ST વિભાગના કર્મચારીઓએ PM Modiને લખ્યો પત્ર, પગાર વધારાથી વંચિત રખાતા કર્મચારીઓ નોંધાવી રહ્યા છે વિરોધ


  • Published By :
  • Published Date : 2023-11-04 15:13:19

થોડા સમય પહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પીએમ મોદીને ચિઠ્ઠી લખી જેમાં તેમણે જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવાની માગ કરી હતી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ઉમેદવારો કરી રહ્યા છે. એ આંદોલન તો હજી પૂર્ણ નથી થયું ત્યારે એસટી વિભાગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં આવ્યા છે. ફિક્સ પેને લઈ વિરોધ કરી રહેલા એસટી વિભાગના કર્મચારીઓએ પીએમ મોદીને ચિઠ્ઠી લખી હતી અને પોતાની હૈયાફાળ ઠાલવી હતી. 

પીએમ મોદીને કર્મચારીઓએ લખી ચિઠ્ઠી 

રાજ્ય સરકાર દ્વારા 18 ઓક્ટોબરના રોજ વર્ગ ત્રણ તેમજ વર્ગ ચારના તમામ ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.  પરંતુ આ પગાર વધારાથી એસટી વિભાગના કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે તેનો વિરોધ એસટી વિભાગના કર્મચારીઓ કરી રહ્યા છે. એસટી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ યુનિયનને તેમજ સરકારને પોતાની રજૂઆત કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહીં. ત્યારે પીએમ મોદીના શરણે એસટી વિભાગના કર્મચારીઓ ગયા છે. 


પગાર વધારાથી એસટી વિભાગના કર્મચારીઓને રખાયા બાકાત!

પગાર વધારો ન કરાતા એસટી વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે તેમની સાથે શા માટે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. શા માટે તેમને પગાર વધારામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એસટી બસનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે શું આ આંદોલન પણ જ્ઞાન સહાયક જેવું મોટું આંદોલન થશે?   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી