લ્યો બોલો! અમદાવાદના કૃષ્ણનગર બસ સ્ટેશનમાંથી એસ.ટી. બસ ચોરી ગઠિયો ફરાર, તંત્ર દોડતું થયું


  • Published By :
  • Published Date : 2024-02-15 21:53:42

ઘરફોડ ચોરીના કિસ્સા તો તમે અનેક વખત સાંભળ્યા હશે, ખાનગી વાહનો પણ ગઠિયા ચોરી જતાં હોય છે પણ અમદાવાદમાં સરકારી એસ.ટી. બસ ચોરાઈ જવાની ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. અમદાવાદ (Ahmedabad)ના કૃષ્ણનગર બસ સ્ટેશનમાંથી એસ.ટી.બસની ચોરી થતાં એસ.ટી બસ વિભાગ અને નરોડા પોલીસ તંત્ર દોડતું થયું હતું. જો કે અંતે પોલીસની મહેનત રંગ લાવી હતી અને ચોરાયેલી એસ.ટી બસ દહેગામ નજીકથી મળી આવી હતી. 


શું છે સમગ્ર મામલો?


એસ.ટી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ  અમદાવાદ (Ahmedabad)ના કૃષ્ણનગર બસ સ્ટેશનમાંથી એસ.ટી.બસ હંકારીને ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનને એસ.ટી વિભાગ તરફથી જાણ કરાઇ હતી કે કૃષ્ણનગર બસ ડેપોમાંથી એક એસ.ટી બસની ચોરી થઇ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નરોડા પોલીસે ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. બાદમાં પોલીસ અને એસ.ટી વિભાગે સતત 2 કલાક સુધી તપાસ કરતાં આખરે દહેગામ પાસેથી ચોરાયેલી એસ.ટી બસ મળી આવી હતી. 


કોણ હતો ચોર?


ચોરાયેલી એસ.ટી બસ દહેગામ નજીક હોવાની જાણ થતાં પોલીસ અને એસ.ટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા. ત્યાં જઇને તપાસ કરતાં આ બસની જ ચોરી થઇ હોવાનું જણાયું હતું. ચોરાયેલી બસમાં એક વ્યક્તિ પણ બેઠેલો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરતાં ચોરી કરનારો યુવક માનસિક અસ્વસ્થ હતો. આ માનસિક અસ્વસ્થ વ્યક્તિ બસ ડેપોમાંથી બસ ચલાવીને જતો રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે ચોરાયેલી બસને આખરે એસ.ટી વિભાગને આપવામાં આવી હતી અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.