ST વિભાગના કર્મચારીઓએ PM Modiને લખ્યો પત્ર, પગાર વધારાથી વંચિત રખાતા કર્મચારીઓ નોંધાવી રહ્યા છે વિરોધ


  • Published By :
  • Published Date : 2023-11-04 15:13:19

થોડા સમય પહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પીએમ મોદીને ચિઠ્ઠી લખી જેમાં તેમણે જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવાની માગ કરી હતી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ઉમેદવારો કરી રહ્યા છે. એ આંદોલન તો હજી પૂર્ણ નથી થયું ત્યારે એસટી વિભાગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં આવ્યા છે. ફિક્સ પેને લઈ વિરોધ કરી રહેલા એસટી વિભાગના કર્મચારીઓએ પીએમ મોદીને ચિઠ્ઠી લખી હતી અને પોતાની હૈયાફાળ ઠાલવી હતી. 

પીએમ મોદીને કર્મચારીઓએ લખી ચિઠ્ઠી 

રાજ્ય સરકાર દ્વારા 18 ઓક્ટોબરના રોજ વર્ગ ત્રણ તેમજ વર્ગ ચારના તમામ ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.  પરંતુ આ પગાર વધારાથી એસટી વિભાગના કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે તેનો વિરોધ એસટી વિભાગના કર્મચારીઓ કરી રહ્યા છે. એસટી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ યુનિયનને તેમજ સરકારને પોતાની રજૂઆત કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહીં. ત્યારે પીએમ મોદીના શરણે એસટી વિભાગના કર્મચારીઓ ગયા છે. 


પગાર વધારાથી એસટી વિભાગના કર્મચારીઓને રખાયા બાકાત!

પગાર વધારો ન કરાતા એસટી વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે તેમની સાથે શા માટે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. શા માટે તેમને પગાર વધારામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એસટી બસનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે શું આ આંદોલન પણ જ્ઞાન સહાયક જેવું મોટું આંદોલન થશે?   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.