એસટી બસના ચાલકો બન્યા બેફામ! Bhavnagarમાં એસટી બસ ડ્રાઈવરે આધેડને લીધા અડફેટે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 11:35:47

અનેક વખત એવું કહેતા હોઈએ છીએ કે વાહનચાલકો બેફામ બની ગયા છે. વાહનચાલકો રસ્તાને પોતાના બાપનો સમજે છે. બાપના બગીચામાં ફરતી હોય તેવી રીતે ગાડીઓને ચલાવે છે વગેરે વગેરે... ખાનગી બસના ચાલકો વિશે તો અનેક વખત વાત કરી પરંતુ હવે તો એસટી બસના ડ્રાઈવરો પણ બેફામ બની ગયા છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગઈકાલે પણ એસટી બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર એક વ્યક્તિનું મોત થયું ત્યારે આજે પણ એક આધેડને એસટી બસે અડફેટે લીધા છે.       


એસટી બસના ટાચર નીચે આવી ગયું હતું યુવકનું માથું!

એસટી બસના ચાલકોને કોઈનો ડર નથી હોતો તેવા કિસ્સાઓ અનેક વખત  સામે આવ્યા છે. બેફામ બનેલા ડ્રાઈવરો અનેક વખત અકસ્માત સર્જતા હોય છે. ગઈકાલે સુરતથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એસટી બસે વાહનચાલકને અડફેટે લીધા હતા. સુરતમાં એસટી બસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. એસટી બસની અડફેટે આવેલા યુવકના માથા પર બસનું પાછલું ટાયર ફરી વળતાં ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ બસનો ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. ગમખ્વાર અકસ્માતની આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ધસી ગયા હતા. 


આધેડ ઉભા હતા અને બસે મારી ટક્કર!

તો બીજી ઘટના આજે ભાવનગરમાં બની છે. ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડમાં એસટી બસે અકસ્માત સર્જ્યો છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિ બસ સ્ટેન્ડમાં ઉભા હતા તે દરમિયાન એસટી બસના ચાલકે આધેડને અડફેટે લીધા. અકસ્માત થતાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 



બેફામ બનેલા ડ્રાઈવરો વિરૂદ્ધ ક્યારે કરાશે કાર્યવાહી?

મહત્વનું છે કે એસટી બસના ચાલકો અનેક વખત નશાની હાલતમાં જોવા મળતા હોય છે. બેફામ રીતે એસટીબસના ડ્રાઈવરો, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલતી બસો એવી રીતે વાહન ચલાવતા હોય છે જેમાં લોકોના જીવન જોખમમાં મૂકાઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં એસટી બસ ચાલકો દ્વારા અકસ્માત થતો હોય છે. ત્યારે બેફામ રીતે ચલાવતા વાહન ચાલકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે એક પ્રશ્ન છે         



સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.