દિવાળીના તહેવારની સીઝનમાં એસટી તંત્ર દોડાવશે 2500થી વધુ એકસ્ટ્રા બસ, કાલથી એડવાન્સ બુકિંગ શરૂ


  • Published By :
  • Published Date : 2023-09-20 22:42:25

તહેવારોની સીઝન નજીક છે ત્યારે એસટી તંત્રએ પણ તેને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીના તહેવારમાં મુસાફરોને કોઈ અગવડતા ન પડે, તે માટે સુરત એસટી વિભાગ દ્વારા 2500 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. આ એક્સ્ટ્રા સંચાલન બસનું એડવાન્સ બુકિંગ [ઓનલાઈન] તેમજ ગ્રુપ બુકિંગ પણ આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે.સુરત એસટી વિભાગ દ્વારા લોકોને મુસાફરીમાં કોઈ અગવડતા ન પડે તે માટે વાર-તહેવાર પર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. એવામાં આગામી સમયમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે. આથી મુસાફરોને એસટી બસની સુવિધાનો લાભ મળી રહે તે માટે સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત, પંચમહાલના મુસાફરો માટે 2500થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન 7 થી 11 નવેમ્બર સુધી કરવામાં આવ્યું છે.


નિગમની વેબ સાઈટ પરથી કરી શકાશે ઓનલાઈન બુકિંગ


ઉલ્લેખનિય છે કે હાલ સુરત જૂની વિભાગીય કચેરી ખાતે સીટકો અને મેટ્રો રેલનું કામ ચાલતું હોય ત્યાં જગ્યા ઉપલબ્ધ નહી હોવાથી સમગ્ર સંચાલનના સ્થળો પણ જાહેર કરવામાં આવ્યા છે.આ એક્સ્ટ્રા બસોના સંચાલનનું એડવાન્સ બુકિંગ [ઓનલાઈન] તેમજ ગ્રુપ બુકિંગ પણ આવતીકાલથી શરુ કરવામાં આવશે. ગ્રુપ બુકિંગ અને એડવાન્સ બુકિંગ [ઓનલાઈન] સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરથી કરવામાં આવશે. આ ઉપરાંત નિગમની વેબ સાઈટ ઉપરથી પણ મુસાફરો ઓનલાઈન બુકિંગ કરાવી શકશે.એસટી નિયામક પી,વી ગુર્જરે જાણાવ્યું હતું કે એક્સ્ટ્રા બસોનું ત્રણ પ્રકારે મુસાફરો લાભ લઈ શકશે, જેમાં કરંટ બુકિંગ એટલે કે મુસાફર ત્યાં આવશે અને જે એક્સ્ટ્રા બસ હશે તેના થકી તે મુસાફરી કરી શકશે, બીજું ઓનલાઈન બુકિંગ છે જેમાં લોકો અમારી વેબ પોર્ટલ પરથી અથવા અમારા કાઉન્ટર ઉપરથી બુકિંગ કરાવવાનું રહેશે, અને ત્રીજુ છે ગ્રુપ બુકિંગ કે જેમાં જો 50 મુસાફરો હશે તો તેઓને રહેણાક વિસ્તાર સુધી બસ જશે અને ત્યાંથી વતન સુધી બસમાં મુસાફરી કરી શકશે,




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી