એસટી બસના ચાલકો બન્યા બેફામ! Bhavnagarમાં એસટી બસ ડ્રાઈવરે આધેડને લીધા અડફેટે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 11:35:47

અનેક વખત એવું કહેતા હોઈએ છીએ કે વાહનચાલકો બેફામ બની ગયા છે. વાહનચાલકો રસ્તાને પોતાના બાપનો સમજે છે. બાપના બગીચામાં ફરતી હોય તેવી રીતે ગાડીઓને ચલાવે છે વગેરે વગેરે... ખાનગી બસના ચાલકો વિશે તો અનેક વખત વાત કરી પરંતુ હવે તો એસટી બસના ડ્રાઈવરો પણ બેફામ બની ગયા છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગઈકાલે પણ એસટી બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર એક વ્યક્તિનું મોત થયું ત્યારે આજે પણ એક આધેડને એસટી બસે અડફેટે લીધા છે.       


એસટી બસના ટાચર નીચે આવી ગયું હતું યુવકનું માથું!

એસટી બસના ચાલકોને કોઈનો ડર નથી હોતો તેવા કિસ્સાઓ અનેક વખત  સામે આવ્યા છે. બેફામ બનેલા ડ્રાઈવરો અનેક વખત અકસ્માત સર્જતા હોય છે. ગઈકાલે સુરતથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એસટી બસે વાહનચાલકને અડફેટે લીધા હતા. સુરતમાં એસટી બસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. એસટી બસની અડફેટે આવેલા યુવકના માથા પર બસનું પાછલું ટાયર ફરી વળતાં ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ બસનો ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. ગમખ્વાર અકસ્માતની આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ધસી ગયા હતા. 


આધેડ ઉભા હતા અને બસે મારી ટક્કર!

તો બીજી ઘટના આજે ભાવનગરમાં બની છે. ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડમાં એસટી બસે અકસ્માત સર્જ્યો છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિ બસ સ્ટેન્ડમાં ઉભા હતા તે દરમિયાન એસટી બસના ચાલકે આધેડને અડફેટે લીધા. અકસ્માત થતાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 



બેફામ બનેલા ડ્રાઈવરો વિરૂદ્ધ ક્યારે કરાશે કાર્યવાહી?

મહત્વનું છે કે એસટી બસના ચાલકો અનેક વખત નશાની હાલતમાં જોવા મળતા હોય છે. બેફામ રીતે એસટીબસના ડ્રાઈવરો, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલતી બસો એવી રીતે વાહન ચલાવતા હોય છે જેમાં લોકોના જીવન જોખમમાં મૂકાઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં એસટી બસ ચાલકો દ્વારા અકસ્માત થતો હોય છે. ત્યારે બેફામ રીતે ચલાવતા વાહન ચાલકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે એક પ્રશ્ન છે         



ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.