ગમખ્વાર અકસ્માતની આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ધસી ગયા હતા. 


આધેડ ઉભા હતા અને બસે મારી ટક્કર!

તો બીજી ઘટના આજે ભાવનગરમાં બની છે. ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડમાં એસટી બસે અકસ્માત સર્જ્યો છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિ બસ સ્ટેન્ડમાં ઉભા હતા તે દરમિયાન એસટી બસના ચાલકે આધેડને અડફેટે લીધા. અકસ્માત થતાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 



બેફામ બનેલા ડ્રાઈવરો વિરૂદ્ધ ક્યારે કરાશે કાર્યવાહી?

મહત્વનું છે કે એસટી બસના ચાલકો અનેક વખત નશાની હાલતમાં જોવા મળતા હોય છે. બેફામ રીતે એસટીબસના ડ્રાઈવરો, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલતી બસો એવી રીતે વાહન ચલાવતા હોય છે જેમાં લોકોના જીવન જોખમમાં મૂકાઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં એસટી બસ ચાલકો દ્વારા અકસ્માત થતો હોય છે. ત્યારે બેફામ રીતે ચલાવતા વાહન ચાલકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે એક પ્રશ્ન છે         



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.