લ્યો બોલો! અમદાવાદના કૃષ્ણનગર બસ સ્ટેશનમાંથી એસ.ટી. બસ ચોરી ગઠિયો ફરાર, તંત્ર દોડતું થયું


  • Published By :
  • Published Date : 2024-02-15 21:53:42

ઘરફોડ ચોરીના કિસ્સા તો તમે અનેક વખત સાંભળ્યા હશે, ખાનગી વાહનો પણ ગઠિયા ચોરી જતાં હોય છે પણ અમદાવાદમાં સરકારી એસ.ટી. બસ ચોરાઈ જવાની ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. અમદાવાદ (Ahmedabad)ના કૃષ્ણનગર બસ સ્ટેશનમાંથી એસ.ટી.બસની ચોરી થતાં એસ.ટી બસ વિભાગ અને નરોડા પોલીસ તંત્ર દોડતું થયું હતું. જો કે અંતે પોલીસની મહેનત રંગ લાવી હતી અને ચોરાયેલી એસ.ટી બસ દહેગામ નજીકથી મળી આવી હતી. 


શું છે સમગ્ર મામલો?


એસ.ટી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ  અમદાવાદ (Ahmedabad)ના કૃષ્ણનગર બસ સ્ટેશનમાંથી એસ.ટી.બસ હંકારીને ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનને એસ.ટી વિભાગ તરફથી જાણ કરાઇ હતી કે કૃષ્ણનગર બસ ડેપોમાંથી એક એસ.ટી બસની ચોરી થઇ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નરોડા પોલીસે ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. બાદમાં પોલીસ અને એસ.ટી વિભાગે સતત 2 કલાક સુધી તપાસ કરતાં આખરે દહેગામ પાસેથી ચોરાયેલી એસ.ટી બસ મળી આવી હતી. 


કોણ હતો ચોર?


ચોરાયેલી એસ.ટી બસ દહેગામ નજીક હોવાની જાણ થતાં પોલીસ અને એસ.ટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા. ત્યાં જઇને તપાસ કરતાં આ બસની જ ચોરી થઇ હોવાનું જણાયું હતું. ચોરાયેલી બસમાં એક વ્યક્તિ પણ બેઠેલો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરતાં ચોરી કરનારો યુવક માનસિક અસ્વસ્થ હતો. આ માનસિક અસ્વસ્થ વ્યક્તિ બસ ડેપોમાંથી બસ ચલાવીને જતો રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે ચોરાયેલી બસને આખરે એસ.ટી વિભાગને આપવામાં આવી હતી અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.